AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જેની સામે વિરાટ કોહલીએ 45ની એવરેજથી રન બનાવ્યા તેણે નિવૃત્તિ લીધી

ભારતમાં ચાલી રહેલ વનડે વર્લ્ડ કપ દરમિયાન દિગ્ગજ ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે આ ખેલાડીએ ભારત ડેબ્યૂ લરયુ હતું અને ટીમ ઈન્ડિયા સામે જ અંતિમ મેચ પણ રમી હતી. આ સિવાય તે વિરાટ કોહલીને બે વાર આઉટ પણ કરી ચૂક્યો છે.

જેની સામે વિરાટ કોહલીએ 45ની એવરેજથી રન બનાવ્યા તેણે નિવૃત્તિ લીધી
Sunil Narine & Vira Kohli
| Updated on: Nov 06, 2023 | 12:03 PM
Share

વર્લ્ડ કપ 2023માં વિરાટ કોહલીનો દબદબો રહ્યો છે. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની હરોળમાં ઊભો છે. આ દરમિયાન તેને બે વાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આઉટ કરનાર બોલરે નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ ખેલાડી છે વેસ્ટ ઈન્ડિઝનો સ્ટાર સ્પિનર સુનિલ નારાયણ.

સુનિલ નારાયણે વિરાટ કોહલીને 10 ઈનિંગ્સમાં બે વાર આઉટ કર્યો હતો પરંતુ તેની સામે વિરાટે 45 ની સરેરાશથી તેની સંએ રન પણ બનાવ્યા છે. વેસ્ટ ઈન્ડિઝના સુનીલ નારાયણે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટની 8 વર્ષની સફરનો અંત આણ્યો છે અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી આ નાગે જાણકારી આપી હતી.

પહેલી અને છેલ્લી મેચ ભારત સામે રમી

સુનીલ નારાયણે વેસ્ટ ઈન્ડિઝ માટે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ 2011માં ભારત સામે રમી હતી. મતલબ કે તેનું આંતરરાષ્ટ્રીય ડેબ્યુ ભારત સામે હતું. તેણે વેસ્ટ ઈન્ડિઝ માટે તેની છેલ્લી મેચ પણ ભારત સામે રમી હતી. ODI ક્રિકેટથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર નારાયણે વર્ષ 2019માં T20માં તેની છેલ્લી મેચ રમી હતી.

સુનીલ નારાયણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

નિવૃત્તિની જાહેરાત કરતી વખતે સુનીલ નારાયણે ઉલ્લેખ કર્યો હતો કે તેને વેસ્ટ ઈન્ડિઝ માટે છેલ્લી મેચ રમ્યાને 4 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખતા તેણે તમામ લોકોનો આભાર માન્યો હતો જેમણે વેસ્ટ ઈન્ડિઝ માટે રમવાનું તેનું સ્વપ્ન સાકાર કર્યું અને તેની કારકિર્દી દરમિયાન તેની મદદ કરી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ vs નારાયણ

સુનીલ નારાયણે 8 વર્ષમાં વેસ્ટ ઈન્ડિઝ માટે 122 ઈન્ટરનેશનલ મેચ રમી હતી, જેમાં તેણે 165 વિકેટ ઝડપી હતી. આ સમયગાળા દરમિયાન નરીને 10 આંતરરાષ્ટ્રીય ઈનિંગ્સમાં વિરાટ કોહલીનો સામનો કર્યો હતો અને તેને બે વખત આઉટ કર્યો હતો. વિરાટે પણ નરેન સામે 45ની એવરેજથી 102 બોલનો સામનો કરીને 90 રન બનાવ્યા હતા.

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટમાં નારાયણનું યોગદાન

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટમાં સુનીલ નારાયણના યોગદાન વિશે વાત કરીએ, તો તેણે વિન્ડિઝને 2012 T20 વર્લ્ડ કપ જીતવામાં મદદ કરી છે. આ સિવાય તે વેસ્ટ ઈન્ડિઝ માટે 2014નો T20 વર્લ્ડ કપ પણ રમ્યો હતો. સુનીલ નારાયણ 2015 ODI વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ તરફથી રમી શક્યો ન હતો.

આ પણ વાંચો: ચાલુ મેચમાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્માની ફિલ્મના ગીત પર કર્યો મજેદાર ડાન્સ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની આગમાં મસાલા માર્કેટ શેકાયું
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની આગમાં મસાલા માર્કેટ શેકાયું
પેટ્રોલ ખૂટવાની અફવા વચ્ચે જામનગરમાં પેટ્રોલ માટે લોકોની દોડધામ
પેટ્રોલ ખૂટવાની અફવા વચ્ચે જામનગરમાં પેટ્રોલ માટે લોકોની દોડધામ
પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવશો, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવશો, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
g clip-path="url(#clip0_868_265)">