Subhash Chandra Bose Jayanti: PM મોદીના સંબોધનની 10 મહત્વની વાતો

|

Jan 23, 2021 | 11:31 PM

સ્વતંત્રતા સેનાની નેતાજી Subhash Chandra Boseની 125 જન્મ જયંતિના અવસરે કોલકતાના વિક્ટોરિયા મેમોરિયલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Subhash Chandra Bose Jayanti: PM મોદીના સંબોધનની 10 મહત્વની વાતો

Follow us on

સ્વતંત્રતા સેનાની નેતાજી Subhash Chandra Boseની 125 જન્મ જયંતિના અવસરે કોલકતાના વિક્ટોરિયા મેમોરિયલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન પીએમ મોદી સહિત પશ્ચિમ બંગાળમાં સીએમ મમતા બેનર્જી પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પીએમએ સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે કોલકત્તા આવવું મને ભાવુક બનાવી દે છે. પીએમ મોદીએ ક્હ્યું કે  બાળપણમાં જ્યારે નેતાજી Subhash Chandra Boseનું નામ સાંભળ્યુ, હું કોઈપણ પરિસ્થતિમાં રહ્યો, પરંતુ આ નામે મારામાં એક નવી ઉર્જા ભરી દીધી.

 

1.  પીએમ મોદીએ કહ્યું કે નેતાજી સુભાષચંદ્ર બોઝે આઝાદ ભારતના સપનાને એક નવી દિશા આપી હતી. તેમણે અંગ્રેજોને ક્હ્યું હતું કે તમારી જોડેથી હું આઝાદી  માંગીશ નહીં છીનવીને લઈશ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

2. પીએમ મોદીએ નેતાજીની ઉર્જા, આદર્શ, તપસ્યા, ત્યાગ દેશના દરેક યુવાન માટે પ્રેરણા છે.

3. પીએમ મોદીએ કહ્યું કે ભારત નેતાજીની પ્રેરણાથી આગળ વધી રહ્યો છે. અમારા બધાની ફરજ છે કે તેમનું યોગદાન દરેક પેઢી યાદ રાખે. તેમજ હવેથી દર 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ તરીકે મનાવવામાં આવે છે.

4. પીએમ મોદીએ કહ્યું આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. તેવા સમયે નેતાજીનું જીવન, તેમના અનેક કાર્ય, તેમના નિર્ણય અમારા બધા માટે પ્રેરણા છે.

5. પીએમ  મોદીએ કહ્યું કે વિશ્વ યુદ્ધના માહોલમાં દેશો વચ્ચે સતત બદલાતા રસ્તા વચ્ચે નેતાજી દરેક દેશમાં જઈને ભારત માટે સમર્થન માંગતા હતા. કારણ કે ભારત આઝાદ થઈ શકે. તમે અને આપણે આજે આઝાદ ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ.

6. પીએમ  મોદીએ કહ્યું કે  દેશ પીડિત, વંચિત, આપણા ખેડૂતો, દેશની મહિલાને સશક્ત કરવા માટે દિવસ રાત એક કરી રહ્યા છે. આજે દરેક ગરીબને મફતમાં ઈલાજની સુવિધા મળી રહી છે.

7. પીએમ  મોદીએ કહ્યું કે નેતાજીએ ક્હ્યું હતું કે આઝાદ ભારતના સપના પર ક્યારેય ભરોસો ના ગુમાવતા. દુનિયામાં એવી કોઈ તાકાત નથી, જે ભારતને આઝાદ થવાથી રોકી શકે.

8. નેતાજી જે સ્વરૂપમાં અમે આપણે જોઈએ રહ્યા છે આપણને આશીર્વાદ આપી રહ્યા છે. જે ભારતની તેમણે કલ્પના કરી હતી, એલએસીથી લઈને એલઓસી સુધી દુનિયા ભારતનું નવું સ્વરૂપ જોઈ રહ્યું છે.

9. પીએમ મોદીએ કહ્યું જે પણ સ્થળેથી ભારતની સંપ્રભુતાને પડકાર ફેંકવામાં આવે છે, ભારત તેનો જડબાતોડ જવાબ આપે છે.

10. નેતાજી આત્મનિર્ભર ભારતના સપનાની સાથે સોનાર બાંગ્લાના પણ મોટા પ્રેરણા સ્ત્રોત છે. જે ભૂમિકા નેતાજીએ દેશની આઝાદીમાં નિભાવી હતી તે ભૂમિકા પશ્ચિમબંગાળે આત્મનિર્ભર ભારતમાં નિભાવવી પડશે.

 

આ પણ વાંચો: MORBI: સરતાનપરની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, આરોપીની ધરપકડ

Next Article