
ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ તૃણમૃલ કોંગ્રેસ સાથે પોતાનો છેડો ફાડ્યો હતો. ટીએમસીની પશ્ચિમ બંગાળમાં કારમી હારના એક દિવસ પછી મનોજ તિવારીએ આરોપ લગાવ્યો કે, પાર્ટી તેને હાવડાની શિબપુર સીટમાંથી ટિકિટ આપવાની ના પાડી હતી.કારણ કે, મનોજ તિવારીએ 5 કરોડ રુપિયા આપવાની ના પાડી હતી.મનોજે કહ્યું, “મને આ કારમી હારથી બિલકુલ આશ્ચર્ય થયું નથી. જ્યારે આખી પાર્ટી ભ્રષ્ટાચારમાં સંડોવાયેલી હોય અને કોઈપણ ક્ષેત્રમાં કોઈ વિકાસ ન થાય, તો આવું થવું જ જોઈએ.”
તમને જણાવી દઈએ કે, મમતા બેનર્જીના નેતૃત્વવાળી સરકારમાં રમતગમત મંત્રી રહી ચૂક્યા હતા. પાર્ટી છોડવાની જાહેરાત કરતા મનોજ તિવારીએ કહ્યું કે, માત્ર એ લોકો ટિકિટ ખરીદી શક્યા જે મોટી માત્રામાં પૈસા આપી શકતા હતા. આ વખત ઓછામાં ઓછા 70 થી 72 ઉમેદવારોને ટિકિટ આપવા માટે 5 કરોડ રુપિયા માંગ્યા હતા. મારી પાસે પણ માંગ્યા હતા પરંતુ મે પૈસા આપવાની ના પાડી હતી. તિવારીએ કહ્યું મારા માટે તૃણમૃણની વાત આવે તો આ અધ્યાય અહી જ પૂર્ણ થયો છે. મનોજ તિવારીએ છેલ્લી વખત 2021માં વિધાનસભાની ચૂંટણી લડી હતી. તેમણે જીત પણ મેળવી હતી.
આટલું જ નહી મનોજ તિવારીએ કહ્યું હાવડા જિલ્લામાં સીવેજ અને ડ્રોનેજ પ્રણાલી ખરાબ થવાની જુની સમસ્યા તેમણે અનેક વખત પ્રયાસ કર્યા બાદ હજુ કોઈ નિરાકણ આવ્યું નથી.
મનોજે કહ્યું, “તે સમયે, હું IPLમાં પંજાબ કિંગ્સ માટે રમી રહ્યો હતો અને રણજી ટ્રોફીમાં રમવા માટે ગંભીર હતો. તે સમયે, દીદી (મમતા) ઇચ્છતી હતી કે, હું લોકસભા ચૂંટણી લડું. મેં ના પાડી, પરંતુ 2021 ની ચૂંટણી પહેલા, દીદીએ મને ફરીથી ફોન કર્યો અને કહ્યું, ‘મનોજ, મારી પાસે તમારા માટે એક સંદેશ છે, ‘ મને શિવપુરથી ચૂંટણી લડવાનું કહેવામાં આવ્યું. મને લાગ્યું કે હું અર્થપૂર્ણ ફરક લાવી શકું છું.”
તમને જણાવી દઈએ કે,બંગાળની રાજનીતિમાં 4 મેના રોજ એવું થયું જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. મેદિનીપુરના લાડલા સુવેન્દુ અધિકારીએ માત્ર પોતાનો ગઢ બચાવ્યો નથી પરંતુ ભવાનીપુર સીટ પરથી મમતા બેનર્જીને માત આપી આખા દેશને ચોંકાવી દીધું છે.