
શ્રીલંકા વિરુદ્ધ 15 ઓગસ્ટથી શરુ થવા જઈ રહેલી ટેસ્ટ સીરિઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે કોલંબોથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોલંબોના એનસીસી ગ્રાઉન્ડ પર શ્રીલંકા ક્રિકેટ પ્લેઈંગ ઈલેવન વિરુદ્ધ શરુ થનારી 3 દિવસની પ્રેક્ટિસ મેચમાં કેપ્ટન શુભમન ગિલના સ્થાને વાઈસકેપ્ટન કે.એલ રાહુલ ટોસ માટે મેદાનમાં ઉતર્યો હતો. અને ટીમની કમાન સંભાળી હતી.
ટોસ દરમિયાન કે.એલ રાહુલના આવ્યા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શુભમન ગિલની ઈજા પર મોટું અપડેટ પણ શેર કર્યું છે.
બીસીસીઆ દ્વારા શેર કરાયેલી જાણકારી મુજબ ગુરુવારના રોજ પ્રેક્ટિસ સેશન દરમિયાન કેપ્ટન શુભમન ગિલના હાથની આંગળીમાં ઈજા થઈ હતી. જેના માટે આ 3 દિવસની પ્રેક્ટિસ મેચ પહેલા દિવસે મેદાનમાં ન ઉતરવાની સલાહ આપવામાં આવી છે. બોર્ડે સ્પષ્ટ કર્યું કે, બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની ઈજા અને રિકવરી પર સતત નજર રાખી રહી છે.
Update: Captain Shubman Gill sustained an impact injury to his right ring finger during India’s practice on Thursday. As a precautionary measure, he will not take the field on Day 1 of the warm-up game against SLC XI. The BCCI Medical Team is monitoring his progress.
KL Rahul… https://t.co/Mzu2yW4OgX
— BCCI (@BCCI) August 7, 2026
તો કોલંબોમાં રમાઈ રહેલી આ વોર્મ અપ મેચમાં શ્રીલંકા ક્રિકેટના કેપ્ટને ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શુભમન ગિલની ગેરહાજરીમાં કે.એલ રાહુલ ટીમની કમાન સંભાળી રહ્યો છે અને ભારતીય બોલિંગ સાથે મેદાનમાં ઉતરી છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ અને ચાહકોને આશા છે કે, શુભમન ગિલ આ ઈજામાંથી જલ્દી બહાર આવે અને તેની ઈજા વધારે ગંભીર ના હોય. 15 ઓગસ્ટથી ગોલમાં રમાનારી પહેલી ટેસ્ટ મેચમાં પહેલા તે સંપૂર્ણ ફીટ થઈ જાય. પ્રેક્ટિસ સેશન માટે પ્લેઈંગ 11ની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે ટીમ ઈન્ડિયાની બેટિંગ દરમિયાન ગિલ મેદાનમાં ઉતરી શકે છે કે કેમ આ નિર્ણય ટીમ મેનેજમેન્ટના હાથમાં હશે.