
IPL 2026 ની 40મી મેચમાં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સે પ્લેઈંગ ઈલેવનમાંથી ચાર ખેલાડીઓને બહાર કર્યા હતા. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ જીત્યા બાદ, રિયાન પરાગે ટીમમાં બે મહત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરી હતી.
શિમરોન હેટમાયર અને રવિ બિશ્નોઈને બહાર કરવામાં આવ્યા, તેમના સ્થાને દાસુન શનાકા અને યશ પુંજાને સામેલ કરવામાં આવ્યા. શ્રેયસ અય્યરે પણ પોતાની ટીમમાં બે ફેરફારોની જાહેરાત કરી. શશાંક સિંહની જગ્યાએ સૂર્યાંશ શેડગે, જ્યારે ઝેવિયર બાર્ટલેટની જગ્યાએ લોકી ફર્ગ્યુસનને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.
પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, શ્રેયસ અય્યર, કૂપર કોનેલી, સૂર્યાંશ શેડગે, નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઈનિસ, માર્કો યાનસન, લોકી ફર્ગ્યુસન, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ.
વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, ડોનોવન ફરેરા, રવિન્દ્ર જાડેજા, દાસુન શનાકા, જોફ્રા આર્ચર, નંદ્રે બર્ગર, બ્રિજેશ શર્મા અને યશ રાજ પુંજા.
શિમરોન હેટમાયરને બાકાત રાખવાની જરૂર હતી, કારણ કે આ બેટ્સમેન IPL 2026 માં સંપૂર્ણ નિષ્ફળ રહ્યો છે. હેટમાયર છ મેચમાં 14.40 ની સરેરાશથી માત્ર 72 રન બનાવી શક્યો છે, જેનો સ્ટ્રાઇક રેટ 116.12 છે. રવિ બિશ્નોઈએ 11 વિકેટ લીધી છે, પરંતુ તેને બહાર કરવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી.
પંજાબ કિંગ્સે શશાંક સિંહને ડ્રોપ કર્યો હતો કારણ કે તે સંપૂર્ણપણે ફિટ નથી. શશાંક સિંહે છેલ્લી બે મેચમાં ખરાબ ફિલ્ડિંગ કરી હતી, એક મેચમાં ત્રણ કેચ છોડ્યા હતા. જોકે, આમ છતાં પંજાબે મેચ જીતી લીધી. ઝેવિયર બાર્ટલ્સે આ સિઝનમાં સાત મેચમાં પાંચ વિકેટ લીધી હતી, જેનો ઇકોનોમી રેટ પ્રતિ ઓવર 11 રનથી વધુ હતો. છતાં તેણે પણ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો.