AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારતમાં ના રમવું હોય તો ટૂર્નામેન્ટમાંથી બહાર થાવ, બાંગ્લાદેશને ICC બોર્ડના 16 માંથી 14 સભ્યનો આદેશ

જો બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ જાય છે, તો તે ફક્ત તેના ખેલાડીઓને નુકસાન પહોંચાડશે. બાંગ્લાદેશના ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ મીડિયા સમક્ષ આ ચિંતા વ્યક્ત કરી છે. વર્તમાન T20 કેપ્ટન લિટન દાસે તો એમ પણ કહ્યું હતું કે જો તે આ મુદ્દા પર બોલશે તો તે સુરક્ષિત રહેશે નહીં.

Breaking News : ભારતમાં ના રમવું હોય તો ટૂર્નામેન્ટમાંથી બહાર થાવ, બાંગ્લાદેશને ICC બોર્ડના 16 માંથી 14 સભ્યનો આદેશ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2026 | 6:32 PM
Share

ICC એ બાંગ્લાદેશને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો તેઓ 2026 T20 વર્લ્ડ કપ માટે ભારતમાં રમવા માટે નહીં જાય, તો તેને ટુર્નામેન્ટમાંથી બહાર કાઢવામાં આવશે. બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડનો T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં સમાવેશ થઈ શકે છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ને, બાંગ્લાદેશની સરકારને જાણ કરવા કહ્યું છે કે, જો બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપ 2026 માં તેની મેચ રમવા માટે ભારત જવાનો ઇનકાર કરવાનું ચાલુ રાખશે, તો તેના સ્થાને બીજી ટીમને ટુર્નામેન્ટમાં સામેલ કરવામાં આવશે.

ESPNcricinfo ની માહિતી અનુસાર આ નિર્ણય, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદમાં યોજાયેલા એક મતદાન પછી લેવામાં આવ્યો હતો, જેમાં 16 માંથી માત્ર 2 ICC બોર્ડ સભ્ય દેશો રિપ્લેસમેન્ટ ( બાંગ્લાદેશની જગ્યાએ બીજી ટીમને રમવાની મંજૂરી ) ના પક્ષમાં હતા. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ને ભારતમાં રમવા અંગેના તેના વલણ પર ICC ને જવાબ આપવા માટે વધુ એક દિવસ આપવામાં આવ્યો છે. એટલે કે, આવતીકાલ 22મી જાન્યુઆરી 2026 સુધીમાં બાગ્લાદેશે આ અંગેનો આખરી નિર્ણયની જાણ આઈસીસીને કરવી પડશે.

જો આવું થાય, તો સ્કોટલેન્ડ વર્લ્ડ કપમાં ગ્રુપ C માં બાંગ્લાદેશનું સ્થાન લઈ શકે છે. યુરોપિયન ક્વોલિફાયરમાં નેધરલેન્ડ્સ, ઇટાલી અને જર્સીથી પાછળ રહીને સ્કોટલેન્ડ 2026 T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ ગયું.

બાંગ્લાદેશના ખેલાડીઓનું ભવિષ્ય જોખમમાં

જો બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ જાય છે, તો તે ફક્ત તેના ખેલાડીઓને નુકસાન પહોંચાડશે. બાંગ્લાદેશના ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ મીડિયા સમક્ષ આ ચિંતા વ્યક્ત કરી છે. વર્તમાન T20 કેપ્ટન લિટન દાસે તો એમ પણ કહ્યું હતું કે જો તે આ મુદ્દા પર બોલશે તો તે સુરક્ષિત રહેશે નહીં. વર્તમાન બાંગ્લાદેશના ખેલાડીઓ પણ T20 વર્લ્ડ કપમાં રમવા માંગે છે. નિર્ણય હવે બાંગ્લાદેશ સરકાર પર છે. આવા સંજોગોમાં ગુરુવાર, 22 જાન્યુઆરી પર સૌની નજર મંડરાયેલી રહેશે કે બાગ્લાદેશ સરકાર અને બાંગ્લાદેશ ક્રિકેટ એસોસિએશન આ અંગે શુ નિર્ણય લે છે.

Breaking News : સૂર્યકુમાર યાદવ પહેલી T20 મેચમાં રમવા ઉતરતાની સાથે જ રેકોર્ડ બુકમાં નામ નોંધાવશે

SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
g clip-path="url(#clip0_868_265)">