જમ્મુ કાશ્મીર ખાતે આવેલાં વૈષ્ણોદેવી મંદિરમાં સોનાનો દરવાજો લગાવવામાં આવશે. આ દરવાજો 29 સપ્ટેમ્બરના રોજ લગાવવામાં આવશે કે જ્યારથી નવરાત્રીની શરુઆત થઈ જવા રહી છે. લાખો લોકો વૈષ્ણો દેવી મંદિરની મુલાકાત લે છે. આ દરવાજાથી મંદિરની રોનકમાં વધારો થશે.
આ પણ વાંચો : અમદાવાદના મણિનગરમાં બીઆરટીએસ બસે કર્યો ફરી અકસ્માત, જુઓ VIDEO
આ વૈષ્ણોદેવી મંદિરની ગુફા શ્રદ્ધાળુઓ માટે થોડા જ દિવસ ખોલવામાં આવે છે. પહેલાં આ ગુફાનો દરવાજો સંગેમરમરની સજાવેલો હતો. હવે આ દરવાજો બદલીને સોનાથી સજાવવામાં આવશે. આ દરવાજાની ઉપર એક બાજુ ગણપતિની તસવીર અને મંત્રો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
3 મહિના બાદ તૈયાર કરાયો દરવાજો
આ સોનાના દરવાજાને કારીગરો દ્વારા 3 મહિનાની મહેનત બાદ તૈયાર કરવામાં આવ્યો છે. શ્રાઈન બોર્ડ દ્વારા એવા જ કારીગરોને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેને પહેલાં મુંબઈના સિદ્ધીવિનાયક મંદિરમાં કામ કરેલું છે. મંદિરની બાજુમાં જ એક વર્કશોપમાં આ દરવાજો બનાવવામાં આવ્યો છે. દરવાજાને ચાંદીથી બનાવવામાં આવ્યો છે અને તેને સોનાથી મઢવામાં આવ્યો છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 11:05 am, Wed, 25 September 19