AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: અનંતનાગ એન્કાઉન્ટર બાદ વિરાટ કોહલી ટ્રોલ થતાં BCCIએ આપ્યો જવાબ

અનંતનાગ એન્કાઉન્ટર બાદ પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવા બદલ સોશિયલ મીડિયા પર ભારતીય ક્રિકેટરો અને BCCIની ભારે ટીકા થઈ રહી છે. આ બંને ટીમો તાજેતરમાં એશિયા કપ 2023માં એક મેચ રમી હતી અને મેચ દરમિયાન બંને ટીમના ખેલાડીઓ વચ્ચે મિત્રતા પણ જોવા મળી હતી. જે બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ વિરાટ કોહલીને ટ્રોલ કરી રહ્યા છે. હવે આ અંગે BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આ મામલે પોતાનો અભિપ્રાય આપ્યો છે.

IND vs PAK: અનંતનાગ એન્કાઉન્ટર બાદ વિરાટ કોહલી ટ્રોલ થતાં BCCIએ આપ્યો જવાબ
Virat Kohli
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2023 | 9:19 PM
Share

અનંતનાગમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI ) અને ભારતીય ક્રિકેટરો નિશાના પર છે. તેનું કારણ છે પાકિસ્તાન સાથેની તાજેતરની મેચ દરમિયાન ભારતીય ખેલાડીઓનું પાકિસ્તાની ખેલાડીઓ પ્રત્યેનું મૈત્રીપૂર્ણ વલણ. પાકિસ્તાન સાથે મેચ રમવા બદલ BCCI અને ભારતીય ખેલાડીઓની ટીકા થઈ રહી છે. ઘણા લોકો માને છે કે પાકિસ્તાન (Pakistan) આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે અને સતત આતંકવાદી ગતિવિધિઓ કરી રહ્યું છે અને આવી સ્થિતિમાં ભારતે પાકિસ્તાન સાથે ક્રિકેટ ન રમવી જોઈએ. હવે BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા (Rajiv Shukla) એ આ મામલે પોતાનો અભિપ્રાય આપ્યો છે. રાજીવ શુક્લાએ અનંતનાગમાં થયેલા હુમલાની આકરી ટીકા કરી છે.

વિરાટ કોહલી થયો ટ્રોલ

અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાના બે અધિકારી અને જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકારી શહીદ થયા છે. આ ઘટના બાદ સમગ્ર દેશમાં ફરી એકવાર પાકિસ્તાન સામે ગુસ્સો છે જે સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. ભારત પાકિસ્તાન મેચ બાદ બાબર આઝમ અને શાદાબ ખાન સહિત પાકિસ્તાની ખેલાડીઓ સાથે વિરાટ કોહલી હસી મજાક કરતો જોવા મળ્યો હતો જે બાદ હવે ફેન્સ વિરાટ કોહલીને ટ્રોલ કરી રહ્યા છે.

પાકિસ્તાનને લઈને સ્પષ્ટ નીતિ

ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા રાજીવ શુક્લાએ આ હુમલાની આકરી નિંદા કરી છે અને કહ્યું છે કે આતંકવાદીઓ વિરુદ્ધ કડક એક્શન લેવા જોઈએ. તેમણે કહ્યું કે છેલ્લા 20 વર્ષમાં દરેક સરકારે આતંકવાદ સામે લડત આપી છે. પાકિસ્તાનને સૂચના આપતા રાજીવ શુક્લાએ કહ્યું કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સારી નથી, તેથી આતંકવાદને સમર્થન આપવું ન તો તેમના માટે સારું છે અને ન તો વિશ્વ માટે. આ પછી રાજીવ શુક્લાએ કહ્યું કે જ્યાં સુધી ક્રિકેટની વાત છે તો આ મામલે સ્પષ્ટ નીતિ છે કે ભારત પાકિસ્તાન સામે કોઈ દ્વિપક્ષીય શ્રેણી નહીં રમે.

આ પણ વાંચો : PAK vs SL: પાકિસ્તાને બીજી વખત ટીમ બદલી, પસંદગી બાદ 2 ખેલાડીઓને પડતા મૂક્યા

11 વર્ષથી દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી

ભારત અને પાકિસ્તાન વચ્ચેની દ્વિપક્ષીય શ્રેણી છેલ્લા 11 વર્ષથી બંધ છે. આ બંને ટીમો એકબીજા સામે માત્ર એશિયા કપ કે વર્લ્ડ કપમાં જ રમે છે. છેલ્લી વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે 2012માં દ્વિપક્ષીય શ્રેણી રમાઈ હતી. ત્યારે પાકિસ્તાને ભારતનો પ્રવાસ કર્યો હતો. પરંતુ આ પછી કોઈ ટીમે એકબીજાના દેશની મુલાકાત લીધી નથી. હાલમાં રમાઈ રહેલા એશિયા કપનું યજમાન પાકિસ્તાન છે. પરંતુ BCCIએ સ્પષ્ટપણે ઈન્કાર કરી દીધો હતો કે તે તેની ટીમ પાકિસ્તાન નહીં મોકલે અને તેથી એશિયા કપની મોટાભાગની મેચો શ્રીલંકામાં યોજાઈ રહી છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">