
આઈપીએલના પોઈન્ટ ટેબલમાં ખુબ મોટો ફેરફાર જોવા મળ્યો છે. એક એક મેચ બાદ પોઈન્ટ ટેબલમાં ફેરફાર થાય છે. આ વચ્ચે રાજસ્થાન રોયલ્સે આ વર્ષની પોતાની પહેલી હારનો સામનો કરવો પડ્યો છે. જેનાથી તેને ખુબ મોટું નુકસાન થયું છે. તો સનરાઈઝર્સ હૈદરાબાદે વધુ એક મેચ જીતી પોઈન્ટ ટેબલમાં લાંબી છલાંગ લગાવી છે. આઈપીએલની 21મી મેચ બાદ શું ફેરફાર થયો ચાલો તેના પર નજર કરીએ.
ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનમાં સોમવારે રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી. આંકડાના હિસાબથી રાજસ્થાનની ટીમ જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી પરંતુ હૈદરાબાદે શાનદાર પ્રદર્શન કરી મેચ પોતાને નામ કરી હતી. પહેલા બેટિંગ કરી હૈદરાબાદની ટીમે 6 વિકેટ પર 216 રનનો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ રાજસ્થાનની બેટિંગ આવી તો ટીમને શરુઆતમાં ખુબ મોટા ઝટકા લાગ્યા હતા. ટીમ માત્ર 159 રન જ બનાવી શકી હતી. રાજસ્થાન રોયલ્સે 57 રનથી હરાવ્યું હતુ.
આ હાર બાદ રાજસ્થાન રોયલ્સની ટીમે 2 પોઈન્ટ ગુમાવ્યા છે. તેમજ તેના રનરેટમાં પણ ખુબ મોટું નુકસાન થયું છે. રાજસ્થાન રોયલ્સ પાસે હવે 5 મેચમાં 8 પોઈન્ટ છે. પરંતુ નેટ રન રેટમાં નુકસાનથયું છે. પંજાબ કિંગ્સની ટીમે 4 મેચ રમી 3માં જીત મેળવી છે. તેની પાસે 7 પોઈન્ટ છે. આરસીબીની ટીમે 4 મેચ રમી છે. 3 મેચમાં જીત મેળવી છે. તેની પાસે 6 પોઈન્ટ છે. તે હજુ ત્રીજા નંબર પર છે.
આ વચ્ચે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે લાંબી છલાંગ લગાવી છે. તેમજ સીધા નંબર 4 પર પહોંચી છે. સારા નેટ રન રેટના કારણે હૈદરાબાદની ટીમ ટોપ 4માં છે. દિલ્હી કેપિટલ્સ,ગુજરાત ટાઈટન્સ અને લખૌન પાસે પણ 4 પોઈન્ટ છે.
વાત જો પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહેલી ટીમની આવે તો મુંબઈ ઈન્ડિયન્સ અને સીએસ કે પાસે હજુ 2 પોઈન્ટ છે. આ ટીમ 8 અને નવમાં નંબર પર છે. કેકેઆરની ટીમ હજુ નંબર 10 પર સંધર્ષ કરી રહી છે. કેકેઆરે 4 મેચ રમી છે પરંતુ એક પણ મેચ જીતી નથી. એક મેચ વરસાદના કારણે રમાઈ ન હતી. જેના કારણે તેને એક પોઈન્ટ આપવામાં આવ્યો હતો. હજુ ટીમ પહેલી જીતની રાહ જોઈ રહી છે.