
ભારત અને બાંગ્લાદેશ 24 સપ્ટેમ્બરે ટકરાશે. આ મેચમાં ભારતીય ટીમ કઈ પ્લેઈંગ ઈલેવનને મેદાનમાં ઉતારશે? શું ટીમમાં કોઈ ફેરફાર થશે? આ એક મોટો પ્રશ્ન છે. ભારતીય ટીમ અંગે કોઈ સમાચાર સામે આવ્યા નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવી શકે છે.
કારણ કે ટીમ ઈન્ડિયાએ 24 સપ્ટેમ્બર, 26 સપ્ટેમ્બર અને પછી 28 સપ્ટેમ્બરે અંતિમ મેચ રમવાની છે. આનો અર્થ એ છે કે ટીમ ઈન્ડિયા છ દિવસમાં ત્રણ મેચ રમી શકે છે, અને તેથી બુમરાહને આરામ આપવામાં આવી શકે છે. જસપ્રીત બુમરાહ પાકિસ્તાન સામે ખૂબ મોંઘો સાબિત થયો હતો અને તેને વિકેટ પણ મળી ન હતી, તેથી તેને આરામ આપવાનો નિર્ણય યોગ્ય હોઈ શકે છે.
જો જસપ્રીત બુમરાહ બાંગ્લાદેશ સામે નહીં રમે તો તેના સ્થાને અર્શદીપ સિંહને તક મળવાની ખાતરી છે. અર્શદીપે પણ આ ટુર્નામેન્ટમાં ફક્ત એક જ મેચ રમી છે. તે ઓમાન સામે રમ્યો હતો અને એક સફળતા મળી હતી. હવે જોવાનું એ છે કે તેને બાંગ્લાદેશ સામે તક મળે છે કે નહીં. અર્શદીપ સિંહની બોલિંગ પણ બાંગ્લાદેશી બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ ટીમ સામેની છેલ્લી T20 શ્રેણીમાં તે બે મેચમાં ચાર વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. બુમરાહને આરામ આપવા સિવાય, ટીમમાં કદાચ જ કોઈ ફેરફાર થશે.
અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, શિવમ દુબે, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ.
બાંગ્લાદેશ સામે ભારતનો રેકોર્ડ ખુબ જ સારો છે. બંને ટીમો 17 T20 મેચ રમી છે, જેમાંથી ભારતે 16 મેચ જીતી છે. બાંગ્લાદેશે ફક્ત એક જ મેચ જીતી છે, અને તે જીત છ વર્ષ પહેલા 2019 માં મળી હતી.
આ પણ વાંચો: Virat Kohli : કોહલી રમવા નથી માંગતો? ચીફ સિલેક્ટર અજીત અગરકરે કર્યો ફોન
Published On - 8:49 pm, Tue, 23 September 25