IPL ઓક્શન પહેલા દિલ્હી કેપિટલ્સનો મોટો નિર્ણય, પંતની સાથે આ ખેલાડીઓને રિટેન કરશે!

|

Sep 21, 2024 | 9:20 PM

IPL 2025 પહેલા મેગા ઓક્શન યોજાવાની છે. આ માટે, BCCI દ્વારા રિટેન્શન પોલિસીની જાહેરાત કરવાની બાકી છે. આ દરમિયાન દિલ્હી કેપિટલ્સના રિટેન થનારા ખેલાડીઓને લઈ એક મોટું અપડેટ સામે આવ્યું છે.

IPL ઓક્શન પહેલા દિલ્હી કેપિટલ્સનો મોટો નિર્ણય, પંતની સાથે આ ખેલાડીઓને રિટેન કરશે!
Delhi Capitals
Image Credit source: PTI

Follow us on

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે હજુ સુધી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની રીટેન્શન પોલિસી જાહેર કરી નથી. આ વખતે મેગા ઓક્શન થવાનું છે, જેથી તમામ ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ટીમોને કેટલા ખેલાડીઓને રિટેન કરવાની મંજૂરી આપવામાં આવશે. આ બધા વચ્ચે દિલ્હી કેપિટલ્સના કેમ્પમાંથી મોટી માહિતી સામે આવી છે. તે લગભગ નિશ્ચિત છે કે રિષભ પંતને રિટેન કરવામાં આવશે. એક મોટું અપડેટ પણ આવ્યું છે જેમાં પંતની સાથે અન્ય ખેલાડીઓને પણ જાળવી રાખવામાં આવશે.

પંત દિલ્હીનો નંબર-1 રિટેન પ્લેયર

ક્રિકબઝના અહેવાલ મુજબ, દિલ્હી કેપિટલ્સે IPL 2025 માટે રિષભ પંતને જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. રિષભ પંત ફ્રેન્ચાઈઝી તરફથી ટોચનો રિટેન ખેલાડી રહેશે. પંતને ગત સિઝન સુધી દિલ્હી કેપિટલ્સ તરફથી 16 કરોડ રૂપિયા મળતા હતા, તેથી આ વખતે પણ તેને આ રકમ મળશે તે નિશ્ચિત છે. જો કે તેમાં પણ વધારો થવાની ધારણા છે. રિષભ પંત 2016થી દિલ્હી કેપિટલ્સ ટીમનો ભાગ છે અને તે આગામી સિઝનમાં પણ આ જ ટીમ માટે રમતા જોવા મળશે.

અક્ષર પટેલ-કુલદીપ યાદવને રિટેન કરશે

તમને જણાવી દઈએ કે, મેગા ઓક્શન પહેલા છેલ્લી વખત તમામ ટીમોને 4-4 ખેલાડીઓને રિટેન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ આ વખતે ધારણા છે કે રિટેન્શનની સંખ્યા વધી શકે છે. અહેવાલો અનુસાર, જો BCCI પાંચથી વધુ ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપે છે, તો દિલ્હી કેપિટલ્સ અક્ષર પટેલ અને કુલદીપ યાદવને રિટેન કરશે. આ સિવાય બે ઓવરસિઝ ખેલાડીઓ જેક ફ્રેઝર-મેકગર્ક અને ટ્રિસ્ટન સ્ટબ્સને પણ રિટેન કરશે. વિકેટકીપર-બેટ્સમેન અભિષેક પોરેલ અનકેપ્ડ ખેલાડી તરીકે દિલ્હી કેપિટલ્સનો પ્રથમ વિકલ્પ બનશે.

નીતા અંબાણી આકાશ-શ્લોકાની પુત્રી સાથે કર્યું ટ્વિનિંગ, જુઓ દાદી અને પૌત્રીનો ધમાકેદાર ડાન્સ
Bank of Baroda આપી રહી છે SBI કરતા સસ્તી કાર લોન, 5 વર્ષ માટે 8,00,000 ની લોન પર EMI કેટલી?
કરીના લાગી કિલર, જન્મદિવસ પર બેબોએ શેર કરી ગ્લેમરસ તસવીરો
સાંજે ઘરના દરવાજા પર રાખો આ 1 વસ્તુ, માતા લક્ષ્મી થશે પ્રસન્ન!
રોજ ખાલી પેટ કોથમીરના પાન ચાવવાથી જાણો શું થાય છે?
Calcium For Health: કેવી રીતે ખબર પડે છે કે તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ છે?

પૃથ્વી શો- એનરિક નોરખિયાને કરશે રીલીઝ

દિલ્હી કેપિટલ્સે 2022ની મેગા ઓક્શન પહેલા રિષભ પંત, અક્ષર પટેલ, એનરિક નોરખિયા અને પૃથ્વી શોને જાળવી રાખ્યા હતા. પરંતુ એનરિક નોરખિયા ઈજાના કારણે ટીમ માટે ઘણી મેચ રમી શક્યો ન હતો, જ્યારે પૃથ્વી શો સતત ફ્લોપ રહ્યો હતો. આવી સ્થિતિમાં હવે આ બંને ખેલાડીઓ રીલીઝ થશે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ, જેક ફ્રેઝર-મેકગર્ક અને ટ્રિસ્ટન સ્ટબ્સે ગત સિઝનમાં ટીમ માટે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં ટીમ આ વખતે આ ખેલાડીઓને રીલીઝ કરવાના મૂડમાં નથી.

આ પણ વાંચો: શ્રેયસ અય્યર પોતે જ ટીમ ઈન્ડિયામાં તેની વાપસીના દરવાજા બંધ કરી રહ્યો છે, ફરી કરી આ મોટી ભૂલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Next Article