T20 WC Breaking : અભિષેક કે સંજુ… આફ્રિકા સામે કોણ કરશે ઈશાન સાથે ઓપનિંગ? કેપ્ટન સૂર્યાએ આપ્યો જવાબ

T20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 રાઉન્ડમાં દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ભારતીય ટીમમાં કોઈ મોટા ફેરફારની અપેક્ષા નથી. સૌથી મોટો પ્રશ્ન અભિષેક શર્મા અને સંજુ સેમસન વિશે છે, જેનો જવાબ ખુદ કેપ્ટને આપી દીધો છે.

T20 WC Breaking : અભિષેક કે સંજુ... આફ્રિકા સામે કોણ કરશે ઈશાન સાથે ઓપનિંગ?  કેપ્ટન સૂર્યાએ આપ્યો જવાબ
Abhishek & Sanju
Image Credit source: PTI/X
| Updated on: Feb 21, 2026 | 7:43 PM

ભારત અને દક્ષિણ આફ્રિકા T20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 રાઉન્ડમાં ટકરાશે. આ અગાઉના T20 વર્લ્ડ કપ ફાઈનલનું પુનરાવર્તન હશે. રવિવાર, 22 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી આ મેચને લઈને ઘણી અપેક્ષાઓ છે. સ્ટાર ઓપનર અભિષેક શર્મા સતત ત્રણ મેચમાં શૂન્ય રન પર આઉટ થયા બાદ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જોકે, કેપ્ટન સૂર્યકુમાર યાદવે સ્પષ્ટ કર્યું છે કે અભિષેક પોતાનું સ્થાન જાળવી રાખશે.

સંજુ સેમસનને આફ્રિકા સામે તક મળશે?

સુપર 8 રાઉન્ડમાં ટીમ ઈન્ડિયાની પહેલી મેચના એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં પ્લેઈંગ ઈલેવનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તેનું કારણ અભિષેક શર્માનું ફોર્મ તેમજ સંજુ સેમસનના લાંબા પ્રેક્ટિસ સેશન હતા. શુક્રવારના પ્રેક્ટિસ સત્ર સેશનમાં સેમસને નેટમાં ખૂબ જ બેટિંગ કરી, જે સામાન્ય રીતે જ્યારે બેટ્સમેનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે છે ત્યારે પ્રેક્ટિસ રૂટિન અનુસરવામાં આવે છે. આ ઘટનાએ ટીમ ઈન્ડિયા સુપર 8 રાઉન્ડમાં અભિષેકની જગ્યાએ સેમસનને લઈ શકે છે કે કેમ તે અંગે ઉત્સુકતા જગાવી છે.

અભિષેક-તિલકમાંથી કોઈ બહાર થશે?

જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યકુમાર યાદવને પ્લેઈંગ ઈલેવનમાં સેમસનના સ્થાન વિશે પૂછવામાં આવ્યું, ત્યારે ભારતીય કેપ્ટને આ મુદ્દાને ફગાવી દીધો. સૂર્યાએ જવાબ આપ્યો- “શું તમે મને અભિષેકની જગ્યાએ તેને રમાડવાનું સૂચન કરો છો?” જ્યારે ત્રીજા નંબર પર બેટિંગ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે પણ કેપ્ટને એવી જ રીતે જવાબ આપ્યો, “તો શું મારે તેને તિલકની જગ્યાએ રમાડવો જોઈએ?”

 

ટીમના પ્રદર્શનથી કેપ્ટન ખુશ

સૂર્યાએ પછી ટીમના પ્રદર્શન પર સંતોષ વ્યક્ત કરતા કહ્યું કે ટીમે દ્વિપક્ષીય મેચોમાં વધુ રન બનાવીને અપેક્ષાઓ વધારી છે. તેણે કહ્યું, “બધું સારું ચાલી રહ્યું છે. અમે હાલમાં પાવરપ્લેમાં 40-50 રન બનાવી રહ્યા છીએ. અમે દ્વિપક્ષીય મેચોમાં ખૂબ સારું ક્રિકેટ રમ્યું છે. ક્યારેક આપણને આપણી જાત પર 220-240 રન બનાવવાની અપેક્ષા હોય છે. પરંતુ અહીં વિકેટ થોડી અલગ છે, અમે જે ચાર મેચ રમી છે તે અલગ રહી છે.”

ટોસ પહેલા બદલાશે ટીમ?

સંજુ સેમસનને આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી ફક્ત એક જ મેચમાં રમવાની તક મળી છે, જ્યારે અભિષેક શર્મા બીમાર પડ્યો હતો. સેમસનને નામિબિયા સામેની મેચમાં તક આપવામાં આવી હતી, જ્યાં તેણે 8 બોલમાં 22 રન બનાવ્યા હતા. જોકે, ત્યારથી તેને તક મળી નથી. ટોપ ઓર્ડરમાં જગ્યાના અભાવ અને મિડલ ઓર્ડરમાં તેના ખરાબ રેકોર્ડને કારણે સેમસનને હાલ રાહ જોવી પડી શકે છે. જોકે, ટોસ પર પ્લેઈંગ ઈલેવનની જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈપણ ફેરફાર શક્ય છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, શિવમ દુબે, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહ.

Breaking News: ભારતીય મહિલા ટીમે ઈતિહાસ રચ્યો, ઓસ્ટ્રેલિયા ને તેના જ ઘરમાં આપી માત