રિલાયન્સ રિટેલે Just Dial નું નિયંત્રણ પોતાના હાથમાં લીધું , 40.90% હિસ્સો હસ્તગત કર્યો

રિલાયન્સ રિટેલે સેબીના ટેકઓવર નિયમોને અનુરૂપ જસ્ટ ડાયલ લિમિટેડનું સંપૂર્ણ નિયંત્રણ લીધું છે. તે 1 સપ્ટેમ્બર 2021 થી પ્રભાવી છે. 20 જુલાઈ 2021 ના ​​રોજ રિલાયન્સ રિટેલે જસ્ટ ડાયલના 1.31 કરોડ ઇક્વિટી શેર જસ્ટ ડાયલના સ્થાપક અને સીઇઓ વીએસએસ મણી પાસેથી બ્લોક ડીલમાં રૂ. 10 પ્રતિ શેરના ભાવે ખરીદ્યા હતા.

રિલાયન્સ રિટેલે Just Dial નું નિયંત્રણ પોતાના હાથમાં લીધું ,  40.90% હિસ્સો હસ્તગત કર્યો
Reliance Retail takes control of Just Dial
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 10:04 PM

દેશના સૌથી મોટા કારોબારી મુકેશ અંબાણી(Mukesh Ambani)ની આગેવાનીવાળી રિલાયન્સ રિટેલે (Reliance Retail) 25 વર્ષ જૂની સર્ચ એન્ડ ડિસ્કવરી ફર્મ જસ્ટ ડાયલ(Just Dial) માં નિયંત્રણ મેળવ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) ની પેટાકંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) એ જુલાઈમાં જસ્ટ ડાયલમાં કંટ્રોલિંગ સ્ટેક રૂ 3,497 કરોડમાં ખરીદવાની ડીલની જાહેરાત કરી હતી.

રિલાયન્સ રિટેલે સેબીના ટેકઓવર નિયમોને અનુરૂપ જસ્ટ ડાયલ લિમિટેડનું સંપૂર્ણ નિયંત્રણ લીધું છે. તે 1 સપ્ટેમ્બર 2021 થી પ્રભાવી છે. 20 જુલાઈ 2021 ના ​​રોજ રિલાયન્સ રિટેલે જસ્ટ ડાયલના 1.31 કરોડ ઇક્વિટી શેર જસ્ટ ડાયલના સ્થાપક અને સીઇઓ વીએસએસ મણી પાસેથી બ્લોક ડીલમાં રૂ. 10 પ્રતિ શેરના ભાવે ખરીદ્યા હતા. ઇક્વિટી શેર દીઠ રૂ. 1,020 ની કિંમતે આ ખરીદી કરવામાં આવી હતી. .

26 ટકા હિસ્સો ખરીદવા માટે ઓપન ઓફર 1 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ, જસ્ટ ડાયલે 10 રૂપિયાના 2.12 કરોડ ઇક્વિટી શેર રિલાયન્સ રિટેલને રૂ. 1,022.25 પ્રતિ ઇક્વિટી શેરની કિંમતે ફાળવ્યા હતા. તે શેર મૂડીના 25.35 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. જસ્ટ ડાયલમાં હવે RRVL નો કુલ હિસ્સો 40.90 ટકા છે. RRVL હવે અન્ય જસ્ટ ડાયલ શેરધારકો પાસેથી 26 ટકા હિસ્સો ખરીદવા માટે ઓપનઓફર કરશે.

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

જસ્ટ ડાયલની લોકપ્રિયતા જસ્ટ ડાયલ તેની વેબસાઇટ, મોબાઇલ એપ અને ટેલિફોન લાઇન દ્વારા સ્થાનિક સર્ચ અને ઇ-કોમર્સ સેવાઓ પૂરી પાડે છે. સ્થાનિક પ્લમ્બર્સથી લઈ હોટલ અને હાઉસકીપિંગ સેવાઓ માટે પૂછપરછ 8888888888 ડાયલ કરીને જ કરી શકાય છે. 31 માર્ચ, 2021 સુધીમાં, જસ્ટ ડાયલમાં 3.04 મિલિયન લિસ્ટિંગ અને 12.91 મિલિયનક્વાર્ટરલી યુનિક કસ્ટમર્સ વેબ, મોબાઇલ, એપ અને વોઇસ પ્લેટફોર્મ પર હતા. કંપનીએ તાજેતરમાં જ તેનું B 2 B માર્કેટપ્લેસ પ્લેટફોર્મ JD MART લોન્ચ કર્યું છે, જેનો ઉદ્દેશ ભારતભરના લાખો ઉત્પાદકો, વિતરકો, જથ્થાબંધ વેપારીઓ, રિટેલરોને કોવિડ યુગમાં ઇન્ટરનેટ માટે તૈયાર કરવામાં મદદ કરવા, નવા ગ્રાહકો મેળવવા અને તેમના ઉત્પાદનો ઓનલાઇન વેચવાનો છે.

જાણો RRVL વિશે RRVL રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપની પેટાકંપની છે. રિલાયન્સ રિટેલ ભારતની સૌથી મોટી અને સૌથી વધુ નફાકારક રિટેલર કંપની છે. તે ડેલોઇટની ગ્લોબલ પાવર્સમાં વિશ્વના સૌથી ઝડપથી વિકસતા રિટેલર્સમાં લિસ્ટેડ છે. રિટેલ સેલ્સ 2021 ઈન્ડેક્સમાં તે 53 મા ક્રમે છે અને એકમાત્ર ભારતીય કંપની છે. તે સામે જસ્ટ ડાયલ ભારતનું અગ્રણી સ્થાનિક સર્ચ એન્જિન પ્લેટફોર્મ છે. તે વેબસાઇટ, એપ, ટેલિફોન અને ટેક્સ્ટ જેવા બહુવિધ પ્લેટફોર્મ દ્વારા સમગ્ર ભારતમાં સેવાઓ પૂરી પાડે છે.

આ પણ વાંચો :  Income Tax Notice ટાળવા માટે કેટલા બચત ખાતાનો ઉપયોગ કરવાની છે છૂટ ? જાણો શું છે આવકવેરા વિભાગનો નિયમ

આ પણ વાંચો :  તમે ઓળખના પુરાવા તરીકે આપેલા તમારા PAN CARD નો કોઈ દુરુપયોગ તો નથી કરી રહ્યુંને ? આ રીતે કરો ચેક

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">