કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મેદાંતા હોસ્પિટલના તબીબોએ આપી કોરોનાની રસી

|

Mar 01, 2021 | 8:38 PM

કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah  ને સોમવારે Corona રસીકરણ અભિયાન અંતર્ગત રસી અપાઇ હતી. મેદાંતા હોસ્પિટલના ડોકટરોએ શાહને રસીનો પ્રથમ ડોઝ આપ્યો હતો. આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોમવારે સવારે Corona રસી લગાવી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મેદાંતા હોસ્પિટલના તબીબોએ આપી કોરોનાની રસી
Home Minister Amit Shah,

Follow us on

કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah  ને સોમવારે Corona રસીકરણ અભિયાન અંતર્ગત રસી અપાઇ હતી. મેદાંતા હોસ્પિટલના ડોકટરોએ શાહને રસીનો પ્રથમ ડોઝ આપ્યો હતો. આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોમવારે સવારે Corona રસી લગાવી હતી. મોદીએ ભારત બાયોટેક રસી કોવાક્સિનનો ડોઝ લીધો હતો. કોરોના રસીકરણ અભિયાનનો બીજો તબક્કો સોમવારથી શરૂ થયો છે. આ તબક્કામાં, 60 વર્ષથી વધુ ઉંમરના લોકો રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત જે લોકોની ઉંમર 45 વર્ષથી વધુ છે અને ગંભીર બીમારીથી પીડાય છે તે લોકોને પણ રસી આપવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત વિદેશ મંત્રી એસ જયશંકરે પણ Corona રસી લગાવી હતી. તે જ સમયે, બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર, ઓડિસાના સીએમ નવીન પટનાયક સહિત અન્ય ઘણા નેતાઓને પણ આ રસી લગાવાઈ છે. એસ.જયશંકરે કોરોનાની ભારત બાયોટેકની રસીનો ડોઝ લીધો હતો. તેમણે ટ્વિટ કર્યું હતું કે રસી લીધા બાદ તે સુરક્ષિત છે.

ઉલ્લેખનીય છે કે , આજથી દેશભરમાં Corona રસીકરણના બીજા તબક્કાની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 6:25 કલાકે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ પહોંચ્યા. અહીં તેમણે ભારત બાયોટેકની કોવાક્સિનનો પ્રથમ ડોઝ લીધો. પુડુચેરીના પી.નિવેદાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને Corona Vaccine નો પ્રથમ ડોઝ આપ્યો હતો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Corona રસીકરણનો બીજો તબક્કો શરૂ

સમગ્ર દેશમાં સોમવારથી Corona રસીકરણનો બીજો તબક્કો શરૂ થયો છે. બીજા તબક્કા માટે સરકારે કેટલીક વિશેષ તૈયારીઓ કરી છે. જેની આરોગ્ય મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે. સરકારે દેશભરના Corona રસીકરણ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલી ખાનગી હોસ્પિટલોની સૂચિ બહાર પાડી છે.

ખાનગી હોસ્પિટલોમાં Corona રસીના ડોઝ માટે વધુમાં વધુ 250 રૂપિયા લેવામાં આવશે. 1 માર્ચથી 60 વર્ષ કે તેથી વધુ વયના વૃદ્ધો અને 45 થી 59 વર્ષની વયના જેઓ કોઈ ગંભીર રોગથી પીડાય છે તેમની માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે . સરકારી હોસ્પિટલોમાં રસીકરણ નિ: શુલ્ક રહેશે. જ્યારે ખાનગી કેન્દ્રો પર ભાવ ચૂકવીને રસી લઇ શકાશે . ખાનગી હોસ્પિટલમાં કોરોના રસી માટે 250 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. જેમાં તેની કિંમત રસી 150 રૂપિયા છે અને સર્વિસ ચાર્જ તરીકે 100 રૂપિયા લેવામાં આવશે.

Published On - 8:37 pm, Mon, 1 March 21

Next Article