Breaking News: IPL 2026 દરમિયાન દુઃખદ સમાચાર, વિરાટ કોહલી સાથે રમનાર ગિલનું અવસાન

IPL 2026 વચ્ચે ભારતીય ક્રિકેટ માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વિરાટ કોહલી સાથે રમનાર ગિલનું માત્ર 36 વર્ષની વયે નિધન થયું છે. IPL 2026 દરમિયાન આ ક્રિકેટરના નિઘનથી ક્રિકેટ જગતમાં શોકનું વાતાવરણ ફેલાયું છે.

Breaking News: IPL 2026 દરમિયાન દુઃખદ સમાચાર, વિરાટ કોહલી સાથે રમનાર ગિલનું અવસાન
Cricketer death
Image Credit source: X
| Updated on: May 06, 2026 | 7:14 PM

IPL 2026 સિઝન દરમિયાન દુ:ખદ સમાચારે સમગ્ર ભારતીય ક્રિકેટ જગતને હચમચાવી નાખ્યું છે. પંજાબના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અને વિરાટ કોહલી સાથે અંડર-19 ખેલાડી અમનપ્રીત સિંહ ગિલનું અવસાન થયું છે. ગિલનું માત્ર 36 વર્ષની ઉંમરે અવસાન થયું. પંજાબ ક્રિકેટ એસોસિએશને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, ચાહકોને તેમના નિધનની જાણ કરી અને તેમની ઊંડી સંવેદના વ્યક્ત કરી.

વિરાટ કોહલી સાથે રમવાની તક મળી

ચંદીગઢમાં જન્મેલા અમનપ્રીત સિંહ ગિલે પંજાબ ક્રિકેટ ટીમ માટે ઘરેલુ ક્રિકેટ રમી હતી. તેણે શ્રીલંકામાં 2007માં અંડર-19 ત્રિકોણીય શ્રેણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જ્યાં તે વિરાટ કોહલી અને મનીષ પાંડે જેવા ખેલાડીઓ સાથે રમ્યો હતો. તે શ્રેણીમાં અમનપ્રીતે 5 મેચમાં 9 વિકેટ લીધી હતી, જેમાં ફાઈનલમાં બાંગ્લાદેશ સામે મેચ-વિનિંગ સ્પેલનો પણ સમાવેશ થાય છે.

 

IPLમાં કિંગ્સ XI પંજાબ ટીમમાં સામેલ

અમનપ્રીતે પંજાબ માટે 6 ફર્સ્ટ-ક્લાસ મેચ પણ રમી હતી. IPLના શરૂઆતના વર્ષોમાં તે કિંગ્સ XI પંજાબ (હવે પંજાબ કિંગ્સ) ટીમનો ભાગ હતો, જોકે તેને કોઈ મેચમાં રમવાની તક મળી ન હતી. બાદમાં તેણે પંજાબ સિનિયર પસંદગી સમિતિના સભ્ય તરીકે સેવા આપી હતી.

પંજાબ ક્રિકેટ એસોસિએશને દુઃખ વ્યક્ત કર્યું

પંજાબ ક્રિકેટ એસોસિએશને અમનપ્રીત સિંહ ગિલના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. PCA એ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે અમનપ્રીત સિંહ ગિલે સમર્પણ અને જુસ્સાથી પંજાબ ક્રિકેટની સેવા કરી. એસોસિએશને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને દિવંગત આત્માને શાંતિ મળે અને પરિવારને આ મુશ્કેલ સમયમાં શક્તિ મળે તે માટે પ્રાર્થના કરી.

Breaking News: પાકિસ્તાની ખેલાડીઓને ભારતમાં રમવાની મંજૂરી, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

 

Follow Us