
જ્યારે શાર્દુલ ઠાકુર મેદાન પર હોય છે, ત્યારે વિરોધી ટીમ ક્યારેય આરામ કરી શકતી નથી, કારણ કે તે ઘણીવાર પોતાની બોલિંગથી જાદુ સર્જે છે. ઠાકુરે પંજાબ કિંગ્સ સામે પણ આ જાદુ કર્યો હતો. શાર્દુલે પંજાબ કિંગ્સ સામે ચાર ઓવરમાં 39 રન આપ્યા હતા, પરંતુ તેણે ચાર વિકેટ પણ લીધી હતી. ઠાકુરે પ્રભસિમરન સિંહ, શ્રેયસ અય્યર, સૂર્યાંશ શેડગે અને માર્કો જાનસેનની વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુરને આ સિઝનમાં ખૂબ ઓછી તક મળી છે, પરંતુ તેણે ધર્મશાલામાં મેદાનમાં ઉતરીને સિઝનનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.
શાર્દુલ ઠાકુરને બોલિંગ મળતાની સાથે જ તેણે મુંબઈ ઈન્ડિયન્સને સફળતા અપાવવાનું શરૂ કર્યું. તેણે પહેલા પ્રભસિમરન સિંહને આઉટ કર્યો, જે મુંબઈ ઈન્ડિયન્સ માટે ખતરો સાબિત થઈ રહ્યો હતો. પ્રભસિમરને 32 બોલમાં 57 રન બનાવ્યા હતા. ઠાકુરે તેને કોર્બિન બોશના હાથે કેચ આઉટ કરાવ્યો.
ત્યારબાદ શાર્દુલ ઠાકુરે પંજાબ કિંગ્સના કેપ્ટનને શાનદાર બોલથી બોલ્ડ કર્યો. શ્રેયસ અય્યરે ઠાકુરના પહેલા બોલ પર ફોર ફટકારી, પરંતુ તેણે આગલી બોલ પર પંજાબના કેપ્ટનને બોલ્ડ કર્યો. આ બોલ એટલો શાનદાર હતો કે અય્યરને ખ્યાલ પણ ન આવ્યો કે તેને બોલ્ડ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ઠાકુરે સૂર્યાંશ શેડગેને રાજ બાવાના હાથે કેચ આઉટ કરાવ્યો અને પછી માર્કો જેનસેનને બોલ્ડ કરવામાં સફળ રહ્યો.
Comes in. Strikes hard. Changes the game. ♂️
Updates ▶️ https://t.co/idtc2OTLbP#TATAIPL | #KhelBindaas | #PBKSvMI pic.twitter.com/s1ZcIlBlzO
— IndianPremierLeague (@IPL) May 14, 2026
શાર્દુલ ઠાકુરને પંજાબનો દુશ્મન માનવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે IPLમાં શાર્દુલ ઠાકુરના ટોપ પાંચ પ્રદર્શનમાંથી ચાર પંજાબ સામે આવ્યા છે. તેણે પંજાબ સામે બે વાર ચાર વિકેટ અને બે વાર ત્રણ વિકેટ લીધી છે. એ સ્પષ્ટ છે કે શાર્દુલ ઠાકુરને પંજાબ સામે બોલિંગનો આનંદ માણવો ગમે છે.
Published On - 10:27 pm, Thu, 14 May 26