IND vs PAK: અનંતનાગ એન્કાઉન્ટર બાદ વિરાટ કોહલી ટ્રોલ થતાં BCCIએ આપ્યો જવાબ

અનંતનાગ એન્કાઉન્ટર બાદ પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવા બદલ સોશિયલ મીડિયા પર ભારતીય ક્રિકેટરો અને BCCIની ભારે ટીકા થઈ રહી છે. આ બંને ટીમો તાજેતરમાં એશિયા કપ 2023માં એક મેચ રમી હતી અને મેચ દરમિયાન બંને ટીમના ખેલાડીઓ વચ્ચે મિત્રતા પણ જોવા મળી હતી. જે બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ વિરાટ કોહલીને ટ્રોલ કરી રહ્યા છે. હવે આ અંગે BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આ મામલે પોતાનો અભિપ્રાય આપ્યો છે.

IND vs PAK: અનંતનાગ એન્કાઉન્ટર બાદ વિરાટ કોહલી ટ્રોલ થતાં BCCIએ આપ્યો જવાબ
Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2023 | 9:19 PM

અનંતનાગમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI ) અને ભારતીય ક્રિકેટરો નિશાના પર છે. તેનું કારણ છે પાકિસ્તાન સાથેની તાજેતરની મેચ દરમિયાન ભારતીય ખેલાડીઓનું પાકિસ્તાની ખેલાડીઓ પ્રત્યેનું મૈત્રીપૂર્ણ વલણ. પાકિસ્તાન સાથે મેચ રમવા બદલ BCCI અને ભારતીય ખેલાડીઓની ટીકા થઈ રહી છે. ઘણા લોકો માને છે કે પાકિસ્તાન (Pakistan) આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે અને સતત આતંકવાદી ગતિવિધિઓ કરી રહ્યું છે અને આવી સ્થિતિમાં ભારતે પાકિસ્તાન સાથે ક્રિકેટ ન રમવી જોઈએ. હવે BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા (Rajiv Shukla) એ આ મામલે પોતાનો અભિપ્રાય આપ્યો છે. રાજીવ શુક્લાએ અનંતનાગમાં થયેલા હુમલાની આકરી ટીકા કરી છે.

વિરાટ કોહલી થયો ટ્રોલ

અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાના બે અધિકારી અને જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકારી શહીદ થયા છે. આ ઘટના બાદ સમગ્ર દેશમાં ફરી એકવાર પાકિસ્તાન સામે ગુસ્સો છે જે સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. ભારત પાકિસ્તાન મેચ બાદ બાબર આઝમ અને શાદાબ ખાન સહિત પાકિસ્તાની ખેલાડીઓ સાથે વિરાટ કોહલી હસી મજાક કરતો જોવા મળ્યો હતો જે બાદ હવે ફેન્સ વિરાટ કોહલીને ટ્રોલ કરી રહ્યા છે.

પાકિસ્તાનને લઈને સ્પષ્ટ નીતિ

ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા રાજીવ શુક્લાએ આ હુમલાની આકરી નિંદા કરી છે અને કહ્યું છે કે આતંકવાદીઓ વિરુદ્ધ કડક એક્શન લેવા જોઈએ. તેમણે કહ્યું કે છેલ્લા 20 વર્ષમાં દરેક સરકારે આતંકવાદ સામે લડત આપી છે. પાકિસ્તાનને સૂચના આપતા રાજીવ શુક્લાએ કહ્યું કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સારી નથી, તેથી આતંકવાદને સમર્થન આપવું ન તો તેમના માટે સારું છે અને ન તો વિશ્વ માટે. આ પછી રાજીવ શુક્લાએ કહ્યું કે જ્યાં સુધી ક્રિકેટની વાત છે તો આ મામલે સ્પષ્ટ નીતિ છે કે ભારત પાકિસ્તાન સામે કોઈ દ્વિપક્ષીય શ્રેણી નહીં રમે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

આ પણ વાંચો : PAK vs SL: પાકિસ્તાને બીજી વખત ટીમ બદલી, પસંદગી બાદ 2 ખેલાડીઓને પડતા મૂક્યા

11 વર્ષથી દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી

ભારત અને પાકિસ્તાન વચ્ચેની દ્વિપક્ષીય શ્રેણી છેલ્લા 11 વર્ષથી બંધ છે. આ બંને ટીમો એકબીજા સામે માત્ર એશિયા કપ કે વર્લ્ડ કપમાં જ રમે છે. છેલ્લી વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે 2012માં દ્વિપક્ષીય શ્રેણી રમાઈ હતી. ત્યારે પાકિસ્તાને ભારતનો પ્રવાસ કર્યો હતો. પરંતુ આ પછી કોઈ ટીમે એકબીજાના દેશની મુલાકાત લીધી નથી. હાલમાં રમાઈ રહેલા એશિયા કપનું યજમાન પાકિસ્તાન છે. પરંતુ BCCIએ સ્પષ્ટપણે ઈન્કાર કરી દીધો હતો કે તે તેની ટીમ પાકિસ્તાન નહીં મોકલે અને તેથી એશિયા કપની મોટાભાગની મેચો શ્રીલંકામાં યોજાઈ રહી છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">