
ઝિમ્બાબ્વે સામેની T20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન માટે વૈભવ સૂર્યવંશીને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો. પ્રભાવશાળી પ્રદર્શન છતાં, તેને ઝિમ્બાબ્વ પ્રવાસના હેડ કોચ વીવીએસ લક્ષ્મણ તરફથી એક મોટી ચેતવણી મળી છે. શ્રેણી પૂર્ણ થયા પછી, લક્ષ્મણે સૂર્યવંશીની ખૂબ પ્રશંસા કરી, પરંતુ એમ પણ કહ્યું કે ખેલાડીએ તેની ફિટનેસ પર કામ કરવાની જરૂર છે. લક્ષ્મણના મતે, ટીમ ઇન્ડિયા ઇચ્છે છે કે સૂર્યવંશી કોઈપણ કિંમતે તેની ફિટનેસ પર કામ કરે. ચાલો જાણીએ કે વીવીએસ લક્ષ્મણે શું કહ્યું.
ઝિમ્બાબ્વેની ક્લીન સ્વીપ કર્યા પછી કોચ વીવીએસ લક્ષ્મણે કહ્યું, “એક ક્ષેત્ર છે જેના પર અમે ઇચ્છીએ છીએ કે વૈભવ સૂર્યવંશી કામ કરે, અને એ છે તેની ફિટનેસ. તે હજુ પણ ખૂબ જ નાનો છે. તે રમતના દરેક પાસામાં સુધારો કરવા માંગે છે. આજે, જ્યારે તે ફિલ્ડિંગ કરતી વખતે ઘાયલ થયો હતો, ત્યારે તે મેદાન પર રહેવા માંગતો હતો. પરંતુ અમારા ફિઝિયોએ તેને મેદાન છોડવા કહ્યું.”
Head coach VVS Laxman hails Vaibhav Sooryavanshi’s maturity and predicts a record-breaking future. pic.twitter.com/UxXGFJ6o20
— CricTracker (@Cricketracker) July 27, 2026
વૈભવ સૂર્યવંશીએ ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે કારણ કે ફિટનેસ જ તેની કારકિર્દીને લંબાવવાની ચાવી છે. ફિટનેસ તેને ટેસ્ટ અને વનડેમાં પોતાની તાકાત બતાવવામાં મદદરૂપ થશે. ક્રિકેટ ફક્ત મોટા શોટ મારવા વિશે નથી. મોટી ઇનિંગ રમવા માટે ફિટનેસની જરૂર છે. સતત સારું પ્રદર્શન કરવા માટે ફિટનેસની જરૂર છે, અને વિરાટ કોહલી તેનું ઉત્તમ ઉદાહરણ છે. ફોર્મનીન સાથે ફિટનેસ જ છે જેણે વિરાટને મહાન ખેલાડી બનાવ્યો છે. જો સૂર્યવંશી બેસ્ટ ફિટનેસ હાંસલ કરી શકે છે, તો તે ચોક્કસપણે અનેક રેકોર્ડ તોડશે.
વૈભવ સૂર્યવંશીએ ઝિમ્બાબ્વે શ્રેણીમાં સૌથી વધુ રન 151 રન બનાવ્યા હતા. તેની બેટિંગ સરેરાશ 50.33 હતી અને તેનો સ્ટ્રાઈક રેટ 196.10 હતો. તેણે સૌથી વધુ નવ છગ્ગા ફટકાર્યા હતા. સૂર્યવંશીએ માત્ર 15 વર્ષની ઉંમરે પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો, જે એક વિશ્વ રેકોર્ડ છે.