Gujarati NewsPoliticsUnknown facts of indias 1st pm jawarlal nehru and lakme connection deshna pratham pm nehru ange ajani vato
જગવિખ્યાત બ્રાન્ડ ‘લેક્મે’ અને નેહરૂ વચ્ચે છે ખાસ સંબંધ, જાણો દેશના પ્રથમ વડાપ્રધાનની અવનવી વાતો
14 નવેમ્બર આજે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરૂના જન્મ દિવસને બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે. ખાસ વાત એ છેકે નહેરૂને બાળકોથી ખૂબજ લાગણી હતી, જેથી બાળકો તેમને ‘ચાચા નેહરૂ’ કહીને બોલવતા હતા. રૉયલ લાઇફ સ્ટાઇલ પણ દેશ માટે દુરદર્શિતા તેમનો એક આગવો ગુણ હતો. આજે તેમના જન્મ દિવસ પર એવી વાતો જાણીએ […]
Unknown facts of Nehru- TV9
Follow us on
14 નવેમ્બર આજે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરૂના જન્મ દિવસને બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે. ખાસ વાત એ છેકે નહેરૂને બાળકોથી ખૂબજ લાગણી હતી, જેથી બાળકો તેમને ‘ચાચા નેહરૂ’ કહીને બોલવતા હતા. રૉયલ લાઇફ સ્ટાઇલ પણ દેશ માટે દુરદર્શિતા તેમનો એક આગવો ગુણ હતો.
આજે તેમના જન્મ દિવસ પર એવી વાતો જાણીએ જે ભાગ્યે જ તમે વાંચી હશે.
જવાહરાલાલ નેહરૂના પિતા મોતીલાલ નેહરૂ અલ્હાબાદના પ્રખ્યાત વકીલ હતા. જેથી નેહરૂ બાળપણથી જ શાહી જીવન જીવ્યા છે. એવું કહેવામાં આવે છે કે તેમનાા કપડાં ધોવવા માટે લંડન જતાં હતા.
Unknown facts of Nehru
જ્યારે નેહરૂ વિદેશથી ભારતમાં પરત ફર્યા ત્યારે અલ્હાબાદના રસ્તા પર પહેલી કાર જોવા મળી હતી અને તે પણ નેહરૂના પિતાએ ખરીદી હતી.
નહેરૂ સિગરેટ પીવાના શોખીન હતા. એક વખત જ્યારે એક વખત તેઓ ભોપાલમાં હતા ત્યારે તેમની સિગરેટ ખત્મ થઇ ગઇ તો તેમણે ઇન્દોરથી વિમાન મારફતે સિગરેટ મંગાવી હતી.
Unknown facts of Nehru
જ્યારે ભારત આઝાદ થયો હતો ત્યારે મોહમ્મદ અલી જિન્નાહ વડાપ્રધાન બનવા માગતા હતા પરંતુ નેહરૂએ પદ્દ છોડવાની ના પાડતાં જિન્નાહએ નવા દેશ પાકિસ્તાનનું નિર્માણ કર્યું હતું.
તમને જાણીને નવાઇ લાગશે કે દુનિયાભરમાં પ્રખ્યાત લેક્મે બ્યૂટી પ્રોડક્ટ વાસ્તવમાં નેહરૂનો જ વિચાર છે. જ્યારે તેમને થયું કે દેશની મહિલાઓ બ્યૂટી પ્રોડક્ટ્સ માટે વિદેશી વસ્તુનો ઉપયોગ કરશે ત્યારે તેમણે જેઆરડી ટાટાને બ્યૂટી પ્રોડક્ટ બનાવવા માટે કહ્યું અને તે પછી લેક્મ માર્કેટમાં આવ્યું.
Unknown facts of Nehru
ગાંધીજી પછી નેહરૂ પણ શાંતિના દૂત તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત હતા. તેમને 11 વખત નોબેલ પ્રાઇઝ માટે નોમીનેટ કરવામાં આવ્યા હતા. પરંતુ તેઓ જીતી શક્યા ન હતા.
નેહરૂએ 1935માં જ્યારે જેલમાં હતા ત્યારે જ પોતાની આત્મકથા લખી હતી. જેનું નામ “Toward Freedom” (આઝાદી તરફ ) હતું જે વર્ષ 1936માં USAમાં પ્રકાશિત થઇ હતી.
Unknown facts of Nehru
દેશના સૌથી લાંબા સમય માટે વડાપ્રધાન પદ પર રહેનાર નેહરૂ એકજ વ્યક્તિ છે. જેમણે 1947 થી 1964 છે.
ઈડવિના માઉન્ટબેટન અને નેહરૂના પ્રેમ પ્રકરણ અંગે ઘણી ચર્ચા સામે આવી છે. તેમના ઘણાં ફોટોગ્રાફ અને લેટરો પણ સામે આવ્યા છે. જેના પર ભારે વિવાદો થયા છે.
નેહરૂ દેશના પ્રથમ વડાપ્રધાન હતા. તેમનું અવસાન 27 મે 1964ના રોજ થયું હતું. તેમની અંતિમ યાત્રામાં 15 થી 20 લાખ લોકો એકત્ર થયા હતા. જે ગાંધીજી પછી સૌથી મોટી અંતિમ યાત્રા હતી.