Asia Cup 2023 પાકિસ્તાનમાં યોજાશે ! તો ટીમ ઈન્ડિયા કેવી રીતે રમશે મેચ?

એશિયા કપના આયોજનને લઈને વિશ્વ ક્રિકેટની બે શક્તિઓ અને બે પાડોશી દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલો વિવાદ તેના અંત સુધી પહોંચતો દેખાઈ રહ્યો છે. જેના પર બંને દેશોના ક્રિકેટ બોર્ડ સહમત હોવાનું જણાય છે. અહેવાલો અનુસાર, પાકિસ્તાન આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાનારી એશિયા કપ 2023 ODI ટૂર્નામેન્ટની યજમાની કરશે.

Asia Cup 2023 પાકિસ્તાનમાં યોજાશે ! તો ટીમ ઈન્ડિયા કેવી રીતે રમશે મેચ?
Asia cup 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2023 | 10:35 PM

WPL 2023 અને IPL 2023 ના ઉત્સાહ વચ્ચે એશિયા કપને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. છેલ્લા લગભગ 6 મહિનાથી ચાલી રહેલ ખેંચતાણ નિરાકરણની આરે પહોંચતી હોય તેમ લાગી રહ્યું છે. એશિયા કપના આયોજનને લઈને વિશ્વ ક્રિકેટની બે શક્તિઓ અને બે પાડોશી દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલો વિવાદ તેના અંત સુધી પહોંચતો દેખાઈ રહ્યો છે. જેના પર બંને દેશોના ક્રિકેટ બોર્ડ સહમત હોવાનું જણાય છે. અહેવાલો અનુસાર, પાકિસ્તાન આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાનારી એશિયા કપ 2023 ODI ટૂર્નામેન્ટની યજમાની કરશે. ફરક માત્ર એટલો હશે કે ભારતની મેચ પાકિસ્તાનમાં નહીં રમાય.

ભારતમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ODI વર્લ્ડ કપ પહેલા યોજાનારી આ ટૂર્નામેન્ટ એશિયા કપને લઈને ગયા વર્ષે ઓક્ટોબરથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વખતે એશિયન ક્રિકેટ કાઉન્સિલની ટૂર્નામેન્ટનું આયોજન પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ મોકલવાનો ઈન્કાર કરી દીધો હતો, જેના પછી ટૂર્નામેન્ટના આયોજનને લઈને અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી.

પાકિસ્તાનની સાથે સાથે કોણ હોઈ શકે છે  મેજબાન દેશ ?

મળતી માહિતી અનુસાર, બંને બોર્ડ વચ્ચે ટૂર્નામેન્ટ માટે વચ્ચેના માર્ગ પર સમજૂતી થઈ હોય તેમ લાગી રહ્યું છે. અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં જ ટૂર્નામેન્ટનું આયોજન કરવું શક્ય જણાય છે.  કારણ કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને BCCI વચ્ચે ટુર્નામેન્ટને બે અલગ-અલગ સ્થળોએ આયોજિત કરવા માટે સહમતિ થઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતની મેચ પાકિસ્તાનને બદલે અન્ય કોઈ દેશમાં યોજવામાં આવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એશિયા કપ પર સંઘર્ષની સ્થિતિને સમાપ્ત કરવા માટે ACCના તમામ સભ્યો આ પ્રસ્તાવ પર સૈદ્ધાંતિક રીતે સહમત થયા છે. ગયા અઠવાડિયે ICC બોર્ડની બેઠકની સમયે દુબઈમાં ACC સભ્યોની બેઠકમાં આ અંગે સહમતિ બની હતી. જો કે આ અંગે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. ઉકેલના આ માર્ગને સંપૂર્ણ રીતે સાચો બનાવવા માટે, એક કાર્યકારી જૂથની રચના કરવામાં આવી છે, જે તમામ ટીમોની સંમતિને ધ્યાનમાં રાખીને મુસાફરી યોજના અને લોજિસ્ટિક્સની વ્યવસ્થાઓનું ધ્યાન રાખશે.

એશિયા કપ 2023નું ફોર્મેટ કેવું હશે ?

  • ટુર્નામેન્ટના ફોર્મેટ હેઠળ આ વખતે પણ 6 ટીમો ભાગ લેશે, જેને 3-3ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે.
  • ભારત અને પાકિસ્તાન ફરી એકસાથે એક ગ્રુપમાં છે
  • બીજા ગ્રુપમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન છે.
  • બંને ગ્રુપમાંથી 2-2 ટીમો સુપર-4 રાઉન્ડમાં પહોંચશે, જ્યાં તમામ ટીમો એકબીજા સાથે ટકરાશે.
  • ત્યારબાદ બે ટીમો ફાઇનલમાં પહોંચશે. એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 3 મેચો થઈ શકે છે.
  • ટૂર્નામેન્ટમાં કુલ 13 મેચો રમાશે, જેમાં ઓછામાં ઓછી 5 મેચો (તમામ ભારતની) પાકિસ્તાનની બહાર રમાશે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">