AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today Aries: મેષ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે મહેનતનું પરિણામ મળશે, આવકમાં વધારો થશે

Aaj nu Rashifal: કાર્યક્ષેત્રમાં કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં સખત મહેનત કર્યા પછી તમને સફળતા મળશે. ઈન્ટરનેશનલ કંપનીઓમાં કામ કરતા લોકોને કેટલીક જવાબદારીઓ મળી શકે છે. આવકમાં વધારો થશે.

Horoscope Today Aries: મેષ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે મહેનતનું પરિણામ મળશે, આવકમાં વધારો થશે
Aries
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2023 | 6:01 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, તમારો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,

મેષ રાશિ

આજે કાર્યક્ષેત્રમાં કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં સખત મહેનત કર્યા પછી તમને સફળતા મળશે. નાણાં અને મિલકતના વિવાદો કોર્ટની બહાર ઉકેલો. નહીં તો સમસ્યાઓ વધી શકે છે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે નિરર્થક વાદવિવાદ ટાળો. વ્યવસાયમાં પરિવારના સભ્યોનો અપેક્ષિત સહયોગ ન મળવાને કારણે મન અસ્વસ્થ રહેશે. નવો ઉદ્યોગ, ધંધો શરૂ કરતા પહેલા વિચાર કરવો જરૂરી છે. નહીં તો કામમાં કોઈ અડચણ અને અવરોધ આવી શકે છે. તમારે નોકરીની શોધમાં ઘરથી દૂર જવું પડી શકે છે. ઈન્ટરનેશનલ કંપનીઓમાં કામ કરતા લોકોને તેમના કામ સિવાય બીજી કેટલીક જવાબદારીઓ મળી શકે છે.

આર્થિક – આજે તમારી આર્થિક બાજુ થોડી ચિંતાજનક રહેશે. કેટલાક નકામા ખર્ચાઓ સામે આવી શકે છે. નાણાં સંબંધિત સમસ્યાઓ રહેશે. પરિવારના સભ્યો તરફથી અપેક્ષિત આર્થિક મદદ ન મળવાને કારણે કાર્યમાં વિલંબ કે અવરોધ આવી શકે છે. વ્યવસાયમાં એકાગ્રતાથી કામ કરો. આવકમાં વધારો થશે. લક્ઝરી વસ્તુઓ પર સમજી વિચારીને નાણાં ખર્ચો, ખર્ચ કરવાનું ટાળો.

ભાવનાત્મક – આજે સંબંધીઓ સાથે મુલાકાત થશે. તેમની સાથે તમારા વિચારોની આપ-લે થશે. પરંતુ તમારા વિચારો બીજા પર લાદવાનું ટાળો. નહિં તો સંબંધો બગડી શકે છે અથવા મતભેદો હોઈ શકે છે. કૌટુંબિક વાતાવરણમાં રાજકીય બાબતોને હાવી ન થવા દો. રાજકારણને પારિવારિક જીવનથી દૂર રાખો. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. વિવાહિત જીવનમાં એકબીજા પ્રત્યે વિશ્વાસ અને સમર્પણની ભાવના રહેશે. પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો.

સ્વાસ્થ્ય – આજે તમારા સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ રહેશે. કેટલાક ગંભીર રીતે પીડિત લોકોને ઘણી પીડા અને તકલીફોનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ સમસ્યાને હળવાશથી ન લો. નહિં તો તમને વધુ મુશ્કેલી પડી શકે છે. મોસમી રોગોથી સાવચેત રહો. બેદરકારી મોટી સમસ્યા બની શકે છે. ખાવા-પીવામાં ધ્યાન રાખવું. નિયમિત યોગ કરતા રહો.

ઉપાય – હનુમાનજીની પૂજા કરો. સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરો.

(નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

રાશિફળ અને ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">