AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023 Final Weather Update: ફાઈનલ મેચમાં ફરી વરસાદ બનશે વિલન? જાણો રિઝર્વ ડે પર કેવો રહેશે મોસમનો મિજાજ

IPL 2023 Final: રવિવારે આઈપીએલની ફાઈનલ મેચના દિવસે વરસાદ રહેવાની સંભાવના હળવી હોવાનુ અનુમાન હતુ, પરંતુ વરસાદની બેટિંગે અસલી બેટિંગની મજા ધોઈ નાંખી હતી. આવામાં સોમવારે કેવુ રહેશે વાતાવરણ એ સવાલ થઈ રહ્યો છે.

IPL 2023 Final Weather Update: ફાઈનલ મેચમાં ફરી વરસાદ બનશે વિલન? જાણો રિઝર્વ ડે પર કેવો રહેશે મોસમનો મિજાજ
Ahmedabad Weather Update Rain Forecast
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 9:03 AM
Share

IPL 2023 Final ની મજા માટે એક દિવસની વધારે રાહ ચાહકોએ જોવી પડી છે. રવિવારે અમદાવાદને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાનારી હતી. પરંતુ વરસાદ ટોસના થોડા સમય પહેલા જ વરસવો શરુ થઈ જતા મેદામાં પાણી પાણી થઈ ગયુ હતુ. વરસાદ વચ્ચે વિરામ લેતા રમત માટે તૈયાર કરવાની શરુઆત કરાઈ હતી, ત્યાં જ ફરી વરસાદી માહોલ શરુ થવાને લઈ આખરે મેચને રિઝર્વ ડે પર રમાડવાનો નિર્ણય થયો હતો. આમ હવે આજે સોમવારે 29 મે એ મેચ રમાશે. હવે ચિંતા એ વાતની છે કે, આજે પણ વરસાદ વિલન બનીને નહીં આવી પહોંચેને.

પહેલા લીગ તબક્કામાં પ્લેઓફમાં કઈ કઈ ટીમ પહોંચશે એ જાણવા માટે અંતિમ મેચ સુધી રાહ જોવી પડી હતી. પ્લેઓફની રેસ જબરદસ્ત રહી હતી. બાદમાં હવે ફાઈનલ માટે લાંબી રાહ જોવી પડી છે. મેચ શરુ થવાના પહેલા જ વરસાદ વરસવો શરુ થઈ જતા મેચની મજા રવિવારે ધોવાઈ ગઈ હતી. જોકે હવે મેચ સોમવારે રમાઈ રહી છે અને વરસાદની આગાહી રિઝર્વ ડે પર મજામાં કંઈક ખલેલ પહોંચાડનારા સમાચાર સાથેની છે.

સોમવારે કેવુ રહેશે વાતાવરણ?

સૌથી મોટો સવાલ ક્રિકેટ ચાહકોને એ થઈ રહ્યો છે કે, સોમવારે અમદાવાદમાં વાતાવરણ કેવુ રહેશે. એક્યુવેધર વેબસાઈટના મુજબ અમદાવાદમાં સોમવારે વાતાવરણ એકદમ સાફ રહી શકે છે. કેટલાક સમયે વાદળો છવાયેલા જોવા મળી શકે છે. વરસાદની સંભાવના જોવામાં આવે તો દિવસે ઓછી છે, હળવો વરસાદ થઈ શકે છે. સાંજે 5 કલાક બાદ કેટલાક સમય માટે વરસાદની સંભાવના વર્તાઈ રહી છે, જેની આગાહી 50 ટકા થી વધારે કરવામાં આવી છે.

સાંજે 5 કલાક બાદ વરસાદની સંભાવના દર્શાવાઈ છે તે સાંજના 6 કલાક બાદ પણ થોડોક સમય માટે વરસાદ વરસી શકે છે. જોકે ત્યારબાદ વરસાદની સંભાવના હાલતો ઓછી દર્શાવાઈ રહી છે. સાંજે 7 થી 8 કલાક દરમિયાન વાદળો ઘેરાયેલા રહેશે. આમ મેચના ટોસ સમયે વરસાદની ખલેલ શરુઆત મોડી કરાવી શકે છે. પરંતુ મેચ રમાઈ શકે છે. આ પહેલા રવિવારના વાતવરણ અપડેટ મુજબ હળવા વરસાદનુ જ અનુમાન કરવામાં આવ્યુ હતુ. પરંતુ સાંજે વાદળો વરસ્યા તો પૂરો દિવસ જ ધોવાઈ ગયો હતો.

આ પણ વાંચોઃ CSK vs GT IPL 2023 Final: મોદી સ્ટેડિયમની એક તસ્વીર વાયરલ થઈ અને મચી ગઈ હલચલ! ચેન્નાઈના ચાહક ભડક્યા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
g clip-path="url(#clip0_868_265)">