
ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન એમએસ ધોની અને યુવા ક્રિકેટર સમીર રિઝવીને લઈને સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે, જેની અનેક પોસ્ટ અને વીડિયો ઝડપથી વાયરલ થયા છે. પોસ્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે સમીર રિઝવીએ ધોનીને ઈજામાંથી જલદી સાજા થવા માટે નમાઝ પઢવાની સલાહ આપી હતી, જે બાદ તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. જોકે, આ દાવા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ સહિત અનેક માધ્યમોમાં છેલ્લા કેટલાક દિવસોથી સમીર રિઝવી અને એમએસ ધોની સંબંધિત પોસ્ટ્સ વાયરલ થઈ રહી છે. કેટલાક યુઝર્સે દાવો કર્યો હતો કે IPL 2024 દરમિયાન ધોની ઘૂંટણની ઈજાથી પરેશાન હતો અને ત્યારે સમીર રિઝવીએ તેને નમાઝ પઢવાની સલાહ આપી હતી. આ બાદ ધોનીએ સમીરને ટીમમાંથી બહાર કરાવ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.
વાયરલ પોસ્ટ્સમાં વધુમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે સમીરને આગામી મેચોમાં તક આપવામાં આવી નહોતી અને બાદમાં ચેન્નાઈ સુપર કિંગ્સે તેને ટીમમાંથી રિલીઝ કરી દીધો હતો. જોકે, આ સમગ્ર દાવા પાછળ કોઈ સત્તાવાર આધાર જોવા મળતો નથી. ચેન્નાઈ સુપર કિંગ્સ, એમએસ ધોની અથવા સમીર રિઝવી તરફથી આ મામલે કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
>Sameer Rizvi told dhoni to read Namaz to heal his knee pain quickly
>MS Dhoni benched Rizvi for the rest of the season and Kicked this J*hadi out of the team
Absolute chad behaviour from Thala pic.twitter.com/GJWz91zf4N
— Courageous (@CourageousRo) May 2, 2026
ઉલ્લેખનીય છે કે ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2024ની હરાજીમાં સમીર રિઝવીને આશરે 8.40 કરોડ રૂપિયાની મોટી રકમમાં ખરીદ્યો હતો. ઉત્તર પ્રદેશના આ યુવા બેટ્સમેન પાસેથી ટીમને મોટી અપેક્ષાઓ હતી, પરંતુ સમીર રિઝવી સિઝનમાં ખાસ પ્રદર્શન કરી શક્યો નહીં.. સમીર રિઝવીએ 8 મેચની 5 ઈનિંગ્સમાં માત્ર 51 રન બનાવ્યા હતા.
ખરાબ પ્રદર્શનના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સે સમીર રિઝવીને આગામી સિઝન પહેલા રિલીઝ કર્યો હતો. ત્યારબાદ IPL 2025 મેગા ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સે સમીર રિઝવીને ₹95 લાખમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. હાલમાં તે દિલ્હી તરફથી રમી રહ્યો છે.