Asia Cup : પહેલા પાકિસ્તાનને હરાવ્યું, હવે ટીમ ઈન્ડિયા Pak ટીમની જીત માટે પ્રાર્થના કરશે, જાણો કેમ ?

એશિયા કપ (Asia Cup)નો ઈતિહાસ લગભગ 40 વર્ષનો છે જેમાં ભારતીય ટીમ 9 વખત ફાઈનલ રમી ચુકી છે પરંતુ આજ સુધી તેણે પાકિસ્તાન સામે એક પણ વખત મુકાબલો કર્યો નથી. હવે ટીમ ઈન્ડિયા 10મી વખત ફાઇનલમાં પહોંચી છે. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ રમાવાની સંભાવના જોવા મળી રહી છે.

Asia Cup : પહેલા પાકિસ્તાનને હરાવ્યું, હવે ટીમ ઈન્ડિયા Pak ટીમની જીત માટે પ્રાર્થના કરશે, જાણો કેમ ?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2023 | 12:04 PM

એશિયા કપ (Asia Cup)ની શરૂઆત પહેલા ભારતીય ક્રિકેટ ટીમના ફોર્મ અને તૈયારીઓને લઈને ઘણા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા હતા, પરંતુ સુપર 4ની 2 મેચ પૈકી એક મેચ  રમીને ટીમ ઈન્ડિયા સૌથી પહેલા ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી હતી. ટીમ ઈન્ડિયાએ સુપર-4 રાઉન્ડની પોતાની બીજી મેચમાં શ્રીલંકાને 41 રને હરાવીને ટાઈટલ મેચમાં જગ્યા બનાવી છે. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં આ 10મી વખત છે જ્યારે ભારતીય ટીમ ફાઈનલ રમશે અને આઠમા ટાઈટલ માટે દાવેદારી નોંધાવશે.

સવાલ એ છે કે, 17 સપ્ટેમ્બરે યોજાનારી ફાઇનલમાં ભારતનો સામનો કોણ કરશે પાકિસ્તાન કે વર્તમાન ચેમ્પિયન શ્રીલંકા? ટીમ ઈન્ડિયાએ આ મામલે પાકિસ્તાનને થોડી મદદ કરી છે.

આ પણ વાંચો : Shane Warne Birth Anniversary : શેન વોર્ન હોટલના રૂમમાં ખૂબ રડતો હતો, ક્રિકેટર સાથે જોડાયેલી છે આ સ્ટોરી

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

કોલંબોમાં સતત 3 દિવસ રમ્યા બાદ પણ ટીમ ઈન્ડિયાએ પોતાની પૂરી તાકાત બતાવી અને મુશ્કેલ સંજોગોમાં પણ જીત મેળવી. રવિવાર અને સોમવારે પાકિસ્તાન સામે 228 રનની શાનદાર જીત નોંધાવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ મંગળવારે શ્રીલંકાના પડકારને પણ પાર કર્યો. શ્રીલંકાના સ્પિન આક્રમણ સામે માત્ર 213 રન બનાવવા છતાં ટીમ ઈન્ડિયાએ 41 રનથી જીત મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે 17 સપ્ટેમ્બરે ટીમ ઈન્ડિયા ટાઈટલ જીતવા માટે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ઉતરશે.

ટીમ ઈન્ડિયાએ લાઈફલાઈન આપી

સુપર-4માં ચાર ટીમો રમી રહી છે, જેમાં ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચી ગઈ છે, જ્યારે શ્રીલંકાની હાર સાથે બાંગ્લાદેશ સત્તાવાર રીતે બહાર થઈ ગયું છે. હવે માત્ર પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે સ્પર્ધા છે અને તેનો નિર્ણય ગુરુવારે 14 સપ્ટેમ્બરે લેવામાં આવશે. બંને ટીમોએ ગ્રુપ સ્ટેજમાં એક-એક મેચ જીતી હતી. જેનાથી તેમને 2-2 પોઈન્ટ મળ્યા. બંને એક-એક મેચ હારી ચૂક્યા છે અને હવે છેલ્લી મેચમાં એકબીજાનો સામનો કરશે.

ભારતની જીત સાથે ફાઈનલનું સમીકરણ ઘણું સરળ થઈ ગયું છે. જે પણ ટીમ જીતશે તે ફાઇનલમાં પહોંચશે અને ભારતનો સામનો કરશે. એટલે કે ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવીને પાકિસ્તાનને લાઈફલાઈન આપી દીધી છે. જો શ્રીલંકાની ટીમે ભારતને હરાવ્યું હોત અને પછી ભારતે બાંગ્લાદેશને હરાવ્યું હોત, તો પાકિસ્તાનનો રસ્તો મુશ્કેલ બની ગયો હોત કારણ કે સુપર-4માં સૌથી ખરાબ નેટ રન રેટને કારણે તેણે શ્રીલંકાને મોટા અંતરથી હરાવવું પડત. હવે તેણે શ્રીલંકા સામે જીતવાનું છે, પછી ભલે તે ગમે તેટલા માર્જિનથી હોય.

ભારત-પાકિસ્તાન ફાઈનલ?

જો કે, કોલંબોમાં હવામાન એવું છે કે વરસાદને કારણે મેચ ખોરવાઈ શકે છે. હવે જો વરસાદ પડે અને મેચ રમાઈ ન શકે તો મેચ રદ્દ ગણવામાં આવશે અને બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે. એટલે કે ફરી સમાનતા.આવી સ્થિતિમાં ફાઇનલિસ્ટનો નિર્ણય નેટ રન રેટના આધારે કરવામાં આવશે અને ભારત સામેની હાર છતાં શ્રીલંકા આ રેસમાં પાકિસ્તાન કરતાં ઘણું આગળ છે. એક જીત, એક હાર પછી શ્રીલંકાની NRR -0.200 છે. પાકિસ્તાનને પણ એક જીત અને એક હાર મળી છે પરંતુ તેનો રન રેટ -1.892 છે, જે સૌથી ખરાબ છે. તેનું કારણ ભારતની કારમી હાર હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો શ્રીલંકા સાથે થશે અને ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની ફાઈનલની રાહ પૂર્ણ થશે નહીં.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">