મુંબઈના પૂર્વ ક્રિકેટર અને જાણીતા કોચ વાસુ પરાંજપે (Vasoo Paranjape)નું સોમવારે (30 ઓગસ્ટ) નિધન થયું. તેઓ 82 વર્ષના હતા. તેમણે 1956 અને 1970ની વચ્ચે મુંબઈ અને બરોડા માટે 29 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. તેમની પ્રથમ વર્ગ ક્રિકેટ કારકિર્દીમાં તેમણે 23.78ની સરેરાશથી 785 રન બનાવ્યા હતા. સાથે જ નવ વિકેટ પણ ઝડપી હતી. તેમના રમવાના દિવસો દરમિયાન તેઓ મુંબઈની સ્થાનિક ક્રિકેટમાં દાદર યુનિયન તરફથી રમતા હતા.
જે ટીમ સૌથી શક્તિશાળી ટીમોમાંની એક હતી અને તેમાં ઘણા સ્ટાર ખેલાડીઓ રમતા હતા. વાસુ પરાંજપેનો જન્મ 21 નવેમ્બર 1938ના રોજ ગુજરાતમાં થયો હતો. જતીન પરાંજપે તેનો પુત્ર છે જે ભારત માટે રમી ચૂક્યો છે. આ સાથે જતીન રાષ્ટ્રીય પસંદગીકાર પણ રહી ચૂક્યા છે.
ખેલાડી તરીકે નિવૃત્ત થયા પછી વાસુ પરાંજપે કોચ બન્યા હતા. તેઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે સફળ થવા માટે ઘણા ક્રિકેટરોને મદદ કરી હતી. જેમાં સચિન તેંડુલકર (Sachin Tendulkar), સુનીલ ગાવસ્કર, દિલીપ વેંગસરકર, રાહુલ દ્રવિડ અને રોહિત શર્મા જેવા નામોનો સમાવેશ થાય છે. વાસુ ઘણી ટીમોના કોચ હતા. તેઓ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના કોચ પણ હતા. રવિ શાસ્ત્રી, વિનોદ કાંબલી સહિત અનેક દિગ્ગજોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
શાસ્ત્રીએ ટ્વીટ કરીને લખ્યું ‘વાસુ પરંજપેના નિધનથી ખૂબ જ દુ:ખી છું. તે રમતગમતની સંપૂર્ણ સંસ્થા હતી અને તે જે પણ કરે તે હકારાત્મક અભિગમ સાથે કરતી હતી. જતીન અને પરિવારને સાંત્વના. તેમના આત્માને તેમના ચરણોમાં શાંતિ મળે.
Really saddened at the demise of Vasoo Paranjape. He was an institution in the game with a real positive vibe in whatever he did. Condolences to @jats72 and the family. God bless his soul 🙏🏻 pic.twitter.com/LlIkaB242Q
— Ravi Shastri (@RaviShastriOfc) August 30, 2021
અનિલ કુંબલેએ લખ્યું હતુ વાસુ પરંજપેના નિધન અંગે સાંભળીને દુઃખ થયું. રાષ્ટ્રીય શિબિરમાં મારી કારકિર્દીના પ્રથમ બે વર્ષ તેમના માર્ગદર્શન હેઠળ વિતાવ્યા હતા. આ સમય દરમિયાન ઘણું શીખ્યો હતો. તેમની યાદ આવશે. જતીન અને પરિવારને મારી સંવેદના.
Saddened to hear the passing of Vasu Paranjape. Two years of my formative years at the National camp was a great learning under his tutelage. He will be missed. My condolences to @jats72 and family. 🙏🏽
— Anil Kumble (@anilkumble1074) August 30, 2021
રોહિત શર્માએ ગયા વર્ષે જ કહ્યું હતું કે વાસુ પરાંજપેનો તેમની કારકિર્દીની પ્રગતિમાં મોટો ફાળો છે. તેમણે કહ્યું હતું કે ‘હું હજુ પણ વાસુ સરના સંદેશની રાહ જોઉં છું. હું જાણું છું કે વાસુ સર જ્યારે પણ તક મળે ત્યારે મારી મેચ જોતા. મારા પર વિશ્વાસ કરો, તેમની તરફથી કોઈપણ નાનું સૂચન ખૂબ મૂલ્યવાન હોય છે. દરેક ઈનિંગ્સ પછી હું તેમની સલાહ સાંભળવા આતુર છું.
સુનિલ ગાવસ્કરને ‘સની’નું ઉપનામ વાસુ પરાજંપે દ્વારા આપવામાં આવ્યું હતું. ક્રિકેટની સાથે સાથે વાસુ પરાંજપે ક્રિકેટરોને અન્ય બાબતોમાં પણ મદદ કરતા હતા. તેમનો આવો જ એક કિસ્સો સંદીપ પાટીલ સાથે જોડાયેલો છે. સંદીપ પાટિલ જેની સાથે લગ્ન કરવા માંગતા હતા, તે યુવતીનો પરિવાર સહમત ન હતો. પછી વાસુએ યુવતીના માતા-પિતાને કહ્યું ‘જો મને દીકરી હોત તો હું તેના લગ્ન સંદીપ સાથે કરાવતો. આ પછી સંદીપના લગ્ન દીપા સાથે થયા હતા.