
મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL 2026 માં એક જીત પણ મેળવવી મુશ્કેલ બની ગઈ છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સનો સિઝનનો પ્રથમ ભાગ ખૂબ જ ખરાબ રહ્યો છે. ટીમ સાતમાંથી પાંચ મેચ હારી ગઈ છે. પરિણામે, ટીમને જીતવા માટે ન માત્ર તમામ પ્રયત્નો કરવા પડી રહ્યા છે, પરંતુ સતત ટીમ કોમ્બિનેશન પણ બદલવી પડી રહી છે. જ્યારે પ્લેઈંગ ઈલેવન બદલાઈ રહી છે, ત્યારે કેપ્ટન પંડ્યાએ હવે મોટો ફેરફાર કર્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં પંડ્યાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સાત વર્ષમાં પહેલીવાર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વાનખેડે સ્ટેડિયમ ખાતે 29 એપ્રિલના રોજ મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીત્યો. ટોસ બાદ તેના નિર્ણયથી બધા ચોંકી ગયા. પંડ્યાએ ખરેખર પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, જે IPLમાં એક દુર્લભ ઘટના છે. જોકે, મુંબઈના કિસ્સામાં આવું સાત વર્ષ પછી બન્યું છે. છેલ્લી વખત જ્યારે મુંબઈએ વાનખેડે ખાતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો તે IPL 2019માં હતો.
HP calls it right and we’ll bat first tonight! pic.twitter.com/f6sRQKmyv2
— Mumbai Indians (@mipaltan) April 29, 2026
વાનખેડે જેવા મેદાન પર પણ કોઈ કેપ્ટન ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લે તે દુર્લભ છે. હાર્દિકનો આ નિર્ણય સાચો છે કે નહીં તે મેચ પછી જ ખબર પડશે. જોકે, આનું એક મુખ્ય કારણ એ દેખાય છે કે મુંબઈને ઘરઆંગણે સતત ત્રણ હારનો સામનો કરવો પડ્યો છે.
રાયન રિકલ્ટન (વિકેટકિપર), વિલ જેક્સ, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોબિન મિન્ઝ, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રિત બુમરાહ, એએમ ગઝનફર, અશ્વની કુમાર.
અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન, હેનરિક ક્લાસેન, સલિલ અરોરા(વિકેટકિપર), નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ(કેપ્ટન), હર્ષ દુબે, સાકિબ હુસૈન, પ્રફુલ હિંજ, ઈશાન મલિંગા.
Published On - 8:16 pm, Wed, 29 April 26