ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને સોંપવામાં આવી છે. જો કે, ભારત અને પાકિસ્તાનના સંબંધોને જોતા આ ICC ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની ભાગીદારી પર શંકા છે. BCCIએ પણ આ અંગે હજુ સુધી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. બીજી તરફ, PCB આ ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરે તે સુનિશ્ચિત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. હવે અમેરિકામાં આયોજિત T20 વર્લ્ડ કપ વચ્ચે આ મામલે બંને બોર્ડની બેઠક થઈ છે.
BCCI અને PCBના અધિકારીઓએ મળીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, પીસીબીના અધિકારીઓએ કહ્યું કે બંને બોર્ડે અમેરિકામાં બેઠક યોજી હતી પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નથી. રિપોર્ટ અનુસાર, પીસીબીએ ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાનમાં હોસ્ટ કરવા માટે બીસીસીઆઈને મનાવવાના તમામ પ્રયાસ કર્યા પરંતુ ભારતીય બોર્ડે કહ્યું કે આ નિર્ણય સંપૂર્ણપણે સરકાર પર નિર્ભર છે. બીસીસીઆઈએ બેઠકમાં કહ્યું કે ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવું છે કે નહીં તેનો અંતિમ નિર્ણય ભારત સરકાર લેશે.
PCBએ કહ્યું હતું કે તે ભારતીય ટીમની સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખશે. આ માટે બોર્ડે ટીમ ઈન્ડિયાના લાહોરમાં રહેવાની વ્યવસ્થા કરવા કહ્યું હતું. બોર્ડે કહ્યું કે આનાથી ખેલાડીઓની સાથે ભારતીય ચાહકોને ઓછી મુસાફરી કરવી પડશે અને તેઓ વાઘા બોર્ડર દ્વારા સરળતાથી પાકિસ્તાન પહોંચી શકશે. PCB નથી ઈચ્છતું કે એશિયા કપની જેમ આ ટૂર્નામેન્ટ પણ હાઈબ્રિડ મોડલમાં યોજાય. PCBને પૂરી આશા છે કે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે.
પાકિસ્તાન 1996 પછી પહેલીવાર ICC ટૂર્નામેન્ટની યજમાની કરવા જઈ રહ્યું છે. આ માટે તેમણે ICCને 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી ટૂર્નામેન્ટ યોજવાનું સૂચન કર્યું છે. આથી તે લાહોર, કરાચી અને રાવલપિંડીના ત્રણેય સ્ટેડિયમને પોતાની પૂરી શક્તિથી તૈયાર કરવામાં વ્યસ્ત છે. આ માટે PCBએ ડિસેમ્બરની સમયમર્યાદા નક્કી કરી છે.
આ પણ વાંચો : Video: ભૂખ ન સહન કરી શક્યો આ ભારતીય ખેલાડી, ફ્લાઈટમાં જ ખાઈ લીધા ચાર-ચાર સમોસા