
કેપ્ટનનો લક્ષ્ય માત્ર મેચ જીતવાનો જ નથી હોતો. કેપ્ટનનું કામ એ નક્કી કરે છે કે, કેવી રીતે પોતાના ખેલાડીઓનો આત્મવિશ્વાસ બનાવી રાખે. આઈપીએલ 2026માં પંજાબ કિંગ્સની સફળતાની પાછળ આ કારણ છે કે, આ ટીમ એક બાદ એક મેચ જીતી રહી છે. તેના કારણે કેપ્ટન શ્રેયસ અય્યરના મગજમાં આ વાત આવી હતી.પંજાબ કિંગ્સમાં ચાલી રહેલી મેચનો ખુલાસો લખનૌ સુપર કિંગ્સ પર મળેલી જીત બાદ ખુબ શ્રેયસ અય્યરે લીધો છે.
કેપ્ટન શ્રેયસ અય્યરના મુજબ પંજાબ કિંગ્સના ખેલાડીઓમાં સૌથી વધારે સિક્સ ફટકાવવાની રેસ લાગી છે. આઈપીએલ 2026માં રમાયેલી 29 મેચ બાદ પંજાબ કિંગ્સ સૌથી વધારે સિક્સ ફટકાવનારી ટીમ બની છે. આ કારણથી શ્રેયસ અય્યરે ટીમના ખેલાડીઓ વચ્ચે એક રેસ શરુ કરી છે. આનો ઉલ્લેખ તેમણે લખનૌ સુપર જાયન્ટસ સામેની મેચ બાદ પુછવામાં આવ્યો કે,તે સિક્સ હિટિંગ ટીમ તરીકે સામે આવી રહી છે?
આ સવાલના જવાબમાં શ્રેયસ અય્યરે કહ્યું કે, પ્રિયાંશ આર્યા અને કૂપર કોનોલી સાથે વાત કરી છે અને તેમને કહ્યું કે, ચાલો ટીમમાં સૌથી વધારે સિક્સ ફટકાવવાની રેસ શરુ કરીએ. શ્રેયસ અય્યરના મુજબ જ્યારે તે તૈયાર થાય છે,તો તે ઈનામની જાહેરાત કરે છે. તેમણે કહ્યું કે, મેચ જીતનારને ઈનામમાં મારું બેટ મળશે.પંજાબ કિંગ્સના કેપ્ટન મુજબ ભલે તે અજીબ લાગે પરંતુ જ્યાં સુધી સારું ચાલી રહ્યું છે. ટીમ સારું પરફોર્મ કરી રહી છે. તો હું ખુશ છું.
લખનૌ સુપર જાયન્ટસ વિરુદ્ધ મેચમાં પંજાબ કિંગ્સ તરફથી 21 સિક્સ ફટકાવી છે. જેમાંથી 16 સિક્સ માત્ર પ્રિયાંશ આર્યા અને કૂપર કોનોલીના નામ છે. પ્રિયાંશે 9 સિક્સ જ્યારે કોનોલીએ 7 સિકસ ફટકારી છે. આઈપીએલ 2026માં અત્યારસુધી સૌથી વધારે સિક્સ ફટકાવનાર ઓવરઓલ બેટ્સમેનની રેસમાં પ્રિયાંશ આર્યા 20 સિક્સ સાથે બીજા નંબર પર છે.તે અત્યાર સુધી પંજાબ કિંગ્સનો સૌથી વધુ છગ્ગા મારનાર બોલર છે. કૂપર કોનોલી અને શ્રેયસ ઐયર 14-14 છગ્ગા મારીને તેની પાછળ છે, જ્યારે પ્રભસિમરન સિંહે અત્યાર સુધીમાં 11 છગ્ગા મારી દીધા છે.
લખનૌ સામે મેચ બાદ પ્રિયાંશ આર્યાને સવાલ પુછવામાં આવ્યો કે,સિક્સર ફટકારવાની તૈયારી કેવી રીતે કરે છે? તેના જવાબમાં પંજાબના ઓપનરે કહ્યું કે, સિક્સ ફટકાવવાની પ્રેક્ટિસ કરતો નથી, પરંતુ તેને યોગ્ય રીતે ટાઇમિંગ આપે છે. આનાથી તેને ફાયદો થાય છે.