લોકસભા બેઠકના 1 નહીં પણ 5 બૂથ પર VVPAT અને EVMના મતોની મેળવણી કરીને ખરાઈ કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ

|

Apr 08, 2019 | 11:53 AM

સુપ્રીમ કોર્ટમાં વિપક્ષની અરજીને લઈને કોર્ટે કહ્યું કે હવે 1 નહીં પણ 5 બુથ પર VVPAT અને EVMના મતોની સરખામણી કરવામાં આવે.  સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે, દરેક લોકસભા વિસ્તારમાં એકની જગ્યાએ પાંચ બૂથો પર EVM-VVPATનું યાદચ્છિક સરખામણી કરવું. 21 વિપક્ષી પાર્ટીઓ દ્વારા કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ અરજી […]

લોકસભા બેઠકના 1 નહીં પણ 5 બૂથ પર VVPAT અને EVMના મતોની મેળવણી કરીને ખરાઈ કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ

Follow us on

સુપ્રીમ કોર્ટમાં વિપક્ષની અરજીને લઈને કોર્ટે કહ્યું કે હવે 1 નહીં પણ 5 બુથ પર VVPAT અને EVMના મતોની સરખામણી કરવામાં આવે. 

સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે, દરેક લોકસભા વિસ્તારમાં એકની જગ્યાએ પાંચ બૂથો પર EVM-VVPATનું યાદચ્છિક સરખામણી કરવું. 21 વિપક્ષી પાર્ટીઓ દ્વારા કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ અરજી લાંબો સમય બાકી રાખી શકાય તેમ નથી. કારણ કે 11 એપ્રિલથી મતદાન શરૂ થાય છે. સુનાવણી દરમિયાન એક વકિલે કોર્ટેમાં એવી રજૂઆત કરી હતી કે, આ અરજીને લાંબા સમય માટે બાકી રાખવામાં આવે.

લોકસભા ચૂંટણીમાં EVM-VVPATના  50 ટકા મતોની  સરખામણીને લઈ 21 વિપક્ષી પાર્ટીઓને સુપ્રીમ કોર્ટમા અરજી દાખલ કરી હતી. અરજદારોએ કહ્યું કે આ માટે સંપત્તીની સમસ્યા કેમ હોય. કારણ કે આ મામલો ચૂંટણી પ્રક્રિયા પર વિશ્વાસને લઈને છે. ચૂંટણી કમિશન પાસે EVM-VVPATને ગણવામાં અને સરખામણી માટે વધુ લોકો હોવા જોઈએ. આ વ્યવસ્થા દેશભરના 479 ઈવીએમ પર આધારિત નહી પરંતુ દરેક ક્ષેત્રમાં હોવુ જોઈએ.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

TV9 Gujarati

 

આ અંગે ચૂંટણી પંચે દલીલ કરતા કહ્યું કે વધુ ગણતરીનો અર્થ માનવ ભૂલ હોઈ શકે છે. વધુમાં ચૂંટણી પંચે કહ્યું કે, પરિણામ એક લોજિકલ પ્રક્રિયા અને પ્રતિક્રિયા પર આધારિત છે. શું અરજદારોએ કોઈ એવી ભૂલ બતાવી છે, જેને લઈને કોર્ટે હસ્તક્ષેપ કરવો જરૂરી છે?  શુ આ સમગ્ર કેસ માત્ર કલ્પના સુધારવા માટે છે ?

દલીલ સાંભળ્યા પછી મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું કે જો 50 ટકા ઈવીએમ અને વીવીપૈટની સરખામણી થાય તો દરેક વિઘાનસભા ક્ષેત્રમાં આશરે 175 બૂથ હશે. જેના પર ચૂંટણી પંચે કહ્યું કે, હજી સુધી યાદચ્છિક સરખામણીમાં કોઈ ખામી મળી નથી અને કોઈ પણ ઉમેદવારને ફરીથી ગણતરીની માંગ કરવી હોય તો તે કરી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article