રાજ્યસભાની ચૂંટણીને ગણતરીના દિવસ જ બાકી છે. જો કે ચૂંટણીમાં આ વખતે 2 ઉમેદવારોને ઉભા કરવા કે 3 બેઠક માટે પણ રણનીતિ ઘડવી જેને લઇને ભાજપમાં ભારે અવઢવ છે. તો બીજી તરફ કેન્દ્રમાં અમિત શાહ અને PM મોદી દ્વારા પણ કોઈ નક્કર સૂચના મળી નથી. જેથી હજુ પણ 2 બેઠક માટે ઉમેદવારના નામ જાહેર કરવા કે, 3 બેઠક માટે જેને લઈને અવઢવ છે.
2 સીટ પર ઉમેદવાર ઉભા કરવા કે ત્રીજી બેઠક માટે પણ પ્રયાસ કરવો. તેના પર ભાજપની કોર કમિટીમાં પણ આ અંગે હજુ સપષ્ટતા નહીં.
સામાન્ય રીતે ચૂંટણીએ ભાજપ માટે અવસર સમાન હોય છે. પરંતુ ગુજરાતમાં રાજયસભાની ચૂંટણીને લઈ ભાજપમાં અવઢવ જોવા મળી રહી છે. તો બીજી તરફ કોંગ્રસમાં રાજ્યસભાને લઇને બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે ગુજરાતના નેતાઓ સાથે મુલાકાત પણ કરી લીધી છે. સાથે જ સેન્સ પણ લેવાયા છે. કોંગ્રેસ ખાલી કુલ 4 બેઠકોમાંથી 2 બેઠકો પર પોતાના ઉમેદવારને ઉભા રાખશે એ નક્કી છે.
જો કે ભાજપ દ્વારા 2 બેઠકો પર ઉમેદવારી કરવી કે, ત્રીજી બેઠક પર પણ દાવેદાર ઉભા રાખવા. જેને લઈ હજુ પણ અવઢવ છે. ત્યારે સોમવારે CM નિવાસ્થાને ભાજપના કોર ગ્રૂપની બેઠક યોજાશે. જેમાં રાજ્યસભાના નામોને લઇને ચર્ચા કરવામાં આવશે. મહત્વનું છે કે, 13 માર્ચનો દિવસ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. 11 મોડી સાંજ સુધીમાં ભાજપ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરે એવી શકયતા છે.
રાજ્ય સભાની 1 બેઠક જીતવા માટે 73 વોટની જરૂર હોય છે. ત્યારે હાલના આંકડા પ્રમાણે ભાજપ 2 બેઠક ખુબ સરળતાથી જીતી શકે છે. જો કે ત્રીજી બેઠક જીતવા માટે BTP સાથે ગઠબંધન બાદ પણ 5 વોટ ખૂટે છે. તેવા સંજોગોમાં 3 બેઠક પર દાવેદારી કરવી કે, નહીં. તેને લઈને અસમંજસ છે. મહત્વનું છે કે, હાલમાં ભાજપ પાસે રાજ્યસભામાં 3 બેઠકો છે. જયારે કોંગેસ પાસે માત્ર એક બેઠક છે. જો કે ગુજરાત વિધાનસભા ગૃહમાં 180 કુલ સભ્યો છે. જેમા 103 ભાજપ, 73 કોંગ્રેસ, 2 BTP, 1 NCP અને 1 અપક્ષ છે.
ભાજપ વર્તમાન રાજયસભાના સાંસદ સભ્યોને રીપીટ ન કરવાનો નિર્ણય કર્યો છે. જેથી શંભુપ્રસાદ ટુંડીયા, લાલસિંહ વડોદીયા તથા ચુનીભાઇ ગોહિલની જગ્યાએ પક્ષ નવા ચહેરાને પ્રાઘાન્ય આપશે. એવુ માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, ગત સપ્તાહ ગુજરાત પ્રદેશ, પ્રભારી ભુપેન્દ્ર યાદવ સાથે સરકારના પૂર્વ પ્રધાન રમણવોરાએ બેઠક કરી હતી. જેના કારણે તેમની દાવેદારીને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. સાથે જ મોહન કુંડારીયા પણ પીએમ મોદી તથા અમિત શાહની ગુડ બુકમાં છે. તેમને જ્યારે કેન્દ્રમાંથી પડતા મુકવામાં આવ્યા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ત્યારબાદ પણ તેમણે સૌરાષ્ટ્રમાં ખેડૂતો માટે કામ કર્યું છે. જેના કારણે એમના નામની પણ આ વખતે ચર્ચા થઇ રહી છે. તો ભાજપની આદીવાસી બેલ્ટમાં પકડ વધુ મજબૂત કરવા પણ કોઈ સ્થાનિક નેતાને ટીકીટ મળી શકે છે. તો આ તમામની વચ્ચે રાજ્ય સરકારના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ પણ ભાજપના ડાર્ક હોર્સ બની રાજય સભાના ઉમેદવારીને લઈને પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે. જો કે આ તમામ નામોની વચ્ચે અન્ય નામોને પણ પ્રાધાન્ય મળે તો નવાઈ નહી.