Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashes: કોહલી બાદ જો રુટનો કમાલ, એક સેકન્ડથી પણ ઓછા સમયમાં ઝડપ્યો દમદાર કેચ, જુઓ Video

ઓવલ ટેસ્ટના બીજા દિવસે ઈંગ્લેન્ડને પહેલી સફળતા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો અને તેમને આ સફળતા ત્યારે મળી જ્યારે જો રૂટે માર્નસ લાબુશેનનો શનદાર કેચ ઝડપ્યો હતો. આ કેચ જોઈ બધાને વિરાટ કોહલીની યાદ આવી ગઈ હતી.

Ashes: કોહલી બાદ જો રુટનો કમાલ, એક સેકન્ડથી પણ ઓછા સમયમાં ઝડપ્યો દમદાર કેચ, જુઓ Video
Joe Root
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2023 | 8:59 PM

ઈંગ્લેન્ડ (England) અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની એશિઝ શ્રેણી તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયા એશિઝ (Ashes 2023) પર કબજો જમાવી ચૂક્યું છે, પરંતુ હવે યજમાન ઈંગ્લેન્ડ માટે સન્માનની લડાઈ છે. જેના માટે ઈંગ્લેન્ડ કોઈ તક ગુમાવવા માંગતુ નથી. આવી જ એક તક ઓવલ (Oval) ખાતે રમાઈ રહેલી પાંચમી અને છેલ્લી ટેસ્ટના બીજા દિવસે આવી, જે ભૂલથી વેડફાઈ ગઈ હોત, પરંતુ જો રૂટની ચપળતાએ આ તકને સફળતામાં પરિવર્તિત કરી હતી.

ઓવલમાં છેલ્લી ટેસ્ટ

ઈંગ્લિશ ટીમ સિરીઝમાં પાછળ છે અને તેની પાસે માત્ર સીરિઝને ડ્રો કરવાની તક છે. આ માટે તેમણે ઓવલમાં રમાઈ રહેલી છેલ્લી ટેસ્ટમાં જીત મેળવવી પડશે. જોકે, તેની શરૂઆત સારી રહી ન હતી અને પોતાની પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 283 રન જ બનાવી શકી હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ તેના પ્રથમ દાવમાં જોરદાર શરૂઆત કરી હતી.

AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો
ગૌરી ખાનની કુંડલી એટલી શક્તિશાળી છે કે જે લગ્ન કરતો એ રાજયોગ ભોગવતો
મચ્છરને નથી ગમતી આ ગંધ, આ વસ્તુ ઘરમાં રાખવામાં આવે તો મચ્છર થઇ જશે છુમંતર
Jioનો સૌથી સસ્તો પ્લાન લોન્ચ ! માત્ર 895માં મળી રહી 336 દિવસની વેલિડિટી

ઈંગ્લેન્ડને દોઢ કલાક બાદ મળી વિકેટ

બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ તેનો પ્રથમ દાવ લંબાવ્યો હતો અને ઈંગ્લેન્ડ દોઢ કલાક સુધી એકપણ વિકેટ મેળવી શક્યું ન હતું. ઈંગ્લેન્ડના બોલરો માર્નસ લાબુશેનથી સતત પરેશાન થઈ રહ્યા હતા, પરંતુ તેમ છતાં વિકેટ મળી ન હતી. ઘણી રાહ જોયા પછી એક તક મળી. લાબુશેને માર્ક વૂડના બોલને ડિફેન્સ કર્યો પરંતુ બોલ બેટની કિનારીએ અથડાઈ વિકેટ પાછળ ગયો હતો.

જો રૂટનો દમદાર કેચ

અહીં જોની બેરસ્ટોએ ભૂલ કરી હતી. આ કેચ વિકેટકીપરનો હતો, જેણે પોતાની જમણી તરફ ડાઈવ લગાવીને બોલને પકડવાનો હતો. પરંતુ તે આ કેચ લેવામાં ચૂકી ગયો જે ભૂલ બહુ મોટી હોઈ શકે તેમ હતું, પરંતુ પ્રથમ સ્લિપમાં ઉભેલો જો રૂટ ખૂબ જ સતર્ક હતો અને તેણે તરત જ પોતાનો ડાબો હાથ ઊંચો કરીને બોલ કેચ કર્યો હતો. આ બધું માત્ર એક જ સેકન્ડમાં થયું અને રૂટે જબરદસ્ત કેચ કરીને લાબુશેનને પેવેલિયન પાછો મોકલ્યો હતો.

કોહલીએ પણ શાનદાર કેચ લીધો હતો

જો રૂટના આ શાનદાર કેચના લગભગ 24 કલાક પહેલા વિરાટ કોહલીએ પણ આવો જ જબરદસ્ત કેચ લીધો હતો. બાર્બાડોસમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ ODI મેચમાં કોહલીએ જાડેજાની બોલ પર રોમારિયો શેફર્ડનો અદ્ભુત કેચ લીધો હતો. કોહલીએ પણ માત્ર એક હાથથી શાનદાર કેચ પકડ્યો હતો.

આ પણ વાંચો : IND vs WI: વિરાટ કોહલીના એક કેચથી રવિન્દ્ર જાડેજાની ઈચ્છા થઈ પૂરી, જુઓ Video

લાબુશેનની ખૂબ જ ધીમી બેટિંગ

જ્યાં સુધી ઓવલ ટેસ્ટનો સવાલ છે, આ ઈનિંગ લાબુશેન માટે સારી ન હતી. તેણે લાંબો સમય ક્રિઝ પર વિતાવ્યો, પરંતુ તેના બેટમાંથી વધુ રન ન બનાવી શક્યો. ઓસ્ટ્રેલિયન બેટ્સમેને 82 બોલનો સામનો કર્યો અને માત્ર 9 રન બનાવી આઉટ થયો. જેનું પરિણામ એ આવ્યું કે ઓસ્ટ્રેલિયાની ટીમ 43 ઓવરમાં માત્ર 91 રન જ બનાવી શકી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">