IND vs AUS: સિનિયરોને આરામ, અશ્વિનની વાપસી, ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે ટીમની જાહેરાતમાં આ નિર્ણયો આશ્ચર્યચકિત

પ્રથમ બે વનડે મેચમાં ભલે કેએલ રાહુલ કેપ્ટન હશે, પરંતુ ટીમ ઈન્ડિયા ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે પોતાની પૂરી તાકાત સાથે રમશે. વર્લ્ડ કપ પહેલા ખેલાડીઓને તમામ પ્રયોગો કરવાની તક મળે છે. શ્રેણીની જાહેરાતમાં કેટલાક આશ્ચર્યજનક નિર્ણયો લેવામાં આવ્યા છે, જેને લઈ ફેન્સના મનમાં અનેક સવાલો ઊભા થયા છે.

IND vs AUS: સિનિયરોને આરામ, અશ્વિનની વાપસી, ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે ટીમની જાહેરાતમાં આ નિર્ણયો આશ્ચર્યચકિત
Ind vs Aus
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2023 | 12:18 AM

ટીમ ઈન્ડિયા (Team India) એ ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણી માટે ટીમની જાહેરાત કરી દીધી છે. વર્લ્ડ કપ 2023 ( World Cup 2023) પહેલા આયોજિત થનારી 3 મેચની આ સિરીઝ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ જ કારણ છે કે આ વખતે ઘણા પ્રયોગો જોવા મળ્યા છે અને કેટલાક એવા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે જેણે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

સિનિયર ખેલાડીઓ છેલ્લી વનડેમાં રમશે

કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ 2 વનડે મેચ માટે આરામ આપવામાં આવ્યો છે. જ્યારે તમામ સિનિયર ખેલાડીઓ છેલ્લી વનડે મેચમાં પરત ફરશે. પ્રારંભિક મેચમાં કેએલ રાહુલ ટીમનું સુકાન સંભાળશે, જ્યારે રવિન્દ્ર જાડેજા તેના વાઇસ કેપ્ટન તરીકે રહેશે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

ટીમ ઈન્ડિયાના આ નિર્ણયો આશ્ચર્યચકિત

બહુ ઓછા લોકોને આશા હતી કે વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ પહેલા સિનિયર ખેલાડીઓ આરામ કરશે. જો કે, આરામ 3 મેચની શ્રેણીની પ્રથમ બે મેચો સુધી મર્યાદિત છે અને દરેક છેલ્લી મેચમાં પરત ફરશે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે કહ્યું છે કે તમામ ખેલાડીઓ સતત રમી રહ્યા હતા, આવી સ્થિતિમાં વર્લ્ડ કપ ટીમના કોર ગ્રુપને આરામ આપવો જરૂરી હતો, પરંતુ દરેકને લયમાં પાછા ફરવાની તક આપવામાં આવી છે.

વિન્દ્ર જાડેજાને વાઇસ કેપ્ટનશિપ આપવામાં આવી

પ્રથમ બે વનડેમાં કેટલીક આશ્ચર્યજનક એન્ટ્રીઓ પણ આવી છે, એશિયન ગેમ્સમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહેલા ઋતુરાજ ગાયકવાડને ટીમમાં લાવવામાં આવ્યો છે. એટલે કે, રોહિત શર્માની ગેરહાજરીમાં શુભમન ગિલ સાથે ઋતુરાજ ઓપનિંગ કરતો જોવા મળશે. તેના સિવાય રવિન્દ્ર જાડેજાને વાઇસ કેપ્ટનશિપ આપવામાં આવી છે. કારણ કે હાર્દિક પંડ્યા પ્રથમ બે મેચમાં હાજર નહીં રહે, આ પદ જાડેજાને આપવામાં આવ્યું છે. જ્યારે ત્રીજી મેચમાં હાર્દિક વાઇસ કેપ્ટન હશે.

આ પણ વાંચો : Asian Games 2023: ભારતે 32 રમતમાં પોતાની સફળતાની ગાથા લખી, જાણો 67 વર્ષમાં કઈ રમતમાં કેટલા મેડલ જીત્યા?

અશ્વિનની ODI ટીમમાં વાપસી

એક આશ્ચર્યજનક નિર્ણય એ છે કે રવિચંદ્રન અશ્વિન લગભગ દોઢ વર્ષ બાદ ODI ટીમમાં પરત ફર્યો છે. ઓસ્ટ્રેલિયા સિરીઝમાં અશ્વિનની વાપસી એ પણ સંકેત આપે છે કે હવે તેને વર્લ્ડ કપની ટીમમાં પણ સામેલ કરવામાં આવી શકે છે, કારણ કે અક્ષર પટેલ હજુ પણ ઈજાગ્રસ્ત છે અને સંપૂર્ણ સ્વસ્થ થયો નથી. અશ્વિનની સાથે વોશિંગ્ટન સુંદરને પણ ટીમની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

સંજુ સેમસનને તક ના મળી

સંજુ સેમસનને અહીં પણ તક ન મળતાં ચાહકોને પણ આશ્ચર્ય થયું છે. તે પહેલાથી જ વર્લ્ડ કપમાં નહોતો, પરંતુ અહીં જ્યારે અન્ય ખેલાડીઓને પણ તક મળી રહી છે જેઓ વર્લ્ડ કપની ટીમમાં સામેલ થવાની રેસમાં નથી, ત્યારે સંજુ સેમસનનું નામ ન હોવાને કારણે ચાહકો ગુસ્સે થયા છે અને BCCI  પર સતત પ્રહારો કરી રહ્યા છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">