Uttarakhand Crisis : ઉત્તરાખંડના રાજકારણમાં મોટા ફેરફારની જોવા મળી રહ્યો છે.ત્રિવેન્દ્રસિંહ રાવત આજે દિલ્હીથી દહેરાદૂન પરત ફર્યા છે. સોમવારે તેમણે દિલ્હીમાં ભાજપના નિરીક્ષક પક્ષ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને પણ મળ્યા હતા. જેમાં સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવત આજે બપોરે 4 વાગ્યે રાજ્યપાલ બેબી રાણી મૌર્યાને મળી શકે છે. આ સાથે રાવત બપોરે 4.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે. ત્રિવેન્દ્રસિંહ રાવત આજે દિલ્હીથી દહેરાદૂન પરત ફર્યા છે. દરમિયાન ધારાસભ્ય મુન્નાસિંહ ચૌહાણે મુખ્યમંત્રી સાથે બેઠક કર્યા પછી કહ્યું છે કે હાલમાં ધારાસભ્ય પક્ષની બેઠક બોલાવવામાં આવી નથી. તેમણે વધુમાં કહ્યું કે મુખ્યમંત્રી 4. 30 મીડિયાને મળશે અને આગળ શું થશે તેની માહિતી આપશે.
Uttarakhand ના સીએમ ત્રિવેન્દ્ર રાવત સાંજે ચાર વાગ્યે રાજભવન જઈ રહ્યાની ચર્ચા છે. મળતી માહિતી મુજબ મુખ્યમંત્રીએ રાજભવનમાંથી હજી સુધી કોઈ સમય લીધો નથી. એવી ચર્ચાઓ ચાલી રહી છે કે મુખ્યમંત્રી રાજીનામું આપી શકે છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.
તે જ સમયે પ્રદેશ ભાજપ પ્રવક્તા મુન્ના સિંહ ચૌહાણે કહ્યું કે સીએમ ત્રિવેન્દ્ર મીડિયા સાથે વાત કરશે. આ દરમ્યાન મંત્રી ધનસિંહ રાવત પણ શ્રીનગરથી દહેરાદૂન જવા રવાના થયા છે. ભાજપના કેન્દ્રીય નિરીક્ષક રમણ સિંઘ સાંજે ફરી દહેરાદૂન જવા રવાના થયા છે.
Published On - 3:58 pm, Tue, 9 March 21