
ટીમ ઈન્ડિયા આયરલેન્ડ પછી ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝ હારી ગઈ છે. આયરલેન્ડમાં 2-0થી હાર્યા બાદ ઈંગ્લેન્ડ સામેની 4 મેચમાં ભારત 3-0થી પછડાયું છે. હજુ એક આ સીરિઝની એક મેચ બાકી છે.પરંતુ આનાથી કોઈ મોટો ફેર પડશે નહી. હવે સવાલ એ ઉભો થાય છે કે, થોડા મહિના પહેલા ટી20 વર્લ્ડકપની ચેમ્પિયન બનેલી ટીમની હાલત આટલી ખરાબ કેવી રીતે થઈ? ત્યારબાદ જાણીએ શું આ પ્રવાસ પર ભારતીય ટીમ સંપૂર્ણ રીતે ફેલ રહી છે.
ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ ટુર પર હજુ સુધી એક પણ જીત મળી નથી. કારણ કે, ઓપનિંગ જોડી સારું પ્રદર્શન કરી શકી નથી. પહેલી 3 મેચમાં સંજુ સેમસન અને અભિષેક શર્માએ ઈનિગ્સની શરુઆત કરી હતી. જ્યારે 3 મેચમાં અભિષેક શર્માની સાથે વૈભવ સૂર્યવંશી ઓપનર તરીકે ઉતર્યો હતો. 6 ઈનિગ્સમાં એક વખત જ 50 રનની પાર્ટનરશીપ કરી શકી હતી. જે હારનું સૌથી મોટા કારણમાંથી એક છે.
ઈશાન કિશન આ પ્રવાસ પર નંબર વન બેટ્સમેન ટી20 ક્રિકેટમાં બન્યો છે પરંતુ તેનું પ્રદર્શન ખુબ ખરાબ રહ્યું છે. છેલ્લી 6 મેચમાં તેના બેટમાંથી માત્ર 79 રન આવ્યા હતા. જેમાં એક મેચમાં જ 49 રન બનાવ્યા છે. આ સિવાય તિલક વર્મા 125 રન 6 ઈનિગ્સમાં બનાવી શક્યો હતો. તેની સાથે સમસ્યા એ છે કે, મેચ ફિનિશ કરી શક્યો નથી. સ્પીડમાં રન બનાવી શક્યો નથી. જેનાથી ટીમ ઈન્ડિયાને નુકસાન થઈ રહ્યું છે.
ટીમ ઈન્ડિયા ફિનિશર્સની ગેરહાજરી પ્રવાસમાં જોવા મળી છે. રિંકુ સિંહનું આ પ્રવાસ પર સિલેક્શન થયું ન હતુ. જ્યારે હાર્દિક પંડ્યા ઈજાના કારણે બહાર હતો. નીતિશ કુમાર રેડ્ડી પણ ઈજાના કાણે પ્રવાસમાંથી બહાર છે. ત્યારે અક્ષર પટેલ,વોશિંગ્ટન સુંદર અને હર્ષિત રાણાને ફિનિશરની ભૂમિકા નિભાવવી પડી છે. જે પુરી રીતે ફ્લોપ રહી છે.
આયરલેન્ડ બાદ ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની ખરાબ બોલિંગ સામે આવી છે. એક-એક ઓવરમાં 27 થી 29 રન આપ્યા હતા. તો ક્યારેક વિકેટ માટે બોલરનો પરસેવો છુટી ગયો હતો. અર્શદીપ સિંહને છોડી અન્ય બોલર આશા પર સાચા ઉતર્યા નહી. પછી વાત સ્પિનરની આવે કે ઓલરાઉન્ડરની પ્રદર્શન સારું રહ્યું ન હતુ.
કેપ્ટન અને કોચની ભૂમિકા પર સવાલ ઉઠી રહ્યા છે. તેને હારનો જવાબદાર કેપ્ટન કહેવામાં આવે છે. શ્રેય અય્યર અને કોચે સ્પિનર પર વધારે વિશ્વાસ કર્યો, જ્યારે ઈંગ્લેન્ડમાં હંમેશા ફાસ્ટ બોલર સારું પ્રદર્શન કરે છે. 3-3 સ્પિનરની સાથે તે ઉતર્યો હતો. જેનું નુકસાન ભારતે ભોગવવું પડ્યું હતુ.