AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આગામી 24 ડિસેમ્બરે બીસીસીઆઇની એજીએમ, જય શાહને ICC માં ભારતીય પ્રતિનિધી તરીકે થઇ શકે છે નિર્ણય

જય શાહ હવે આઇસીસીમાં ભારતીય પ્રતિનિધીત્વ કરી શકે તેવી જાણકારી સામે આવી રહી છે. જીસીએ અને બીસીસીઆઇ બાદ હવે જય શાહ આઇસીસીમાં પણ સ્થાન મેળવી શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની વાર્ષીક જનરલ મીટીંગ આગામી 24, ડિસેમ્બરે યોજાનારી છે. જેમાં આ અંગે નિર્ણય લેવાઇ શકે છે. સાથે જ ત્રણ નવા પસંદગીકારો અને આઇપીએલમાં બે નવી […]

આગામી 24 ડિસેમ્બરે બીસીસીઆઇની એજીએમ, જય શાહને ICC માં ભારતીય પ્રતિનિધી તરીકે થઇ શકે છે નિર્ણય
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 03, 2020 | 11:27 PM
Share

જય શાહ હવે આઇસીસીમાં ભારતીય પ્રતિનિધીત્વ કરી શકે તેવી જાણકારી સામે આવી રહી છે. જીસીએ અને બીસીસીઆઇ બાદ હવે જય શાહ આઇસીસીમાં પણ સ્થાન મેળવી શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની વાર્ષીક જનરલ મીટીંગ આગામી 24, ડિસેમ્બરે યોજાનારી છે. જેમાં આ અંગે નિર્ણય લેવાઇ શકે છે. સાથે જ ત્રણ નવા પસંદગીકારો અને આઇપીએલમાં બે નવી ફેન્ચાઇઝી સામેલ કરવાને લઇને નિર્ણય થઇ શકે છે.

આ માટે બીસીસીઆઇ દ્રારા બેઠકના 21 દીવસ અગાઉ એફિલિએટેડ યુનિટ્સને 23 મુદ્દાઓનો એજન્ડા મોકલી આપવામાં આવ્યો છે. બેઠકમાં બોર્ડના નવા વાઇસ પ્રેસિડેન્ટ પર પણ નિર્ણય લેવાઇ શકે છે. મહિમ વર્માના રાજીનામા બાદ આ પદ ખાલી છે. ઉપરાંત આઇપીએલની આગામી સિઝનને લઇને તૈયારીઓ ની પણ ચર્ચા થઇ શકે છે. જેના માટે અમદાવાદની ફેન્ચાઇઝીની પણ વાત ચાલી રહી છે. જેને ગોયન્કા અને અદાણી બંને બીઝનેશ ગૃપ દ્રારા ખરીદવાની ઇચ્છા દર્શાવી છે. બીસીસીઆઇએ બેઠકમાં આ એજન્ડાને મુખ્ય મુદ્દા તરીકે સામેલ કર્યો છે, તેમ વિશ્વસનીય સુત્રો જણાવી રહ્યા છે.

બીસીસીઆઇના સેક્રટરી જય શાહને આઇસીસી અને એશિયન ક્રિકેટ કાઉન્સીલમાં નવા પ્રતિનિધી પસંદ કરી શકાય છે. માનવામાં આવી રહ્યુ છે કે, શાહને ગ્લોબલ કમીટીમાં ભારતનુ પ્રતિનિધત્વ કરવા માટે નો નિર્ણય બેઠકમા થઇ શકે છે. સાથે જ ત્રણ પસંદગીકારો અને પસંદગીકાર સમિતીના અધ્યક્ષને લઇને પણ નિર્ણય થઇ લઇ શકાય છે. ટી-20 વિશ્વકપ ભારતમાં યોજાનારો હોઇ તે અંગેની તૈયારીઓની પણ ચર્ચા બેઠકમાં કરવામાં આવી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
g clip-path="url(#clip0_868_265)">