Breaking News: મુંબઈ સામેની મેચ પહેલા CSK માં સામેલ થયો MI નો પૂર્વ ખેલાડી, આયુષ મ્હાત્રેનું લેશે સ્થાન

IPL 2026 દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સે યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રેના સ્થાને ખેલાડીની જાહેરાત કરી છે. ઈજાને કારણે આયુષ મ્હાત્રે આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ એક ઝડપી બોલર ટીમમાં જોડાયો છે. મુંબઈ સામેની મેચ પહેલા CSK એ આયુષ મ્હાત્રેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી હતી. ખાસ વાત એ છે કે આ ખેલાડી મુંબઈ માટે બે સિઝન રમી ચૂક્યો છે.

Breaking News: મુંબઈ સામેની મેચ પહેલા CSK માં સામેલ થયો MI નો પૂર્વ ખેલાડી, આયુષ મ્હાત્રેનું લેશે સ્થાન
akash madhwal
Image Credit source: X
| Updated on: Apr 23, 2026 | 6:22 PM

IPL 2026 દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રે ઈજાને કારણે આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. હૈદરાબાદ સામેની મેચમાં બેટિંગ કરતી વખતે તેને હેમસ્ટ્રિંગમાં ખેંચ આવી હતી. પરિણામે, તે હવે ટીમનો ભાગ નથી. હવે CSK એ મ્હાત્રેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે.

આયુષ મ્હાત્રેના સ્થાને આકાશ માધવાલની પસંદગી

ચેન્નાઈ સુપર કિંગ્સે આયુષ મ્હાત્રેના સ્થાને ઝડપી બોલર આકાશ માધવાલને સાઈન કર્યો છે. માધવાલ ઝડપી બોલર છે જે અગાઉ મુંબઈ ઈન્ડિયન્સ (2023 અને 2024) અને રાજસ્થાન રોયલ્સ (2025) માટે IPLમાં રમી ચૂક્યો છે.

માધવાલ મુંબઈ ઈન્ડિયન્સ માટે બે સિઝન રમ્યો

આજ સુધીમાં તેણે 17 IPL મેચ રમી છે અને 23 વિકેટ લીધી છે. માધવાલની સૌથી યાદગાર મેચ 2023 સિઝનની એલિમિનેટર મેચ હતી, જ્યારે તેણે લખનૌ સુપર જાયન્ટ્સ સામે માત્ર 3.3 ઓવરમાં 5 રન આપીને 5 વિકેટ લીધી હતી. આ પ્રદર્શન IPL પ્લેઓફમાં એક અનકેપ્ડ ખેલાડી દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન છે અને તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો.

 

માધવાલનું IPLમાં પ્રદર્શન

IPL 2023 માં માધવાલે 8 મેચમાં 14 વિકેટ લીધી હતી. 2024 માં તેણે 5 મેચમાં 5 વિકેટ લીધી અને 2025માં રાજસ્થાન રોયલ્સ માટે 4 મેચમાં 4 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. માધવાલ તેની સચોટ લાઈન અને લેન્થ અને ઝડપી બોલિંગ માટે જાણીતો છે, જે ડેથ ઓવરોમાં ખાસ કરીને અસરકારક સાબિત થાય છે. તેથી, તે બાકીની સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે તે મેચ વિનર સાબિત થઈ શકે છે.

આયુષ મ્હાત્રેનું બહાર થવું CSK માટે મોટો ફટકો

આયુષ મ્હાત્રે આ સિઝનમાં CSK માટે સારા ફોર્મમાં હતો. તેણે માત્ર છ મેચમાં બે અડધી સદી ફટકારી હતી અને ટીમના ટોચના ક્રમમાં મજબૂત શરૂઆત અપાવી હતી. જોકે, ઈજાને કારણે તેને સિઝનની મધ્યમાં ટીમ છોડવાની ફરજ પડી હતી. તેને સારા થવામાં 6 થી 12 અઠવાડિયા લાગવાની ધારણા છે, જેથી તેનું આ સિઝનમાં કમબેક કરવું મુશ્કેલ છે.

Breaking News: 7 માંથી 5 હાર છતાં IPL 2026માં પ્લેઓફમાં ક્વોલિફાય કરી શકશે લખનૌ સુપર જાયન્ટ્સ, જાણો કેવી રીતે

Published On - 5:52 pm, Thu, 23 April 26

Follow Us