બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ (Bangladesh Cricket Team) માં ઉથલપાથલ અને ફેરફારો સામાન્ય છે. ક્યારેક બોર્ડ અને ખેલાડીઓ વચ્ચે તકરાર થાય છે તો ક્યારેક બોર્ડ પ્રમુખ ખેલાડીઓના પ્રદર્શન પર ગુસ્સે થઈ જાય છે. કેપ્ટનશિપને લઈને પણ ઘણા ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે અને પરિણામે એશિયા કપ (Asia Cup 2022) પહેલા જ ટીમની T20 કેપ્ટનશીપમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે દિગ્ગજ ઓલરાઉન્ડર શાકિબ અલ હસન (Shakib Al Hasan) ને એશિયા કપ અને T20 વર્લ્ડ કપ માટે ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે.
13 ઓગસ્ટ, શનિવારે એશિયા કપ માટે ટીમની જાહેરાત કરવાની સાથે બાંગ્લાદેશ બોર્ડે શાકિબને ટીમની કમાન સોંપવાની પણ જાહેરાત કરી હતી. છેલ્લા એક-બે મહિનાથી ટીમની કેપ્ટનશીપને લઈને મૂંઝવણ હતી અને મેહમુદુલ્લાહની કેપ્ટનશીપ પર સવાલો ઉઠી રહ્યા હતા. જે બાદ તેણે પોતે જ સુકાની પદ છોડવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે બોર્ડે ઝિમ્બાબ્વેના પ્રવાસ માટે ટી20 ટીમની કપ્તાની નુરુલ હસનને આપી હતી.
— Bangladesh Cricket (@BCBtigers) August 13, 2022
હવે બાંગ્લાદેશી બોર્ડે દિગ્ગજ ઓલરાઉન્ડર શાકિબને આગામી બે મોટી ટૂર્નામેન્ટ માટે તેની ટીમને સ્થિરતા આપવા માટે આ જવાબદારી સોંપી છે. શાકિબ અને બોર્ડ ભૂતકાળમાં પણ સામસામે આવી ગયા હતા, જ્યારે સ્ટાર ક્રિકેટરે એક સટ્ટાકીય કંપની સાથે સ્પોન્સરશિપ ડીલ કરી હતી. આ પછી બોર્ડે શાકિબને ચેતવણી આપી હતી કે જો તે રાષ્ટ્રીય ટીમ માટે રમવા માંગે છે તો ડીલ રદ કરવી પડશે. શાકિબે બોર્ડનું પાલન કરવું પડ્યું અને ડીલ રદ્દ થયા બાદ જ બોર્ડે તેને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો.
એશિયા કપ માટે બાંગ્લાદેશની ટીમ
તે જ સમયે, પસંદગીકારોએ એશિયા કપ માટે 17 સભ્યોની ટીમની પણ જાહેરાત કરી હતી, જેમાં વરિષ્ઠ બેટ્સમેન મુશ્ફિકુર રહીમ અને મેહમુદુલ્લાહની પણ વાપસી થઈ છે. એશિયા કપમાં બાંગ્લાદેશને શ્રીલંકા અને અફઘાનિસ્તાનની સાથે ગ્રુપમાં રાખવામાં આવી છે. તે જ સમયે, T20 વર્લ્ડ કપમાં, ટીમને ફરી એકવાર ક્વોલિફાયર રાઉન્ડમાંથી પસાર થવું પડશે.
શાકિબ અલ હસન (કેપ્ટન), અનામુલ હક, મુશફિકુર રહીમ, અફીફ હુસૈન, મોસાદ્દક હુસૈન, મેહમુદુલ્લાહ, મેહદી હસન, મોહમ્મદ સૈફુદ્દીન, હસન મહમૂદ, મુસ્તફિઝુર રહેમાન, નસુમ અહેમદ, શબ્બીર રહેમાન, મેહદી હસન મિરાજ, ઇબાદત હુસૈન, પરવેઝ હુસૈન ઈમોન, નૂરૂલ હસન સોહન, તસ્કીન અહેમદ.
Published On - 8:28 pm, Sat, 13 August 22