
મિડિલ ઈસ્ટમાં તણાવ વધી રહ્યો છે. અમેરિકા અને ઈઝરાયલે 28 ફેબ્રુઆરીના રોજ ઈરાનમાં મિસાઈલથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખમાનેઈ અને અનેક ટોચના સુરક્ષા અધિકારીઓ માર્યા ગયા છે. આ ઘટનાએ આખા મિડિલ ઈસ્ટને યુદ્ધની આગમાં ઝપેટમાં લીધું છે. તેમજ ઈરાને જવાબી કાર્યવાહીમાં ઈઝરાયલ ખાડી વિસ્તાર તેમજ અમેરિકી ઠેકાણા પર મિસાઈલ છોડી છે. જેની અસર હવે ભારત અને શ્રીલંકાની મેજબાનીમાં રમાઈ રહેલા ટી20 વર્લ્ડકપ પર પડી છે.
ટી20 વર્લ્ડકપ 2026માં ઝિમ્બાબ્વેની ટીમ માટે એક મોટી મુશ્કેલી ઉભી થઈ છે. ટૂર્નામેન્ટમાંથી બહાર થયા બાદ ટીમ ભારતથી ઘરે જવાની તૈયારી કરી રહી હતી. પરંતુ વેસ્ટ એશિયામાં હવાઈ ક્ષેત્ર બંધ રહેવાના કારણે તેની વાપસી મુશ્કેલી છે. ઝિમ્બાબ્વેએ પોતાની છેલ્લી મેચ રવિવારના રોજ સાઉથ આફ્રિકા વિરુદ્ધ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમી હતી. જેમાં તે હારી ગઈ હતી. સુપર-8માંથી બહાર થયા બાદ ટીમનું અભિયાન પૂર્ણ થયું હતુ.
યોજના મુજબ ટીમ સોમવાર સવારે અલગ -અલગ બેન્ચેમાં દિલ્હીમાંથી વાપસી હરારે માટે રવાના થવાની હતી. તેઅમીરાત એરલાઇન્સમાં ઉડાન ભરવાના હતા. કેટલાક સભ્યો સવારે 4:30 વાગ્યે રવાના થવાના હતા, જ્યારે અન્ય લોકો મોડી રાત્રે રવાના થવાના હતા. જોકે, ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પછી પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે. દુબઈ જેવા મુખ્ય પરિવહન કેન્દ્રો પ્રભાવિત થયા છે, મોટાભાગની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અથવા રૂટ બદલવામાં આવ્યો છે, જેના કારણે ઝિમ્બાબ્વે ટીમનું પરત ફરવાનું મોડું થયું છે.
ઝિમ્બાબ્વેની ટીમ હાલમાં દિલ્હીમાં રોકાય છે. તેના માટે હોટલમાં 4 દિવસની વ્યવસ્થા કરવામાં આવી છે. આઈસીસીએ સ્થિતિ પર નજર રાખતા કંટીજેન્સી પ્લાન પર કામ કરવાનું શરુ કર્યું છે. ટુર્નામેન્ટના આયોજકો બીજા રુટ અને એરલાઈન્સની શોધમાં લાગેલી છે. જેમ યુરોપીય, સાઉથ એશિયાઈ કે સાઉથ ઈર્સ્ટ એશિયાઈ હબથી રસ્તો નિકાળી શકાય છે. આઈસીસીએ ટ્રાવેલ સપોર્ટ ડેસ્ક પણ શરુ કર્યો છે. તેમજ સિક્યોરીટી કંસલ્ટેટ્સની સાથે મળી રિયલ ટાઈમ અપડેટ લેવામાં આવી રહ્યું છે.