AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: એશિયા કપમાં ભારત સામે કારમી હાર બાદ પાકિસ્તાની કોચનું ચોંકાવનારું નિવેદન આવ્યું સામે

વરસાદના કારણે બે દિવસ સુધી ચાલેલી આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા વિરાટ કોહલીના અણનમ 122 અને કેએલ રાહુલના અણનમ 111 રનના આધારે 50 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 356 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની ટીમ આ વિશાળ સ્કોર સામે ટકી શકી ન હતી અને માત્ર 128 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ભારત સામે પાકિસ્તાનની વનડેમાં સૌથી મોટી હાર બાદ પાકિસ્તાનના કોચનું નિવેદન સામે આવ્યું હતું.

IND vs PAK: એશિયા કપમાં ભારત સામે કારમી હાર બાદ પાકિસ્તાની કોચનું ચોંકાવનારું નિવેદન આવ્યું સામે
Pakistan coach
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2023 | 5:22 PM
Share

એશિયા કપ 2023 (Asia Cup 2023)ની મેચમાં પાકિસ્તાનને ભારતના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. સુપર-4 મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 228 રનથી હરાવ્યું હતું. વનડેમાં રનના મામલામાં પાકિસ્તાન (Pakistan) સામે ભારતની આ સૌથી મોટી જીત છે. આ હાર બાદ પાકિસ્તાનના ખેલાડીઓ, પૂર્વ ખેલાડીઓ અને પ્રશંસકો નિરાશ છે, ત્યારે ટીમના કોચ ગ્રાન્ડ બ્રેડબર્ને (Grand Bradburn) આ હારને ટીમ માટે ભેટ ગણાવી છે. આ મેચમાં ભારતે પાકિસ્તાનની હાલત ખરાબ કરી દીધી હતી. ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ પહેલા ઘણા રન બનાવ્યા અને પછી ભારતીય બોલરોએ શાનદાર રમત બતાવીને પાકિસ્તાની બેટિંગની કમર તોડી નાખી હતી.

ભારત સામે પાકિસ્તાનની કારમી હાર

વરસાદના કારણે બે દિવસ સુધી ચાલેલી આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા વિરાટ કોહલીના અણનમ 122 અને કેએલ રાહુલના અણનમ 111 રનના આધારે 50 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 356 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની ટીમ આ વિશાળ સ્કોર સામે ટકી શકી ન હતી અને માત્ર 128 રનમાં જ સમેટાઈ ગઈ હતી.

હાર એક ભેટ છે: કોચ

મેચ બાદ ટીમના મુખ્ય કોચ બ્રેડબર્ને કહ્યું કે તેમના મતે છેલ્લા બે દિવસમાં જે પણ થયું તે એક ભેટ છે જેના માટે તે ટીમ ઈન્ડિયાનો આભાર માને છે. તેણે કહ્યું કે તેની ટીમ વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ સામે ભાગ્યે જ રમે છે. કોચે કહ્યું કે તેમની ટીમ છેલ્લા ત્રણ મહિનામાં એક પણ મેચ હારી નથી, પરંતુ ભારત સામેની હારથી તે જાગી ગયો અને કહ્યું કે ટીમને દરરોજ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાની જરૂર છે. તેણે કહ્યું કે આ હાર વાસ્તવમાં તેની ટીમ માટે ભેટ છે.

આ પણ વાંચો : IND vs PAK: વિરાટ કોહલીએ પહેલા સદી ફટકારી, પછી ખૂબ કરી મસ્તી, જુઓ Video

પાકિસ્તાન નંબર-1 વનડે ટીમ છે

પાકિસ્તાને હાલમાં જ ODIમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને તેના કારણે તે ODI રેન્કિંગમાં નંબર વન પર પહોંચી ગયું છે. આ ટીમે 2 સપ્ટેમ્બરે ભારત સામે રમાયેલી મેચમાં ભારતીય ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધો હતો. પરંતુ બીજી મેચમાં ભારતીય બેટ્સમેનોએ પાકિસ્તાની બોલરોને ખરાબ રીતે માત આપી હતી. આ મેચમાં ન તો શાહીન શાહ આફ્રિદીની સ્વિંગ કામ કરી શકી કે ન તો નસીમ શાહ અને હરિસ રઉફની ગતિ. રઉફ આખી ઓવર નાંખી શક્યો નહોતો. ઈજાના કારણે તે આખી મેચ રમી શક્યો નહોતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ-જામનગર બાદ હવે અમદાવાદમાં પણ 'હું નથુરામ' નાટકનો શો રદ
રાજકોટ-જામનગર બાદ હવે અમદાવાદમાં પણ 'હું નથુરામ' નાટકનો શો રદ
Breaking News: દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત, ધરપકડ પર રોક
Breaking News: દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત, ધરપકડ પર રોક
શિયાળાનો અંત કે ઉનાળાની શરૂઆત? ગુજરાતમાં હવામાનનું ઘમાસાણ
શિયાળાનો અંત કે ઉનાળાની શરૂઆત? ગુજરાતમાં હવામાનનું ઘમાસાણ
દુબઈથી સોનાની હેરાફેરીના નવા પેંતરાનો પર્દાફાશ
દુબઈથી સોનાની હેરાફેરીના નવા પેંતરાનો પર્દાફાશ
મહાશિવરાત્રી પહેલા ભવનાથ માર્ગ પર નોન-વેજથી વિવાદ
મહાશિવરાત્રી પહેલા ભવનાથ માર્ગ પર નોન-વેજથી વિવાદ
ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video
ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video
સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ
સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ
Breaking News : પરષોત્તમ સોલંકીનું સીમર ગામે કોળી સમાજને દબંગ નિવેદન
Breaking News : પરષોત્તમ સોલંકીનું સીમર ગામે કોળી સમાજને દબંગ નિવેદન
Breaking News : અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ 11 મહિના રહેશે બંધ
Breaking News : અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ 11 મહિના રહેશે બંધ
Breaking News : સંબંધો કરતાં જમીન મોટી, રાજોડનું હૃદય હચમચાવતું સત્ય
Breaking News : સંબંધો કરતાં જમીન મોટી, રાજોડનું હૃદય હચમચાવતું સત્ય
g clip-path="url(#clip0_868_265)">