ઓક્ટોબરમાં યોજાનાર T20 વર્લ્ડ કપ (T20 world Cup 2022) માટે સોમવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં ઘણા યુવા સ્ટાર્સને સ્થાન મળ્યું છે, પરંતુ આ ટીમમાં એક એવો ખેલાડી પણ છે જે છ મહિના પહેલા સુધી ટીમ ઈન્ડિયા (Team India) ની આસપાસ નહોતો. આ ખેલાડી છે અર્શદીપ સિંહ (Arshdeep Singh). યુવા ભારતીય સ્ટાર અર્શદીપ સિંહ પંજાબથી આવે છે. તેના પિતાએ તેને ક્રિકેટર બનવાની પ્રેરણા આપી હતી. તેના ઘરની નજીકના એક પાર્કમાં તેના પિતા દર્શન સિંહે અર્શદીપને ઈનસ્વિંગર ફેંકતા જોયો અને તેને ચંદીગઢમાં જસવંત રાયની એકેડમીમાં દાખલ કરાવ્યો.
અર્શદીપના ઘરથી તેની એકેડમી ઘણી દૂર હતી. તેમનું ઘર ખરારમાં હતું અને તેમની એકેડમી ચંદીગઢમાં હતી. તે અત્યાર સુધી સાયકલ પર જતો હતો. તેના કોચે એક મીડિયા અહેવાલમાં કહ્યું હતું કે એક વાક્યથી તેને ખાતરી થઈ ગઈ છે કે તે પોતાના દેશ માટે રમશે.
કોચે જણાવ્યું હતું કે એકવાર અર્શદીપ પગપાળા એકેડમી આવ્યો હતો કારણ કે તેની સાઇકલ ખરાબ થઈ ગઈ હતી. તેણે કહ્યું હતું કે, “તે ઉનાળાનો સખત દિવસ હતો અને અર્શદીપ સવારે પ્રેક્ટિસ કરવા માટે ઘણો મોડો આવ્યો હતો. પ્રેક્ટિસ 5:30 વાગ્યે શરૂ થતી હતી. જ્યારે મેં તેને પૂછ્યું તો તેણે મને કહ્યું કે કોઈ પણ સજા આપશો. પ્રેક્ટિસ પછી, મેં જોયું કે પાર્કિંગમાં કોઈ સાયકલ નહોતી. મેં તેને સાઈકલ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે સાઈકલ ખરાબ થઈ ગઈ છે. તે ઘરેથી પગપાળા આવ્યો છે. તે મને અગાઉ કહી શક્યો હોત પણ તેણે તેમ ન કર્યું. તે દિવસે મને ખબર પડી કે તે ભારત માટે રમવાનો ઉત્સાહી છે.
અર્શદીપે આઈપીએલમાં પોતાની પ્રતિભા દેખાડી હતી. IPL-2022 માં તેણે સાબિત કર્યું કે તે પોતાની રમતમાં સતત સુધારો કરી રહ્યો છે. તેના આધારે તે ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો હતો. જુલાઈમાં ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટી-20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં તેની પસંદગી થઈ હતી. અહીંથી અર્શદીપે એવી રમત દેખાડી કે તે T20 વર્લ્ડ કપ માટે ટીમમાં આવી ગયો. ડેથ ઓવરોમાં ચુસ્ત બોલિંગ કરવી તેની ખાસિયત છે. તેના યોર્કર્સ બેટ્સમેનો માટે ખતરનાક સાબિત થયા છે. તેણે ભારત માટે અત્યાર સુધી 11 ટી20 મેચ રમી છે અને 14 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. આટલી ઓછી મેચોમાં અર્શદીપે પોતાને T20 વર્લ્ડ કપની ટીમનો દાવેદાર જાહેર કર્યો હતો.
Published On - 11:53 pm, Mon, 12 September 22