IND vs AUS મેચ પહેલા પોલીસે લાઠીચાર્જ કર્યો, એક ચાહકનું મોત, 7 ઘાયલ

|

Sep 22, 2022 | 2:26 PM

ટીમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયા સામે 3 T20 મેચોની સીરીઝમાં વ્યસ્ત છે અને આ સીરીઝની અંતિમ મેચ હૈદરાબાદમાં રમાશે.અંદાજે 20 હજાર ચાહકો ટિકિટ ખરીદવા પહોંચ્યા હતા.

IND vs AUS મેચ પહેલા પોલીસે લાઠીચાર્જ કર્યો, એક ચાહકનું મોત, 7 ઘાયલ
IND vs AUS મેચ પહેલા પોલીસે લાઠીનો માર કર્યો
Image Credit source: Twitter

Follow us on

IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા (India Vs Australia)વચ્ચે 3 મેચની T20 સીરિઝની બીજી મેચ નાગપુરમાં રમાશે, પરંતુ આ મેચ પહેલા ઘણો હંગામો થયો છે. એક ચાહકનું મોત થયું છે, જ્યારે 7 ઘાયલ થયા છે. મામલો હૈદરાબાદનો છે, જ્યાં સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ રમાશે. નાગપુર બાદ ટીમ ઈન્ડિયા  (Team India)હૈદરાબાદ જશે. આ મેચ માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.તેના ઉત્સાહનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તેણે મેચની ટિકિટ ખરીદવા માટે સવારે 3 વાગ્યાથી જિમખાના ગ્રાઉન્ડની બહાર કતાર લગાવવી શરૂ કરી દીધી હતી. અંદાજે 20 હજાર ચાહકો ટિકિટ ખરીદવા પહોંચ્યા હતા.

ભીડ એટલી વધી ગઈ કે, લોકો બેકાબૂ બની ગયા અને પોલીસે લાકડીઓનો માર કરવો પડ્યો, જેના કારણે નાસભાગ મચી ગઈ અને તેમાં એક મહિલાનું મોત થયું. 7 લોકો ઘાયલ પણ થયા છે, જેમાં 4 મહિલા, 3 પુરૂષ અને 1 પોલીસ કર્મચારીનો સમાવેશ થાય છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

3 વર્ષ બાદ હૈદરાબાદમાં ઈન્ટરનેશનલ મેચ

 

 

હૈદરાબાદના ચાહકો લાંબા સમયથી ઈન્ટરનેશનલ મેચની રાહ જોઈ રહ્યા છે. તેનો આ 3 વર્ષની લાંબી રાહ 25 સપ્ટેમ્બરના રોજ પુરી થશે. વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ સહિત સ્ટાર ખેલાડીઓને જોવા માટે ચાહકો રાહ જોઈ રહ્યા છે. હૈદરાબાદમાં છેલ્લી ઈન્ટરનેશલ મેચ ડિસેમ્બર 2019માં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ રમાઈ હતી. હૈદરાબાદે ટી20 મેચની મેજબાની કરી હતી. ત્યારબાદથી તેણે એકપણ ઈન્ટરનેશલ મેચ રમી નથી.

હૈદરાબાદમાં ફાઈનલ ટ્ક્કર થશે

ચાહકોની 3 વર્ષની રાહ હવે પુરી થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી 3 ટી20 મેચની પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ હતી. જ્યાં ભારતે 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. બંન્ને વચ્ચે બીજો મુકાબલો 23 સપ્ટેમ્બરના રોજ નાગરપુરમાં રમાયો હતો. સીરિઝમાં હારથી બચવા માટે રોહિત શર્માની ટીમ નાગપુરમાં જીત મેળવવા માંગશે. જો ભારતીય ટીમ નાગપુરમાં જીત મેળવી લે છે તો હૈદરાબાદમાં રમાનાર ટી 20 મુકાબલો વધુ રોમાંચક થશે પરંતુ આ ટક્કર પહેલા એક એવી ઘટના બની જેનાથી ચાહકો પણ નિરાશ થયા છે.

Published On - 1:49 pm, Thu, 22 September 22

Next Article