IND vs ENG: હેડિંગ્લેમાં હાર બાદ ભારતના પૂર્વ પસંદગીકારે ટીમ ઇન્ડીયામાં ફેરફારની કરી માગ, કહ્યુ આ 2 ખેલાડી સમાવાય

અશ્વિન (Ashwin) ને સતત ત્રણ ટેસ્ટમાં બહાર રાખવાને લઇને હવે ચર્ચા વિવાદ તરફ દિશા પકડી રહી છે. ફોર્મમાં રહેલા અશ્વિનને ટીમમાં સમાવાવ માટે દિગ્ગજો હવે આ વાતને લઇ ટીમ નક્કી કરનારાઓ પર નિશાન તાકી રહ્યા છે.

IND vs ENG: હેડિંગ્લેમાં હાર બાદ ભારતના પૂર્વ પસંદગીકારે ટીમ ઇન્ડીયામાં ફેરફારની કરી માગ, કહ્યુ આ 2 ખેલાડી સમાવાય
Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 6:29 PM

IND vs ENG: ઈંગ્લેન્ડ સામે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત (Indian Cricket Team) ને હારનો સામનો કરવો પડ્યો હતો. લીડઝ ટેસ્ટ (Leeds Test) માં યજમાન ટીમે પ્રથમ દિવસથી જ પોતાનું વર્ચસ્વ બતાવ્યું અને ભારતને બેકફૂટ પર રાખ્યું હતું. ઇંગ્લેન્ડે (England) ત્રીજી મેચમાં ભારતને એક ઇનિંગ્સ અને 76 રનથી હરાવીને પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબરી કરી હતી.

ભારતે જે રીતે આ મેચમાં પ્રદર્શન કર્યું તે જોઈને લાગ્યું નહીં કે આ તે ટીમ છે, જેણે લોર્ડ્સમાં ઈંગ્લેન્ડના નાક નાકમાં દમ રાખી દીધો હતો. હવે ત્રીજી મેચ બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને દિગ્ગજો ભારતીય ટીમ (Team India) ને લઈને ઘણી સલાહ આપી રહ્યા છે. ભારતના પૂર્વ કેપ્ટન અને પૂર્વ મુખ્ય પસંદગીકાર દિલીપ વેંગસરકરે ચોથી ટેસ્ટ મેચ પહેલા ટીમમાં ફેરફારની વાત કરી છે. વેંગસરકરનું કહેવું છે કે બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનને ચોથી ટેસ્ટમાં રમાડવા જોઈએ.

વેંગસરકરે મીડિયા રીપોર્ટસમાં કહ્યું, હું માનું છું કે આપણે સૂર્યકુમારને સામેલ કરીને આપણી બેટિંગ લાઇનઅપને મજબૂત કરવી જોઈએ. આપણને નંબર 6 પર મજબૂત બેટ્સમેનની જરૂર છે. તે સારા ફોર્મમાં છે અને ભારતને મદદ કરી શકે છે. વધારે મોડું થાય તે પહેલા તેને ઇલેવનમાં સામેલ કરવો જોઇએ.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

અશ્વિન શ્રેષ્ઠ સ્પિનર

અશ્વિન અંગે, વેંગસરકરે કહ્યું છે કે તે ભારતનો શ્રેષ્ઠ સ્પિનર ​​છે અને તે ટીમમાં હોવો જોઈએ. તેણે કહ્યું, હું ઈચ્છું છું કે અશ્વિનને ટીમમાં લેવામાં આવે. તમે અશ્વિનને ઇલેવનની બહાર કેવી રીતે રાખી શકો? તે અત્યારે ટેસ્ટ ક્રિકેટમાં અમારો શ્રેષ્ઠ સ્પિનર ​​છે. આ એવી કેટલીક બાબતો છે, જેની ટીમે ચોથી ટેસ્ટ પહેલા બેસીને ચર્ચા કરવી જોઈએ.

કોણ બહાર જશે

જ્યારે પૂછવામાં આવ્યું કે કયા ખેલાડીને પડતો મૂકવો જોઈએ, ત્યારે ભૂતપૂર્વ કેપ્ટને કહ્યું, તે ટીમ મેનેજમેન્ટ પર નિર્ભર કરે છે. તેઓ શું વિચારે છે કે કોણે ના રમવું જોઈએ. પરંતુ હું સલાહ આપીશ કે સૂર્યકુમાર અને અશ્વિનને ઇલેવનમાં સામેલ કરવા જોઇએ.

વેંગસરકરે ઇંગ્લીશ બોલરોની પ્રશંસા કરી હતી, તેમણે બંને ઇનિંગ્સમાં ભારતીય બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકી દીધા હતા. વેંગસરકરે કહ્યું, આપણે સ્વીકારવું પડશે કે તેમણે શાનદાર બોલિંગ કરી હતી. પ્રથમ અને બીજા દાવમાં તેમણે અમારા બેટ્સમેનોને પછાડ્યા હતા.

આ પણ વાંચોઃ IND vs ENG: ઓવલ ટેસ્ટમાં બેસ્ટ સાબિત થઇ શકે છે અશ્વિન, જાણો ઓવલમાં કેમ અશ્વિન પર નજર કેન્દ્રીત થઇ રહી છે

આ પણ વાંચોઃ Tokyo Paralympics 2020 : ભારતને મળ્યો વધુ એક મેડલ, નિશાદ કુમારે હાઈ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">