ACC એશિયા કપ 2025 હવે પૂર્ણ થવાના આરે છે. ફાઇનલ 28 સપ્ટેમ્બરના રોજ એટલે કે આવતીકાલે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યાં ભારત અને પાકિસ્તાનની ટીમો ફરી એકવાર એકબીજા સામે ટકરાશે. આ ટક્કર પહેલા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ક્રિકેટ જગતમાં લાંબા સમયથી ચાલતી પરંપરા તોડી છે.
ACC એશિયા કપ 2025 ની ફાઇનલને હવે ફક્ત એક દિવસ જ બાકી છે. ફાઇનલ 28 સપ્ટેમ્બરના રોજ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યાં ભારત અને પાકિસ્તાનની ટીમો ટુર્નામેન્ટમાં ત્રીજી વખત ટકરાશે.
Big Breaking News
NO TROPHY SHOOT BEFORE THE ASIA CUP FINAL.
Team India Is Not Interested To Do Photoshoot With Pakistan Team.
Thank You. pic.twitter.com/aK7tiBAAhE
— Vaibhav Bhola (@VibhuBhola) September 27, 2025
મીડિયા રિપોર્ટસ અનુસાર, ફાઇનલ પહેલા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ સાથે જ તેણે ક્રિકેટ ઇતિહાસમાં લાંબા સમયથી ચાલતી પરંપરા તોડી છે.
અહેવાલો અનુસાર, ભારતીય ટીમે ફાઇનલ પહેલા ‘ટ્રોફી ફોટોશૂટ’માં ભાગ નહી લે તેવો નિર્ણય લીધો છે. પરિણામે સૂર્યકુમાર યાદવ અને સલમાન અલી આગા ટ્રોફી સાથે ફોટો પડાવશે નહીં. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન, ભારતીય ટીમે ઘણી વખત પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે.
જણાવી દઈએ કે, પ્રથમ મેચ દરમિયાન બંને કેપ્ટનોએ હાથ મિલાવ્યા ન હતા. વધુમાં મેચ પછી પણ ભારતે પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવ્યા નહોતા, જેના કારણે મોટો વિવાદ થયો હતો. જો કે, બીજી મેચ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓએ ઘણી વખત અભદ્ર વર્તન કર્યું હતું. હવે ફાઇનલ પહેલા પણ વિવાદ ઉભો થયો છે.
Published On - 7:46 pm, Sat, 27 September 25