એશિયા કપ (Asia Cup 2022) માં ભારત સામે પાંચ વિકેટથી હારનો સામનો કરનાર પાકિસ્તાની ટીમની આગામી મેચ શુક્રવારે હોંગકોંગ સામે છે. પાકિસ્તાન (Pakistan Cricket Team) માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો અહીં કોઈ ભૂલ થશે તો તેને ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડશે. એ વાત ચોક્કસ છે કે, હોંગકોંગ પર પાકિસ્તાનનો દબદબો છે, પરંતુ તેના ભૂતપૂર્વ કેપ્ટન ઈન્ઝમામ-ઉલ-હકે (Inzamam ul Haq) પોતાની ટીમને ચેતવણી આપી છે. ઈન્ઝમામે પાકિસ્તાની ટીવી ચેનલ પર વાત કરતા કહ્યું કે પાકિસ્તાને હોંગકોંગને બિલકુલ હળવાશથી ન લેવું જોઈએ.
ઈન્ઝમામ-ઉલ-હકે કહ્યું કે ટી-20 ફોર્મેટમાં કોઈપણ ટીમને હળવાશથી ન લેવી જોઈએ. ઈન્ઝમામની વાત 100% સાચી છે. હોંગકોંગને ટીમ ઈન્ડિયા સામે 40 રને હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેણે પોતાની રમતથી બધાને પ્રભાવિત કર્યા હતા. બાબર હયાતે સારી બેટિંગ કરી, જ્યારે આયુષ શુક્લા, એહસાન ખાને અદભૂત બોલિંગ કરી. શુક્રવારે રમાનારી મેચમાં જો હોંગકોંગ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરે છે તો પાકિસ્તાને તેને હાર માનવી પડી શકે છે.
પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે પાકિસ્તાનને તેની પ્લેઈંગ ઈલેવન બદલવાની સલાહ આપી છે. તેણે કહ્યું કે હૈદર અલીને હોંગકોંગ સામેની મેચમાં તક મળવી જોઈએ. તેમજ પાકિસ્તાને ખુશદિલ શાહ અને આસિફ અલી પર જોખમ ઉઠાવવું જોઈએ. ઈન્ઝમામે કહ્યું કે પાકિસ્તાની ટીમ શોએબ મલિકને મિસ કરી રહી છે. પાકિસ્તાની ટીમમાં તેના જેવો કોઈ ખેલાડી નથી. ઈન્ઝમામે મોહમ્મદ અકરમ જુનિયરની ઈજા બાદ ટીમમાં સ્થાન મેળવનાર ઝડપી બોલર હસન અલીને તક આપવાની વાત પણ કરી હતી.
ભારત સામે પાકિસ્તાનની બેટિંગ શોર્ટ બોલ સામે નબળી દેખાતી હતી. હોંગકોંગ આ જાણે છે અને શક્ય છે કે તે પાકિસ્તાનની આ નબળાઈ પર હુમલો કરે. પાકિસ્તાનનો મિડલ ઓર્ડર પણ ઘણો બિનઅનુભવી છે અને બોલિંગમાં શાહીન આફ્રિદીની ગેરહાજરીને કારણે બાબરની ટીમ પણ આ મોરચે નબળી છે. ભારતીય બોલરોએ પાકિસ્તાનની ટીમને ઓલ આઉટ કરી દીધુ હતુ. આમ હવે એ જ મુજબ હોંગ કોંગ પાકિસ્તાનને પરેશાન કરવા માટે દાવ અજમાવી શકે છે.
Published On - 7:22 pm, Thu, 1 September 22