વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત કેમ હાર્યું ? આ રહ્યા 5 મોટા કારણો

ભારતીય બેટ્સમેનો માત્ર 240 રન બનાવી શક્યા હતા. ત્યારે ભારતીય ફિલ્ડરો પાસેથી ચુસ્ત ફિલ્ડિંગની અપેક્ષા હતી. પરંતુ ટીમ ઈન્ડિયાના ફિલ્ડરોએ નિરાશ કર્યા હતા. ભારતીય ફિલ્ડરોએ બેટ્સમેનોને રન આઉટ કરવાની ઘણી તકો ગુમાવી હતી. જેના કારણે રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.

વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત કેમ હાર્યું ? આ રહ્યા 5 મોટા કારણો
Team India
Follow Us:
| Updated on: Nov 21, 2023 | 9:43 PM

વર્લ્ડકપની ફાઈનલમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું છે. તેથી ભારતીય ટીમનું ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું છે. ઓસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 4 વિકેટે ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ઓપનર ટ્રેવિસ હેડ ઓસ્ટ્રેલિયાની જીતનો હીરો રહ્યો હતો.

એક સમયે ઓસ્ટ્રેલિયાના ત્રણ બેટ્સમેન 48 રન પર પેવેલિયન ભેગા થયા હતા, પરંતુ ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેન વચ્ચે 192 રનની ભાગીદારીએ ભારતને ફાઈનલમાં 6 વિકેટે હરાવ્યું હતું. ત્યારે ટીમ ઈન્ડિયાની હારના 5 મોટા કારણો પર નજર કરીએ તો…

નબળી ફિલ્ડિંગ અને રન આઉટની તકો ગુમાવી

ભારતીય બેટ્સમેનો માત્ર 240 રન બનાવી શક્યા હતા. ત્યારે ભારતીય ફિલ્ડરો પાસેથી ચુસ્ત ફિલ્ડિંગની અપેક્ષા હતી. પરંતુ ટીમ ઈન્ડિયાના ફિલ્ડરોએ નિરાશ કર્યા હતા. ભારતીય ફિલ્ડરોએ બેટ્સમેનોને રન આઉટ કરવાની ઘણી તકો ગુમાવી હતી. જેના કારણે રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 03-12-2023
એનિમલ ફિલ્મમાં બોલ્ડ સીન કરીને ચર્ચામાં આવેલી આ અભિનેત્રી કોણ છે ?
આ બેટ્સમેનોએ T20Iમાં પોતાના દેશ માટે ફટકારી છે સૌથી ઝડપી સેન્ચુરી
રોજ નરણા કોઠે ખાઓ સુગંધીદાર મસાલા, ઘણી બિમારીમાં મળશે રાહત
આજનું રાશિફળ તારીખ : 02-12-2023
વર્ષ 2023માં આ ખેલાડીઓએ જીત્યા સૌથી વધારે મેન ઓફ ધ મેચ, જુઓ લિસ્ટ

શમી, બુમરાહ, જાડેજાનો જાદૂ ન ચાલ્યો

આ વર્લ્ડ કપમાં ભારતીય બોલરોએ ઘણો પ્રભાવ જોવા મળ્યો હતો, પરંતુ ફાઈનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોની સામે તેઓ ફ્લોપ સાબિત થયા હતા. જસપ્રીત બુમરાહ ઉપરાંત મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવે પણ બોલિંગમાં નિરાશ કર્યા હતા.

બેટ્સમેનોએ પણ નિરાશ કર્યા

ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમના બેટ્સમેનોએ સમયાંતરે વિકેટો ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયાના બોલરોએ શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું, પરંતુ ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ ઘણા ખરાબ શોટ રમીને પોતાની વિકેટો આપી દીધી હતી. ટીમ ઈન્ડિયા માટે માત્ર વિરાટ કોહલી અને કેએલ રાહુલ જ 50 રનનો આંકડો સ્પર્શી શક્યા હતા. બાકીના બેટ્સમેનોનો ફ્લોપ રહ્યા.

ભારતીય બોલરોએ વધારાના રન આપ્યા

ભારતીય બોલરોએ ઘણા વધારાના રન આપ્યા હતા. ખાસ કરીને શરૂઆતની ઓવરોમાં મોહમ્મદ શમી પોતાનું બેસ્ટ પર્ફોમન્સ આપી શક્યો ન હતો. તેમજ આ સિવાય અન્ય બોલરોની હાલત પણ આવી જ રહી હતી. આ સિવાય વિકેટકીપર તરીકે કેએલ રાહુલે પણ મિસફિલ્ડ કરી હતી. ભારતીય બોલરોએ 18 વધારાના રન આપ્યા હતા. જેમાં 7 બાય અને 11 વાઈડનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો  ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વાર વનડે વિશ્વ ચેમ્પિયન, ટ્રેવિસ હેડની સદી વડે ભારત સામે 6 વિકેટે મેળવી જીત

40 ઓવરમાં માત્ર 4 બાઉન્ડ્રી ફટકારી

વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ કુલ 16 બાઉન્ડ્રી ફટકારી હતી. જેમાંથી પ્રથમ 10 ઓવરમાં જ 12 બાઉન્ડ્રી ફટકારી હતી. મતલબ કે તે પછી ટીમ ઈન્ડિયા 40 ઓવરમાં માત્ર 4 બાઉન્ડ્રી જ ફટકારી શકી. ભારતનો મિડલ ઓર્ડર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો હતો. કેએલ રાહુલે 61ની સ્ટ્રાઈક રેટ, જાડેજાનો સ્ટ્રાઈક રેટ 40 હતો. જ્યારે સૂર્યકુમાર યાદવે માત્ર 64ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

સુરત: રૂરલ પોલીસે શંકાસ્પદ આયુર્વેદિક સિરપની બોટલો ઝડપી પાડી
સુરત: રૂરલ પોલીસે શંકાસ્પદ આયુર્વેદિક સિરપની બોટલો ઝડપી પાડી
ભરૂચ વિડીયો : મેરેજ સીઝનમાં માવઠાથી લગ્ન સમારંભના રંગમાં ભંગ પડ્યો
ભરૂચ વિડીયો : મેરેજ સીઝનમાં માવઠાથી લગ્ન સમારંભના રંગમાં ભંગ પડ્યો
આ ચાર રાશિના જાતકોને આજે સ્વાસ્થ્ય અંગે રાખવી કાળજી
આ ચાર રાશિના જાતકોને આજે સ્વાસ્થ્ય અંગે રાખવી કાળજી
ભરૂચ : વિરામ બાદ ફરી કમોસમી વરસાદ વરસ્યો,જુઓ વિડીયો
ભરૂચ : વિરામ બાદ ફરી કમોસમી વરસાદ વરસ્યો,જુઓ વિડીયો
ગુજરાતમાં ફરી કમોસમી વરસાદનો થશે કહેર !
ગુજરાતમાં ફરી કમોસમી વરસાદનો થશે કહેર !
કાર્તિકી મેળા દરમિયાન દુર્ઘટના, રાઈડ ખુલ્લી જતા માતા પુત્રી ફંગોળાયા
કાર્તિકી મેળા દરમિયાન દુર્ઘટના, રાઈડ ખુલ્લી જતા માતા પુત્રી ફંગોળાયા
ગાંધીનગર: પોલીસ લખેલા બોર્ડવાળી કારે સર્જ્યો અકસ્માત
ગાંધીનગર: પોલીસ લખેલા બોર્ડવાળી કારે સર્જ્યો અકસ્માત
રાજ્યમાં ફરી સાત દિવસ સુધી માવઠાની આગાહી, ધરતીપુત્રોની વધી ચિંતા
રાજ્યમાં ફરી સાત દિવસ સુધી માવઠાની આગાહી, ધરતીપુત્રોની વધી ચિંતા
જુનાગઢમાં ક્રેડિટ બેંકએ ફુલેકુ ફેરવતા 4000 ખાતેદારોના કરોડો અટવાયા
જુનાગઢમાં ક્રેડિટ બેંકએ ફુલેકુ ફેરવતા 4000 ખાતેદારોના કરોડો અટવાયા
અમિત શાહે સોમનાથ મહાદેવના કર્યા દર્શન કરી લીધો આ સંકલ્પ- વીડિયો
અમિત શાહે સોમનાથ મહાદેવના કર્યા દર્શન કરી લીધો આ સંકલ્પ- વીડિયો
g clip-path="url(#clip0_868_265)">