આગામી એશિયા કપ (Asia Cup) માં ટીમ ઇન્ડીયા (Team India) ના સામેલ થવાને લઇને હજુ પણ સંશયની સ્થિતી છે. ગત વર્ષે કોરોના મહામારીને લઇને એશિયા કપને સ્થગિત કરવો પડ્યો હતો. આગામી જૂન માસમાં શ્રીલંકામાં એશિયા કપ યોજાનાર છે. ભારત ICC ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની ફાઇનલમાં પહોંચી ચુકી છે અને જેને લઇને હવે એશિયા કપ માટે સંશયની સ્થિતી સર્જાઇ છે. કારણ કે જૂન માસમાં 18 થી 23 સુધી ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે ફાઇનલ મેચ ઇંગ્લેંડમાં રમાનારી છે. આવી સ્થિતીમાં એશિયા કપ આ વર્ષે સ્થગિત નહી થઇ શકે તો, BCCI દ્રારા બીજી ટીમને મોકલવામાં આવી શકે છે. જય શાહ (Jay Shah) એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ પણ છે.
ભારતીય ક્રિકેટ ટીમનો આ વર્ષે ખૂબ વ્યસ્ત કાર્યક્રમ છે. જેમાં ઇંગ્લેંડ સામે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી પણ રમવાની છે. ત્યાર બાદ T20 વિશ્વકપ પણ રમવાનો છે. આ સ્થિતીમાં ભારત પાસે એશિયા કપ 2021માં બીજી ટીમ મોકલવા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી. આવામાં જો જૂનના આખરમાં એશિયા કપ રમાય છે તો, ટીમ ઇન્ડીયા પોતાના મુખ્ય ખેલાડીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા, ઋષભ પંત, જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યા વિના જ ટુર્નામેન્ટમાં ઉતરશે.
અંગ્રેજી અખબારની એક રિપોર્ટનુસાર સુત્રોએ તે વાતની પુષ્ટી કરી છે કે, જો એશિયા કપ આયોજીત થાય છે તો, અન્ય કોઇ વિકલ્પ નથી. અમે ઇંગ્લેંડ ની સામે શ્રેણીના માટે કોઇ જોખમ ઉઠાવવા માંગતા નથી. ખેલાડી બે વાર ક્વોરન્ટાઇન થી ગુજરી શકે નથી. શ્રીલંકામાં રમાનાર એશિયા કપ T20 ફોર્મેટમાં રમાનાર છે. ભારતીય ટીમ આ દરમ્યાન ન્યુઝીલેન્ડ સામે 18મી જૂન થી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ ટેસ્ટ મેચ રમશે. આ માટે જૂનના પ્રથમ સપ્તાહમાં ભારતીય ટીમ ઇંગ્લેંડ માટે રવાના થનાર છે. આવામાં ઇંગ્લેંડમાં ભારતીય ટીમ ના ખેલાડીઓએ 14 દિવસનુ સખત ક્વોરન્ટાઇન પ્રક્રિયા પસાર કરવી પડશે.