
2019માં IPL ની Opening Ceremony રદ્દ થવાનું કારણ અલગ હતું. તે વર્ષ પુલવામા આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 40 સૈનિક શહીદ થયા હતા. આ કારણે BCCIએ
Opening Ceremony ન કરવાનો નિર્ણય લીધો હતો, અને કોરોનાના કારણે આ પરંપરા થોડા સમય સુધી રોકાઈ રહી. પછી આ Ceremony ફરીથી શરૂ થયી. ગયા વર્ષે કોલકાતામાં પ્રથમ મેચ પહેલાં ભવ્ય Opening Ceremony યોજાયી હતી . તેમાં શાહરુખ ખાન, શ્રેયા ઘોષાલ, દિશા પટની, અને કરણ ઓઝલાએ આ Ceremonyને વિશેષ બનાવી હતી.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ BCCIના સચિવ દેવજીત સેકિયાએ જણાવ્યું છે કે આ વખતે Opening Ceremony નહીં થાય. તેમણે જણાવ્યું કે આ વર્ષે IPLમાં Opening Ceremonyનું આયોજન નહીં થાય, પરંતુ BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલ ભવ્ય સમાપન સમારોહની યોજના બનાવી રહ્યા છે.
સીઝન 19ની પહેલી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે બેંગલુરુના M. Chinnaswamy સ્ટેડિયમમાં રમાશે. થોડા દિવસો પહેલા સુધી સ્પષ્ટ નહોતું કે આ સ્ટેડિયમમાં IPLના મેચ રમાશે કે નહીં, કારણ કે આ સ્ટેડિયમમાં રમવા પર પ્રતિબંધ લાગેલો હતો. ગયા વર્ષે IPLના અંત પછી અહીં એક દુઃખદાયક ઘટના બની હતી, જેમાં 11 લોકોની મૃત્યુ થઇ હતી.
વાસ્તવમાં, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગયા વર્ષે પોતાનો પહેલો IPL ખિતાબ જીત્યો હતો. RCBએ નિર્ણય કર્યો કે તે આગામી જ દિવસે પોતાના હોમ ગ્રાઉન્ડ (M. Chinnaswamy) પર ઉજવણી કરશે, જેમાં આખી ટીમ હાજર રહેશે. આ લેવામાં આવેલા નિર્ણયથી પહેલા મેનેજમેન્ટે ખાસ તૈયારી નહોતી કરી, અને ફેન્સ મોટી સંખ્યામાં સ્ટેડિયમના બહાર આવી ગયા. ટિકિટો પણ મફતમાં હોવાથી ભીડ વધુ વધી ગઈ, અને બધા અંદર જવા માંગતા હતા. સ્ટેડિયમના બહાર સર્જાયેલી દોડ-ધામ અને ગરમીમાં 11 ફેન્સની મોત થઈ ગઈ.
IPL 2026ની Opening Ceremony રદ્દ કરવામાં આવી છે, અને આ નિર્ણય 4 જૂનની ઘટનાને ધ્યાનમાં રાખીને લેવાયો છે. આ પગલું મૃતકો પ્રત્યે સન્માન અને શ્રદ્ધાંજલિ આપવા માટે લેવામાં આવ્યું છે.
સરકાર બદલતા બાંગ્લાદેશે અપનાવ્યું નરમ વલણ , IPL પરનો જૂનો નિર્ણય પાછો ખેંચાયો