Breaking News : ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં સચિનનું બહુમાન, ટ્રોફીને તેંડુલકર-એન્ડરસન ટ્રોફી નામ આપવામાં આવ્યું

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 20 જૂનથી ટેસ્ટ શ્રેણી શરૂ થઈ રહી છે, જેમાં 5 મેચ રમાશે. છેલ્લા ઘણા વર્ષોથી, ઈંગ્લેન્ડમાં રમાતી ટેસ્ટ શ્રેણી ભૂતપૂર્વ મહાન ભારતીય કેપ્ટન મન્સૂર અલી ખાન પટૌડીના નામથી જાણીતી છે, પરંતુ હવે તેની ઓળખ બદલાવા જઈ રહી છે.

Breaking News : ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં સચિનનું બહુમાન, ટ્રોફીને તેંડુલકર-એન્ડરસન ટ્રોફી નામ આપવામાં આવ્યું
Tendulkar Anderson Trophy
Image Credit source: PTI/X
| Updated on: Jun 05, 2025 | 10:35 PM

IPL 2025નો ઉત્સાહ હમણાં જ સમાપ્ત થયો છે અને હવે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ ક્રિકેટનો ધમાકો શરૂ થવા જઈ રહ્યો છે. ચાહકો આ શ્રેણીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે છેલ્લા દાયકામાં પહેલીવાર ટીમ ઈન્ડિયામાં રોહિત, કોહલી અને અશ્વિન જેવા દિગ્ગજોનહીં હોય. આવી સ્થિતિમાં, આ શ્રેણી એક નવા યુગની શરૂઆત જેવી હશે. પરંતુ સચિન તેંડુલકર અને જેમ્સ એન્ડરસન, જે હવે આ શ્રેણીની ઓળખ બની ગયા છે, આ શ્રેણીને વધુ ખાસ બનાવવા જઈ રહ્યા છે.

તેંડુલકર-એન્ડરસન ટ્રોફી

20 જૂનથી શરૂ થતી આ બહુપ્રતિક્ષિત ટેસ્ટ શ્રેણી પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. BBC સ્પોર્ટના અહેવાલમાં ખુલાસો થયો છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ શ્રેણીનું નામ હવે બંને દેશોના બે મહાન ખેલાડીઓના નામ પર રાખવામાં આવશે. અહેવાલમાં જણાવાયું છે કે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આ ટેસ્ટ શ્રેણીમાં વિજેતાને આપવામાં આવનારી ટ્રોફીનું નામ ભૂતપૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકર અને મહાન ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનના નામ પર રાખવાનો નિર્ણય લીધો છે. માહિતી અનુસાર, આગામી થોડા દિવસોમાં આ ટ્રોફી પરથી પડદો ઉઠાવવામાં આવશે, જેને તેંડુલકર-એન્ડરસન ટ્રોફી કહેવામાં આવશે.

ટ્રોફીના અનાવરણ દરમિયાન હાજર રહેશે

શ્રેણીની પહેલી ટેસ્ટ મેચ 20 જૂને લીડ્સના હેડિંગ્લી મેદાન પર રમાશે અને આ ટ્રોફી તે સમયે રજૂ કરી શકાય છે. જોકે, ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે હજુ સુધી તેની જાહેરાત કરી નથી પરંતુ આગામી થોડા દિવસોમાં તેને સત્તાવાર રીતે જાહેર કરશે. એવી અપેક્ષા રાખી શકાય છે કે તેંડુલકર અને એન્ડરસન ટ્રોફીના અનાવરણ દરમિયાન હાજર રહેશે. ઉપરાંત, ચાહકો અપેક્ષા રાખશે કે આ બે દિગ્ગજોના હાથે જ શ્રેણી જીતનાર ટીમને ટ્રોફી આપવામાં આવશે.

શું BCCI ટ્રોફીનું નામ પણ બદલશે?

જોકે, હાલમાં એ સ્પષ્ટ નથી કે આ ટ્રોફીનો ઉપયોગ બંને દેશોમાં રમાનારી શ્રેણીમાં થશે કે નહીં. આ પ્રવાસ પહેલા, ઈંગ્લેન્ડમાં બંને ટીમો વચ્ચે રમાયેલી ટેસ્ટ શ્રેણી પટૌડી ટ્રોફી માટે રમાતી હતી. આ ટ્રોફી ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવી હતી. જોકે, ECBએ થોડા મહિના પહેલા પટૌડી પરિવારને કહ્યું હતું કે તેઓ આ ટ્રોફી આગળ ચાલુ રાખશે નહીં. આ પછી જ, હવે તેનું નામ નવા દિગ્ગજોના નામ પર રાખવામાં આવશે. બીજી તરફ, ભારતમાં રમાનારી ટેસ્ટ શ્રેણીના વિજેતાને એન્થોની ડી મેલો ટ્રોફી મળે છે. હવે જોવાનું એ છે કે ECB અને BCCI મળીને આ આખી શ્રેણીનું નામ એક જ ટ્રોફીના નામ પર રાખે છે કે નહીં.

આ પણ વાંચો: ગૌતમ ગંભીરે RCB પર સાધ્યું નિશાન, કહ્યું- ‘ઉજવણી કરતા જીવન વધુ મહત્વનું, રોડ શો બંધ કરો’

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 10:35 pm, Thu, 5 June 25