શું Sourav Ganguly પશ્ચિમ બંગાળમાં પીએમ મોદીની રેલીમાં હાજર રહેશે ? જાણો ભાજપનો જવાબ

|

Mar 03, 2021 | 6:52 PM

પશ્ચિમ બંગાળની ચૂંટણીઓમાં ભાજપ પ્રચાર કરવામાં કોઈ કસર છોડશે નહીં. તે કોઇ મોટી રથયાત્રા હોય કે પીએમ મોદીની  રેલી હોય. તેમજ સૂત્રો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે Sourav Ganguly પીએમ મોદીની યોજાનારી રેલીમાં ભાગ લઈ શકે છે. 

શું Sourav Ganguly પશ્ચિમ બંગાળમાં પીએમ મોદીની રેલીમાં હાજર રહેશે ? જાણો ભાજપનો જવાબ

Follow us on

પશ્ચિમ બંગાળની ચૂંટણીઓમાં ભાજપ પ્રચાર કરવામાં કોઈ કસર છોડશે નહીં. તે કોઇ મોટી રથયાત્રા હોય કે પીએમ મોદીની  રેલી હોય. તેમજ સૂત્રો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે Sourav Ganguly પીએમ મોદીની યોજાનારી રેલીમાં ભાગ લઈ શકે છે.  ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અને  પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી 7 માર્ચે પશ્ચિમ બંગાળમાં પીએમ મોદીની મોટી રેલીમાં ભાગ લે તેવી સંભાવના છે. જો કે આ અંગે  ભાજપે કહ્યું છે કે તે ગાંગુલી પર નિર્ભર છે કે તેઓ રેલીમાં આવવા માંગે છે કે નહીં.

કોલકતામાં ભાજપના પ્રવક્તા શામિક ભટ્ટાચાર્યએ પત્રકારોને જણાવ્યું હતું કે જો પૂર્વ ભારતીય કેપ્ટન તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રેલીમાં ભાગ લેવાનું વિચારે છે તો તેમનું આ કાર્યક્રમમાં સ્વાગત કરવામાં આવશે.

ડિસેમ્બર માસમાં Sourav Ganguly  ને સામાન્ય હાર્ટ એટેક આવ્યા બાદ  ત્રણ દિવસ હોસ્પિટલમાં ગાળ્યા બાદ  હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, સૌરવ ગાંગુલીને તાજેતરમાં એન્જીયોપ્લાસ્ટી થઈ હતી.  ત્યારબાદ તેમની અવરોધિત ધમનીઓમાં સ્ટેન્ટ પણ મૂકવામાં આવ્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ભાજપે કહ્યું છે કે આપણે જાણીએ છીએ કે હવે સૌરવ ઘરે આરામ કરી રહ્યો છે. તેમનું સ્વાસ્થ્ય અને સ્થિતિને ધ્યાનમાં રાખીને તે જો રેલીમાં જોડાવાનું વિચારે તો તેમનું ખૂબ જ સ્વાગત કરવામાં આવશે. લોકોને તે ગમે તેવું લાગે છે. જે રેલીમાં આવશે તેમને પણ ખૂબ ગમશે. પરંતુ તે અંગે હજી નિર્ણય લેવાયો નથી. સૌરવ ગાંગુલીએ આ વિષય પર કંઇ કહ્યું નથી. તેમજ અત્યાર સુધી આ વાતને  લઇને માત્ર અટકળો જ લગાવવામાં આવી રહી છે.

Published On - 6:51 pm, Wed, 3 March 21

Next Article