IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા (India Vs Australia)વચ્ચે 3 મેચની T20 સીરિઝની બીજી મેચ નાગપુરમાં રમાશે, પરંતુ આ મેચ પહેલા ઘણો હંગામો થયો છે. એક ચાહકનું મોત થયું છે, જ્યારે 7 ઘાયલ થયા છે. મામલો હૈદરાબાદનો છે, જ્યાં સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ રમાશે. નાગપુર બાદ ટીમ ઈન્ડિયા (Team India)હૈદરાબાદ જશે. આ મેચ માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.તેના ઉત્સાહનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તેણે મેચની ટિકિટ ખરીદવા માટે સવારે 3 વાગ્યાથી જિમખાના ગ્રાઉન્ડની બહાર કતાર લગાવવી શરૂ કરી દીધી હતી. અંદાજે 20 હજાર ચાહકો ટિકિટ ખરીદવા પહોંચ્યા હતા.
ભીડ એટલી વધી ગઈ કે, લોકો બેકાબૂ બની ગયા અને પોલીસે લાકડીઓનો માર કરવો પડ્યો, જેના કારણે નાસભાગ મચી ગઈ અને તેમાં એક મહિલાનું મોત થયું. 7 લોકો ઘાયલ પણ થયા છે, જેમાં 4 મહિલા, 3 પુરૂષ અને 1 પોલીસ કર્મચારીનો સમાવેશ થાય છે.
This is so disappointing. Passionated fans gathered at Gymkhana Ground to collect India Vs Australia tickets in Hyderabad and they’re getting such treatment. pic.twitter.com/OIP96BClOH
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 22, 2022
હૈદરાબાદના ચાહકો લાંબા સમયથી ઈન્ટરનેશનલ મેચની રાહ જોઈ રહ્યા છે. તેનો આ 3 વર્ષની લાંબી રાહ 25 સપ્ટેમ્બરના રોજ પુરી થશે. વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ સહિત સ્ટાર ખેલાડીઓને જોવા માટે ચાહકો રાહ જોઈ રહ્યા છે. હૈદરાબાદમાં છેલ્લી ઈન્ટરનેશલ મેચ ડિસેમ્બર 2019માં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ રમાઈ હતી. હૈદરાબાદે ટી20 મેચની મેજબાની કરી હતી. ત્યારબાદથી તેણે એકપણ ઈન્ટરનેશલ મેચ રમી નથી.
ચાહકોની 3 વર્ષની રાહ હવે પુરી થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી 3 ટી20 મેચની પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ હતી. જ્યાં ભારતે 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. બંન્ને વચ્ચે બીજો મુકાબલો 23 સપ્ટેમ્બરના રોજ નાગરપુરમાં રમાયો હતો. સીરિઝમાં હારથી બચવા માટે રોહિત શર્માની ટીમ નાગપુરમાં જીત મેળવવા માંગશે. જો ભારતીય ટીમ નાગપુરમાં જીત મેળવી લે છે તો હૈદરાબાદમાં રમાનાર ટી 20 મુકાબલો વધુ રોમાંચક થશે પરંતુ આ ટક્કર પહેલા એક એવી ઘટના બની જેનાથી ચાહકો પણ નિરાશ થયા છે.
Published On - 1:49 pm, Thu, 22 September 22