
IPL 2026 માં ખરાબ પ્રદર્શન કરી રહેલા મુંબઈ ઈન્ડિયન્સને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. અહેવાલો અનુસાર રોહિત શર્માની આગામી મેચમાં રમવાની શક્યતા ઓછી છે. રોહિત RCB સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. હેમસ્ટ્રિંગ ઈજાના કારણે રોહિતને રીટાયર્ડ હર્ટ થવાની ફરજ પડી હતી. આ ઈજા બાદ એવું અનુમાન હતું કે તે પંજાબ કિંગ્સ સામે રમી શકશે નહીં. રોહિત શર્માની ઈજા કેટલી ગંભીર છે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ શક્ય છે કે તેને આગામી મેચ માટે આરામ આપવામાં આવે.
રોહિત શર્માની હેમસ્ટ્રિંગ ઈજા મુંબઈ માટે ખરાબ સમાચાર છે. રોહિત તેની કારકિર્દી દરમિયાન આ ઈજાથી પીડાતો રહ્યો છે. તેને ઘણી વાર હેમસ્ટ્રિંગમાં ઈજામાંથી સ્વસ્થ થવામાં સમય લાગ્યો છે. જો આ વખતે તેની ઈજા ગંભીર હશે, તો તે આ સિઝનમાં ઘણી મેચો ચૂકી શકે છે. રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સના પ્રેક્ટિસ સેશનમાં પણ દેખાતો નથી, જે દર્શાવે છે કે રોહિતની આગામી મેચમાં રમવાની શક્યતા ઓછી છે અને તેને આગામી મેચોમાં પણ આરામ કરવાની જરૂર પડી શકે છે.
UPDATE ON ROHIT SHARMA [Shamik Chakrabarty from RevSportz]
“The team physio is keeping an eye on Rohit’s injury – We know all the matches are crucial for MI, especially home matches but we don’t want to take any risks – We have an Impact Player option as well, If Rohit is… pic.twitter.com/DGLS84gqfu
— Johns. (@CricCrazyJohns) April 13, 2026
હવે પ્રશ્ન એ છે કે, જો રોહિત શર્મા ઈજાના કારણે આગામી મેચોમાં નહીં રમે, તો મુંબઈ ઈન્ડિયન્સ માટે ઓપનિંગ કોણ કરશે? મુંબઈ ઈન્ડિયન્સ પાસે દાનિશ માલેવર જેવો પ્રતિભાશાળી ખેલાડી છે, પરંતુ શું તેના પર વિશ્વાસ કરવામાં એ મોટો પ્રશ્ન છે?
રોહિત શર્માની ઈજા કરતા અન્ય ખેલાડીઓના ખરાબ ફોર્મને કારણે મુંબઈને વધુ નુકસાન થયું છે. સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, જ્યારે જસપ્રીત બુમરાહ હજુ સુધી વિકેટ લઈ શક્યો નથી. હાર્દિક પંડ્યા અને ટ્રેન્ટ બોલ્ટ પણ ફોર્મમાં નથી. આ જ કારણ છે કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ અત્યાર સુધી ફક્ત એક જ મેચ જીતી શકી છે. તેથી, જો મુંબઈ ઈન્ડિયન્સે વાપસી કરવી હોય, તો તેના બધા ખેલાડીઓએ યોગદાન આપવું પડશે. જો પંજાબ કિંગ્સ સામે આવું ન થાય, તો મુંબઈની હાર નક્કી છે.