AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: કેએલ રાહુલ નિવેદનને લઈને બોલર જસપ્રિત બુમરાહ પર ભડક્યો, કહ્યુ ખબર નહી કેમ લોકો આમ કહે છે

ઝડપી બોલર જસપ્રિત બુમરાહે (Jasprit Bumrah) નોટિંગહામ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ભારત તરફથી સૌથી વધારે 9 વિકેટ ઝડપી હતી. તેણે ટીમને જીતની સ્થિતી સુધી લઇ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

IND vs ENG: કેએલ રાહુલ નિવેદનને લઈને બોલર જસપ્રિત બુમરાહ પર ભડક્યો, કહ્યુ ખબર નહી કેમ લોકો આમ કહે છે
Team India
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 3:26 PM
Share

ઈંગ્લેન્ડ (England) પર વિજય મેળવવાની નજીક આવીને ટીમ ઇન્ડીયા (Team India) સફળતા મેળવવાથી ચુકી ગઇ છે. નોટિંગહામમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતને વિજયની તક મળી હતી, જેને વરસાદે છીનવી લીધી હતી. મેચના પાંચમા અને અંતિમ દિવસે વરસાદને કારણે રમત રદ કરવી પડી હતી. આમ પ્રથમ ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આમ છતાં, આ ટેસ્ટ પ્રદર્શન માટે ભારત માટે સારુ રહ્યુ હતુ. જેમાં ઝડપી બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) પ્રભાવિત રહ્યો હતો અને ટીમને રાહત આપી હતી.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ (WTC Final) માં નિષ્ફળતા બાદ, બુમરાહના પ્રદર્શનને લઇ દરેક લોકો કહી રહ્યા છે કે, આ ફાસ્ટ બોલરે વાપસી કરી છે. પરંતુ ટીમના બેટ્સમેન કેએલ રાહુલ (KL Rahul) આવા નિવેદનોથી સહમત નથી.

બુમરાહે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દાવમાં 4 વિકેટ લીધી હતી, જ્યારે બીજા દાવમાં વધુ સારું પ્રદર્શન કરતા 5 વિકેટ લીધી હતી. 9 વિકેટ સાથે તે મેચમાં ભારતનો સૌથી સફળ બોલર સાબિત થયો. જો કે, દોઢ મહિના પહેલા સાઉથમ્પ્ટનમાં રમાયેલી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં બુમરાહ સહેજે અસરકારક રહ્યો નહોતો. તે બંને ઇનિંગ્સમાં એક પણ વિકેટ પણ લઈ શક્યો ન હતો. ટીમ ઇન્ડિયાની હારમાં આ પણ એક કારણ મનાતુ હતુ. પરંતુ હવે બુમરાહે વાપસી કરી છે.

બુમરાહે હંમેશા પોતાની જાતને સાબિત કરી છે.

જો કે, ભારતીય ટીમ આવા કોઈપણ નિવેદન સાથે સહમત નથી. મેચ ડ્રોમાં સમાપ્ત થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે પૂછવામાં આવ્યું કે, બુમરાહ ફોર્મમાં પરત ફર્યા બાદ તે કેવો અનુભવ કરી રહ્યો હતો. ત્યારે કેએલ રાહુલે આ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું. તેણે કહ્યું, મને ખબર નથી કે, તમે કેમ કહી રહ્યા છો કે બુમરાહે વાપસી કરી છે. તેણે દરેક સમયે, દરેક મેચમાં, દરેક પરિસ્થિતિમાં પોતાની જાતને સાબિત કરી છે. તે અમારો નંબર વન બોલર છે. અમે ખુશ છીએ કે તે પ્રથમ ટેસ્ટ થી જે કરી રહ્યો છે તે અત્યારે પણ કરી રહ્યો છે.

ઝડપી બોલરોએ સાથે મળીને કરી દેખાડ્યુ

આ મેચમાં ભારત તરફ થી ઇંગ્લેન્ડની તમામ 20 વિકેટ ઝડપી બોલરોએ ઝડપી છે. ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં આવુ માત્ર બીજી વખત થયું છે. આ પહેલા 2018 માં પ્રથમ વખત, જોહાનિસબર્ગ ટેસ્ટમાં થયુ હતુ. આવી સ્થિતિમાં ટીમના બોલરો વખાણના હકદાર હતા, અને રાહુલે તેનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેણે કહ્યું, “અમે પ્રથમ ઇનિંગ્સમાં જે રીતે બોલિંગ કરી હતી અને ટોસ હાર્યા બાદ, પ્રથમ બોલિંગ કરતી વખતે અમે જે શિસ્ત દર્શાવી હતી તે સકારાત્મક બાજુ છે.

એવું માનવામાં આવતું હતું કે ટોસ જીતનાર ટીમ ફાયદાની સ્થિતિમાં હશે અને અમે અત્યંત શિસ્ત સાથે બોલિંગ કરી હતી. જે રીતે મોહમ્મદ શમી અને બુમરાહે શરૂઆત કરી. અને શાર્દુલ (ઠાકુર) અને મોહમ્મદ સિરાજે જારી રાખ્યું, તે બધાએ સાથે મળીને કામ કર્યું અને યોગ્ય જગ્યાએ બોલિંગ કરી. જે રીતે તેઓ તેમની યોજના પર અડગ રહ્યા, તેનુ તેમને ઇનામ મળ્યુ.

આ પણ વાંચો: Cricket: ટીમ ઇન્ડીયાને વિશ્વકપ જીતાડનારી ટીમનો ખેલાડી આજે અઢીસો રુપિયાના રોજ પર મજૂરી કરવા મજબૂર છે

આ પણ વાંચો: Tokyo Olympics થી ઘરે પહોંચતા જ એથલેટ પર દુઃખનો પહાડ તૂટ્યો, માતા એ છુપાવી રાખી હતી આ વાત

g clip-path="url(#clip0_868_265)">